લ્યો બોલો, અહી તો આખે આખું તળાવ જ વેચાઈ ગયું


  • Published By :
  • Published Date : 2023-10-03 21:35:38

મહેસાણા તાલુકાના અલોડા ગામનો તળાવ બારોબર વગ ધારીઓએ વેચી નાખ્યું હોવાના આક્ષેપો

સાથે આજે અલોડા ગામના લોકો કલેકટર કચેરીએ આવેદનપત્ર આપવા દોડી આવ્યા હતા

અલોડા ગામના તળાવ ગેરકાયદેસર કબ્જો જમાવવાના વિવાદમાં ન્યાય મેળવવા માટે ગ્રામજનો એકત્રિત થયા છે અને કલેકટર સહિત જિલ્લા પોલીસ અધિક્ષકને આવેદનપત્ર આપવામાં આવ્યું છે 



અલોડા ગામના લોકો અને આગેવાનો આક્ષેપ કરી રહ્યા છે કે ગામનું તળાવ વગ ધારી બિલ્ડરે ખોટા કાગળો ઊભા કરી પચાવી પાડ્યું છે...આ ગામના તળાવને બચાવવા ગામના સરપંચ અને આગેવાનો દ્વારા અનેક ફરિયાદો કરાઈ છે છતાં કોઈ જ પ્રકારનું નિરાકરણ ન આવતાં આખું ગામ કલેકટર કચેરી ધસી આવ્યું હતું અને મહેસાણા કલેકટરને રજૂઆત કરી આવેદનપત્ર આપ્યું હતું

અલોડા ગામના વિવાદે તંત્રને પણ હિલોળે ચડાવ્યું છે કારણ કે સરકારી જગ્યા અને આ તળાવ કેવી રીતે કોઈ વ્યક્તિ ખરીદી શકે તે પણ એમ મોટો સવાલ છે કારણ કે ગામના નકશામાં પણ એ તળાવ સ્પષ્ટ રીતે દેખાય છે તેવું ગામના લોકો કહી રહ્યા છે વર્ષોથી ચાલતા આ વિવાદમાં સત્ય શું છે તંત્ર એ આ બાબતે તટસ્થ તપાસ કરવાની જરૂર છે



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.