અદાણી ગ્રુપના શેરોમાં LICનું કરોડોનું નુકસાન, છતાં અધિકારીઓ ચૂપ કેમ?


  • Published By :
  • Published Date : 2023-02-27 16:55:28

અમેરિકાના રિસર્ચ ફર્મ હિંડનબર્ગે 24 જાન્યુઆરીના દિવસે અદાણી ગ્રુપ પર તેની રિસર્ચ રિપોર્ટ જાહેર કરી હડકંપ મચાવી દીધો હતો. આ રિપોર્ટ બાદ અદાણી ગ્રુપના શેરોમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. આજે પણ બજાર ખુલતા જ કેટલાક શેરમાં તો નીચલી સર્કિટ લાગી ગઈ હતી. ગૌતમ અદાણી પણ ફોર્બ્સની યાદીમાં 35ના ક્રમે પહોંચી ગયા છે. હવે અદાણીની સંપત્તી માત્ર 34 અબજ ડોલર જેટલી રહી ગઈ છે. જો કે સૌથી મોટો ફટકો તો LICને પડ્યો છે. આમ છતાં પણ LIC કોઈ પણ ખુલાસો કરવાનું ટાળી રહી છે.


અદાણી ગ્રુપમાં રૂ. 30,127 કરોડનું રોકાણ


કેન્દ્રીય નાણા રાજ્ય મંત્રી ભગવત કરાડે 7 ફેબ્રુઆરી, 2023ના રોજ રાજ્યસભામાં LICના રોકાણ વિશે મહત્વની માહિતી આપી હતી. એક પ્રશ્નના લેખિત જવાબમાં તેમણે જણાવ્યું હતું કે છેલ્લા ઘણા વર્ષો દરમિયાન LICએ અદાણી જૂથના શેરની ખરીદીમાં રૂ. 30,127 કરોડનું રોકાણ કર્યું છે. 27 જાન્યુઆરી, 2023 ના રોજ બજાર બંધ થવા પર આ શેરોનું બજાર મૂલ્ય 56,142 કરોડ રૂપિયા હતું. કરાડે જણાવ્યું હતું કે LICની એસેટ અંડર મેનેજમેન્ટ એટલે કે AUM 41.66 લાખ કરોડ રૂપિયાથી વધુ છે.  


LIC કંઈ પણ કહેવાનું ટાળી રહી છે


અદાણી ગ્રુપનો વિવાદ ખુલ્યાને એક મહિનાથી વધુ સમય વીતી ગયો છે. પરંતુ LIC આ અંગે કંઈપણ કહેવાનું ટાળી રહી છે. જોકે, 10 ફેબ્રુઆરીએ LICના ચેરમેન એમ.આર. કુમારે એક ન્યૂઝ ચેનલને કહ્યું હતું કે તેઓ અદાણી ગ્રૂપમાંથી બહાર નીકળી રહ્યા નથી. તેમણે કહ્યું કે અદાણી ગ્રૂપની કંપનીઓના શેરમાં ખૂબ જ ઓછા સમયમાં ભારે ઘટાડો થયો છે. આવી સ્થિતિમાં શેર વેચીને બહાર નીકળવાનો નિર્ણય લેવામાં આવ્યો નથી. અહીં સવાલ એ ઊભો થાય છે કે ભલે તમે કોઈ પણ કંપનીના શેર ન વેચો, પરંતુ તમે કહી શકો કે અદાણી ગ્રુપની કંપનીઓમાં રોકાણ કરીને અત્યાર સુધીમાં કેટલો નફો કે નુકસાન થયું છે?.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.