2017ની ચૂંટણીમાંથી ભાજપે શિખ્યો પાઠ, સૌરાષ્ટ્ર પર ભાજપ કરી રહ્યું છે ફોક્સ


  • Published By :
  • Published Date : 2022-10-26 09:07:48

ગુજરાતમાં ચૂંટણીના પડઘમ વાગી ગયા છે.  ચૂંટણીની તારીખોની રાહ જોવાઈ રહી છે. દરેક પાર્ટી પોતાના પ્રચારમાં લાગી ગઈ છે. ભાજપ રણનીતિ સાથે આગળ વધી રહી છે. 182 બેઠકો જીતવા માટે ભાજપ તડામાર તૈયારીઓ કરી રહી છે. રણનીતિ સાથે તેઓ આગળ વધી રહ્યા છે. આ વખતે ભાજપ નબળા પરિણામો વાળી બેઠકો પર વધારે ફોક્સ કરી રહી છે. સૌરાષ્ટ્ર પર ભાજપ વધારે ધ્યાન આપી રહ્યું છે. ભાજપને સૌરાષ્ટ્રમાં 48 બેઠકોમાંથી માત્ર 18 બેઠકો જ મળી હતી. જ્યારે કોંગ્રેસના ફાળે 30 બેઠકો આવી હતી.

એવી બેઠકો જ્યાં ભાજપને જીતવામાં પડી છે મુ્શ્કેલી 

ગુજરાતમાં છેલ્લા 27 વર્ષોથી ભાજપનું શાસન છે. 2017 ચૂંટણીમાં ભાજપે જીત હાંસલ કરી હતી પરંતુ ઘણી એવી બેઠકો હતી જેમાં કોંગ્રેસનો દબદબો જોવા મળ્યો હતો. આવો જ એક વિસ્તાર છે સૌરાષ્ટ્રનો. 2017માં કોંગ્રેસને 30 બેઠકો મળી હતી. જ્યારે ભાજપને 18 બેઠકોથી સંતોષ માનવો પડ્યો હતો. સૌરાષ્ટ્રમાં આ વર્ષની ચૂંટણીમાં ભાજપનું કમળ ખીલે તે માટે ભાજપ ઘણા પ્રયાસો કરી રહી છે. રણનીતિ સાથે ભાજપ આગળ વધી રહ્યું છે.

ગુજરાતમાં ચૂંટણી ક્યારે? પાટિલે સિનિયર પ્રવક્તાઓનો લીધો ઉધડો, ડીબેટમાં હવે  શું રાખવું પડશે ધ્યાન?

દિગ્ગજ નેતાઓ લઈ રહ્યા છે સૌરાષ્ટ્રની મુલાકાત 

ભાજપના ચાણક્ય ગણાતા અમિત શાહ સૌરાષ્ટ્ર પર વધારે ધ્યાન આપી રહ્યા છે. વડાપ્રધાન મોદી પણ સૌરાષ્ટ્રની મુલાકાત લઈ રહ્યા છે. ભાજપ માટે સૌરાષ્ટ્રમાં સીટો મેળવવી ઘણું અઘરૂ મનાઈ રહ્યું છે. 30 બેઠકો પર હાલ કોંગ્રેસ સત્તા પર છે ત્યારે ભાજપ માટે આટલી બેઠકો પર વિજય મેળવવો મૂશ્કેલ લાગે છે.  


આ બેઠકો જ્યાં ભાજપને ઓછી સીટોથી સંતોષ માનવો પડ્યો હતો

આવી અનેક બેઠકો છે જેમાં ભાજપને વિજય મળ્યો નથી. અમરેલી, મોરબી, સોમનાથ જિલ્લામાં પણ એવી બેઠકો છે જ્યાં ભાજપને એક-બે સીટોથી સંતોષ માનવો પડ્યો હતો. જૂનાગઢમાં ભાજપને 5માંથી એક બેઠક મળી હતી જ્યારે પોરબંદર અને બોટાદમાં ભાજપ-કોંગ્રેસને એક એક બેઠક મળી હતી. રાજકોટની 8 બેઠકોમાંથી ભાજપને ફાળે 6 બેઠકો ગઈ છે જ્યારે કોંગ્રેસને ફાળે 2 બેઠક ગઈ છે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.