સમજીએ Patan Loksabha Seatનું રાજકીય ગણિત કારણ કે અહીંયા જો Congress મહેનત કરે તો જીતી શકે એમ છે...!


  • Published By :
  • Published Date : 2024-03-09 17:07:16

લોકસભા ઇલેકશન માટે ગમે તારીખોની જાહેરાત થઈ શકે છે. ચૂંટણીને લઈ પાર્ટીઓ દ્વારા તૈયારી કરવામાં આવી રહી છે. ભાજપે તો ગુજરાતમાં ૨૬ સે ૨૬ બેઠકો ૫ લાખની લીડથી જીતવા કમર કસી છે . તો બીજી બાજુ AAM આદમી પાર્ટી અને કોંગ્રેસનું ગઠબંધન પણ ગુજરાતમાં થઈ ચૂક્યું છે . પણ આપને જણાવી દઈએ કે આ વખતે ઉત્તર ગુજરાતમાં પાટણ લોકસભા પર લોકતાંત્રિક યુદ્ધ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે થઈ શકે છે એ નિશ્ચિત છે. આવો સમજીએ ત્યાંના રાજકારણ વિશે... 


વિધાનસભાની આટલી સીટો હતી કોંગ્રેસ પાસે 

એવું માનવામાં આવે છે કે જો કોંગ્રેસ સારી રીતે ચૂંટણી લડવાની ઈચ્છા રાખે અને મહેનત કરે તો પાટણ લોકસભા બેઠક પર જીત થઈ શકે છે! ૨૦૧૯માં પાટણ લોકસભામાં  BJPના ભરતસિંહજી ડાભી દ્વારા ૧,૯૩ , ૮૭૯ની સરસાઈથી જીત મેળવાઈ હતી ,તો સામે કોંગ્રેસમાંથી જગદીશ ઠાકોર ઉભા હતા . હવે વાત પાટણ લોકસભાના એરિથમેટિકની તો આમાં કુલ ૭ વિધાનસભાઓ આવે છે જે છે વડગામ , કાંકરેજ, રાધનપુર,ચાણસ્મા , પાટણ , સિદ્ધપુર ,ખેરાલુ . કોંગ્રેસે ૨૦૨૨ની વિધાનસભામાં ૪ બેઠકો વડગામ , કાંકરેજ, ચાણસ્મા ,પાટણ જીતી હતી. જ્યારે BJPએ માત્ર ૩ બેઠકો રાધનપુર , સિદ્ધપુર અને ખેરાલુ પર વિજય મેળવ્યો હતો . 



આ બેઠકને જીતવા માટે કોંગ્રેસ શું પ્રયાસ કરે છે તેની પર સૌની નજર!

આ તરફ આપને જણાવી દઈએ કે ૨૦૨૨ની વિધાનસભાની ચૂંટણીઓમાં AAP અને કોંગ્રેસનું ગઠબંધન ન હતું , એટલે કોંગ્રેસના વોટ પણ કપાયા હતા . બીજી સૌથી મહત્વની વાત એ છે કે , કોંગ્રેસને આ વસ્તુ છેક ૨૦૨૨થી ખબર હતી તો પણ કોંગ્રેસે મેહનત ચાલુ ના કરી .પાટણ લોકસભા પર લગભગ ૪૧૦૦૦૦ જેટલા ઠાકોર સમાજના લોકો છે જે કોંગ્રેસ પાર્ટીના કોર વોટ કહેવાય છે. જો ખરેખર કોંગ્રેસે આ મરણતોલ અવસ્થામાંથી બહાર આવું હોય તો મેહનત તો કરવીજ રહી . હવે જોવાનું એ છે કે , કોંગ્રેસ આ બેઠક જીતવા શું પ્રયાસો કરે છે , ઉપરાંત કોંગ્રેસ તરફથી સંભવિત ઉમેદવાર દિનેશભાઇ ઠાકોર છે .



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.