Mahisagarમાં દીપડાનો આતંક! દીપડાએ મહિલા પર હુમલો કર્યો, કરી ઈજાગ્રસ્ત, શું તમારા ત્યાં પણ છે દીપડાનો આતંક?


  • Published By :
  • Published Date : 2024-01-08 13:40:08

જે લોકો શહેરમાં રહેતા હોય છે તે લોકો માટે દીપડો જોવો કદાચ નવાઈની વાત હોતી હશે. પરંતુ જે લોકો ગામડાઓમાં રહેતા હશે તેમના માટે દીપડો એક સમસ્યા બની ગયું છે. દીપડાનો આતંક સતત વધતો જઈ રહ્યો છે ગામડાઓમાં. રાતના સમયે મુખ્યત્વે દીપડો હુમલો કરતો હોય છે, અનેક લોકો પર હુમલો દીપડાએ કર્યા છે, અનેક લોકોના મોત પણ હુમલાને કારણે થયા છે. ત્યારે એક કિસ્સો મહીસાગરના સંતરામપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારથી સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર સંતરામ તાલુકાના ચિતવા પોડા ફળિયામાં રહેતી મહિલા પર દીપડાએ હુમલો કર્યો છે.

આ શહેરમાં દીપડાનો આતંક, 18 દિવસથી 22 સ્કૂલો બંધ, લોકો ઘરની બહાર નીકળતા ડરે  છે | 22 schools closed for 18 days people afraid to step out due to Leopard  terror in this city

દીપડાને લઈ લોકોમાં વ્યાપી ઉઠ્યો છે ડર

દીપડાનો આતંક સતત વધતો જઈ રહ્યો છે. ગામડામાં રહેતા લોકોમાં ડર બેસી ગયો છે કે દીપડો આવીને ગમે ત્યારે તેમની પર હુમલો કરી શકે છે અને તેમને હાની પહોંચાડી શકે છે. હજી સુધી એવા અનેક કિસ્સાઓ આપણી સામે છે જેમાં દીપડાએ માણસો પર હુમલો કર્યો છે. અનેક ગામોમાં દીપડો આંટો મારવા આવતો હોય તેવું લાગે છે. લોકોમાં દીપડાને લઈ ડર વ્યાપી ઉઠ્યો છે. વન વિભાગને પણ અનેક વખત જાણ કરાતા દીપડાને પકડવા માટે પાંજરા મૂકવામાં આવે છે પરંતુ દીપડાનો આતંક ઘટવાનું નામ નથી લેતું.


મહીસાગરમાં એક મહિલા પર દીપડાએ કર્યો હુમલો 

નાની નાની બાળકીઓ પર દીપડો હુમલો કરે છે અને તેમને ચીરીને ફાડી નાખે છે. સ્થાનિકો પર પણ હુમલો દીપડો કરતો હોય છે તેવા કિસ્સાઓ સામે આવ્યા છે. થોડા સમય પહેલા દીપડાએ દહેગામના લોકો પર હુમલો કર્યો હતો. તે બાદ આજે મહીસાગરથી એક કિસ્સો સામે આવ્યો છે જેમાં દીપડાએ એક મહિલાને ઈજાગ્રસ્ત કરી છે. મહીસાગરના સંતરામપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં દીપડાનો આતંક જોવા મળ્યો હતો. સંતરામ તાલુકાના ચિતવા પોડા ફળિયામાં રહેતા મહિલા પર દીપડાએ હુમલો કર્યો છે. મહત્વનું છે સંતરામપુર વન વિભાગ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. દીપડાને પકડવા માટે અલગ અલગ ટીમ બનાવામાં આવી છે. ત્યારે જોવું રહ્યું કે દીપડાના હુમલાના ડરમાંથી લોકોને ક્યારે મુક્તિ મળશે? 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.