અમદાવાદની LG મેટ કોલેજ હવે નરેન્દ્ર મોદી મેટ કોલેજ તરીકે ઓળખાશે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-15 16:38:22

અમદાવાદના મોટેરા સ્ટેડિયમનું નામ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નામ પરથી કરવામાં આવ્યું હતું. અમદાવાદ મહાનગર પાલિકાએ નિર્ણય લીધો છે કે એલજી મેટ કોલેજનું નામ બદલીને નરેન્દ્ર મોદી મેટ કોલેજ કરવામાં આવશે. અમદાવાદ મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક બાદ કોલેજનું નામ 17 સપ્ટેમ્બરના રોજ બદલવાનો નિર્ણય લીધો છે. 


સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેન્દ્ર બારોટે શું કહ્યું 

એલજી મેડિકલ અને એલજી હોસ્પિટલ કોલેજનું નામ એલજી મેટ કોલેજથી નરેન્દ્ર મોદી મેટ કોલેજ કરવાનો ગઈકાલની અમદાવાદ મહાનગરપાલિકાની સ્થાયી સમિતિમાં લેવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી મોદી જ્યારે મણિનગરના ધારાસભ્ય અને ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે અમદાવાદ મેટ કોલેજની સ્થાપના કરાવી હતી. ગઈકાલે મેટની બેઠકમાં નામકરણ માટે દરખાસ્ત કરતવામાં આવી હતી જેમાં મેટ કોલેજે પણ હા પાડી હતી જેના કારણે અમે આ નિર્ણય પર પહોંચ્યા છીએ. 


શું છે એલજી મેટ કોલેજ?

અમદાવાદના મણિનગર વિસ્તારમાં મેટ કોલેજ આવેલી છે. જેમાં અત્યારે નરેન્દ્ર મોદી મેટ કોલેજમાં 200 જેટલા એમબીબીએસ ડોક્ટર્સ સેવા આપે છે, 59થી વધુ એમએસ ડોક્ટર્સ સેવા આપે છે. મેટ કોલેજમાં નર્સિંગ કોલેજની પણ સુવિધા આપવામાં આવી છે. 


અત્યાર સુધી ઈન્દીરા ગાંધી, રાજીવ ગાંધી અને જવાહરલાલ નહેરુના નામે રાખવામાં આવતા ઈમારતો અને સંસ્થાઓના નામનો વાંધો ઉઠાવતી ભારતીય જનતા પાર્ટી પણ એ જ પરંપરા પર આગળ વધી રહી છે જ્યાં પક્ષ અને વિચાર કરતા વ્યક્તિ અને એના નામથી થતા ફાયદા પર આધાર રખાતો હોય. છેલ્લા 27 વર્ષથી ગુજરાતમાં ભાજપનું શાસન છે, અનેક સળગતા મુદ્દાઓ સરકારની સામે મોં ફાડીને ઉભા છે, સરકાર પોતાના ઘર એટલે કે ગાંધીનગરમાં દરરોજ આંદોલનકારીઓથી ઘેરાઈ રહી છે ત્યારે એમની પાસે આ દરેક સવાલોને ટાળવાનો કાં તો બચવાનો એક જ રસ્તો છે નરેન્દ્ર મોદીનું જાદુઈ નામ, એએમસીએ એ.એમ.સી.મેટ કૉલેજનું નામ નરેન્દ્ર મોદી મેડીકલ કૉલેજ કરવાનો નિર્ણય લીધો છે, આ પીએમને ખુશ કરવા લીધેલો નિર્ણય છે...પીએમને આ વાતની જાણ છે કે કેમ એ સવાલ છે, પણ આ પહેલા ગાંધીનગર કૉર્પોરેશને પ્રધાનમંત્રીના માતા હિરાબાના 100માં જન્મદિવસે રાયસણના રસ્તાનું નામ હિરાબા માર્ગ કરવાનું નક્કી કર્યુ હતુ પણ કૉર્પોરેશન પાસે એ સત્તા જ નહોતી અને રાજ્ય સરકારે આવી કોઈ પ્રોસેસ કરી નહોતી ત્યારે ગાંધીનગરના મેયરનો ફજેતો થયો હતો, આ વખતે કૉલેજનું નામ નરેન્દ્ર મોદી કૉલેજ કરાયું છે ત્યારે વિપક્ષ શું પ્રતિક્રીયા આપે છે એ કરતા પણ વિશેષ પીએમ કેવી પ્રતિક્રીયા આપે છે એ જોવાનું રહેશે.




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે