એક એવા પોલીસ કોન્સ્ટેબલની વાત કરીએ જેમણે આજ સુધી લાખો વૃક્ષોનું કર્યું છે રોપણ, લોકો તેમને ટ્રી મેન તરીકે ઓળખે છે...


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-06-14 15:48:03

અનેક વખત પોલીસની નેગેટિવ વાતોની ચર્ચા થતી હોય છે.. પરંતુ આજે પોલીસના એક એવા ચહેરાની વાત કરવી છે જે જોઈ તમે પણ કહેશો વાહ... શું વાત છે.. એક એવા પોલીસની વાત કરવી છે જેમણે પોતાના ક્ષેત્રમાં લાખો વૃક્ષો વાવ્યા છે. આ પોલીસ કોન્સ્ટેબલ ગુજરાતના નથી પરંતુ ચંડીગઢના છે.. અને તે ટ્રી મેન તરીકે જાણીતા છે...આજ સુધી તેમણે લાખો વૃક્ષો વાવ્યા છે અને તે પોતાની બધી કમાણી વૃક્ષોના ઉછેર પાછળ કરી રહ્યા છે તેવી માહિતી સામે આવી છે... ચંદીગઢના પોલીસ કોન્સ્ટેબલ પર્યાવરણ સંરક્ષણ માટે કાર્ય કરી રહ્યા છે.. 

અનેક લોકો કરે છે વૃક્ષારોપણ...

આ વખતનો ઉનાળો કપરો સાબિત થયો હતો. ગરમીએ અનેક વર્ષોનો રેકોર્ડ તોડી દીધો... ગરમી વધે છે ત્યારે આપણે કહેતા હોઈએ છીએ કે વૃક્ષો વાવવા જોઈએ.. પર્યાયવરણનું જતન કરવું જોઈએ. વૃક્ષો વાવો વરસાદ લાવો.. અનેક સંસ્થાઓ વૃક્ષો વાવવાનું કામ કરે છે.. અનેક લોકો પણ વૃક્ષારોપણનું કાર્ય કરે છે. બધા પોત પોતાની ક્ષમતા મુજબ પર્યાયવરણને બચાવવાની કોશિશ કરી રહ્યા છે.


ગ્લોબલ વોર્મિંગ બન્યો છે ચિંતાનો વિષય

સમગ્ર વિશ્વમાં ગ્લોબલ વોર્મિંગની ચર્ચા છે. નિષ્ણાતો સતત ચેતવણી આપી રહ્યા છે. ઘણા દેશો આના પર ગંભીરતાથી કામ કરી રહ્યા છે. પર્યાયવરણને બચાવવા માટે અનેક કામો કરવામાં આવી રહ્યા છે. આ બધાની વચ્ચે ચંદીગઢમાં તૈનાત એક કોન્સ્ટેબલ એક ઉદાહરણ બનીને સામે આવ્યો છે. તેમણે બતાવ્યું કે કેવી રીતે દરેક માનવી પર્યાવરણ માટે પોતાનું યોગદાન આપી શકે છે...  વ્યક્તિ ધારે તો શું ના કરી શકે તેનું ઉદાહરણ તેમણે પૂરૂં પાડ્યું છે. 


વૃક્ષો વાવવા માટે લીધી બેન્ક પાસેથી લોન...!

અનેક લોકો હોય છે જેમની પાસે પૈસા હોય છે અને પછી આવી સેવાકીય કાર્ય પાછળ વાપરે છે. પરંતુ અનેક લોકો એવા પણ છે જેમની કમાણી ઓછી હોય છે અને આવા સેવાકીય કાર્યો કરે છે.. જે પોલીસ કોન્સ્ટેબલની વાત કરી રહ્યા છીએ તેમણે બેન્ક પાસેથી લોન પણ લીધી છે વૃક્ષારોપણનું કામ કરવા માટે તેવી વિગતો પ્રાપ્ત થઈ રહી છે.... તેમણે સોનિપતમાં નર્સરી ઉભી કરી છે જેનું નામ જનતા નર્સરી છે. તેમણે આ કાર્ય એવા લોકો સાથે ભેગા મળીને શરૂ કર્યું હતું જેમને પ્રકૃતિ સાથે લગાવ છે.. ત્યારે તમારું આ મામલે શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો..     



આપણી આસપાસ શાંતિ હોય, લાગણીઓ હોય.. જીવન કેવું હોય તેની કલ્પના દરેક માણસ કરતો હોય છે. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના સ્વપ્ન.

વડોદરામાં જે પરિસ્થિતિનું સર્જન થયું તે આપણે જાણીએ છીએ... અનેક દિવસો સુધી લોકોને પાણી ના મળ્યું હતું. સ્થાનિકોનો રોષ જોવા મળ્યો હતો ત્યારે એક જૈન મુનિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં જૈન મુનીનો આક્રોશ દેખાઈ રહ્યો છે. ભાજપ પર તેમણે પ્રહાર કર્યા હતા.

આજે શિક્ષક દિવસ છે.. શિક્ષકોને આપણે ત્યાં ઘણું મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. બાળકના જીવનમાં માતા પિતા સિવાય જો કોઈનું મહત્વનું સ્થાન હોય તો તે શિક્ષકનું છે.. શિક્ષકો જ્યારે વિદ્યાર્થીઓેને ભણાવે છે ત્યારે તે આવવાની પેઢીને તૈયાર કરે છે.

ગુજરાતમાં ટેટ ટાટ પાસ ઉમેદવારો ઘણા સમયથી માગ કરી રહ્યા છે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે.. જ્ઞાન સહાયકનો વિરોધ તે કરી રહ્યા છે. આજે ગાંધીનગર ખાતે ટેટ ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરવા માટે આવ્યા હતા. અને સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.