વિધાનસભામાં કોંગ્રેસે હોદ્દેદારોની વરણી કરી, આ ધારાસભ્યોને સોંપાઈ મોટી જવાબદારી


  • Published By :
  • Published Date : 2023-02-22 21:01:24

ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર આવતી કાલથી શરૂ થઈ રહ્યું છે. ત્યારે કોંગ્રેસે વિધાનસભામાં હોદેદારોની નિમણુંક કરી છે. જેમાં કોંગ્રેસ પક્ષના દંડક તરીકે ડો સી જે ચાવડાની નિમણૂક કરવામાં આવી છે. ત્યારે કોંગ્રેસ દ્વારા પાંચ પ્રવક્તાની નિમણુંક કરવામાં આવી છે. કોંગ્રેસને વિપક્ષ તરીકે બેસવા અંગે હજુ અનેક સવાલો છે ત્યારે કોંગ્રેસે વિધાનસભામાં વિવિધ હોદેદારોની નિમણુંક કરી છે. અત્રે ઉલ્લેખનિય છે કે કોંગ્રેસ પાસે વિપક્ષના નેતાનું સ્થાન નથી. 


આવતી કાલથી બજેટ સત્રનો પ્રારંભ

વિધાનસભાની ચૂંટણી બાદ ભાજપને મળેલી જબદસ્ત જીત બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારની બીજી ટર્મ શરૂ થઈ છે. ત્યારે 15 મી વિધાનસભાનું આ પ્રથમ બજેટ મળવા જઈ રહ્યું છે. ત્યારે આવતી કાલે તારીખ 23 ફેબ્રુઆરીના રોજ મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત વિધાનસભા ગૃહને સંબોધન કરશે. જે બાદ વિધાનસભા ગૃહમાં રાજ્યપાલના સંબોધનને લઈ આભાર પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે. વર્ષ 2023-24 નું બજેટ 24 ફેબ્રુઆરીના રોજ વિધાનસભા ગૃહમાં  નાણાં મંત્રી કનુ પટેલ વિધાનસભામાં નાણા પ્રધાન તરીકે બીજું બજેટ રજૂ કરશે. આ દરમિયાન બિનઅધિકૃત વિકાસ નિયંત્રણ સુધારા વિધેયક 2023 પણ રજૂ કરાઈ શકે છે. આ સત્ર બજેટનું સત્ર હોવાથી બજેટ પર સામાન્ય ચર્ચા અને માંગણી ઉપર ચર્ચા તેમજ મતદાન માટે બેઠકો થશે. વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવેલા બજેટ પર 16 બેઠકમાં ચર્ચા થશે. 25 દિવસ ચાલનારા આ સત્રમાં સરકાર બજેટ રજૂ કરશે. સરકારી વિધેયકો અને અંદાજપત્ર પર સામાન્ય ચર્ચા અને માંગણીઓ પર પણ વિધાનસભા ગૃહમાં ચર્ચા થશે.



તોફાની બની રહેશે સત્ર 


ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર તોફાની બને તેવી શક્યતા છે. વિરોધ પક્ષો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી અદાણી, પેપરલીક, દર્શન સોલંકી, ડ્રગ્સ સહીતના મુદ્દે સરકારને ઘેરવાનો પ્રયાસ કરશે. હવે જોવાનું એ છે કે કોંગ્રેસ અને આપના ધારાસભ્યો સરકારને ઘેરવામાં કેટલા સફળ રહેશે.


કોંગ્રેસને નહીં મળે વિધાનસભા પદ


વિધાનસભામાં કોંગ્રેસને વિપક્ષના નેતાના પદ મુદ્દે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ ખુલાસો કર્યો છે. શંકર ચૌધરીના જણાવ્યા પ્રમાણે કોંગ્રેસ પાસે વિધાનસભામાં પુરતું સંખ્યા બળ ન હોવાથી કોંગ્રેસને વિધાનસભામાં વિપક્ષનું પદ મળશે નહી. વિધાનસભામાં વિપક્ષ પદ માટે 10 ટકા સંખ્યાબળ હોવુ જરૂરી છે પરંતુ પુરતુ સંખ્યાબળ ન હોવાથી વિપક્ષના નેતાનું પદ કોંગ્રેસને મળશે નહીં. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.