વિધાનસભા : શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે કહ્યું કે અમે ધોરણ 9-10માં વૈદિક ગણિત શરુ કર્યુ છે, તો અમિત ચાવડાએ પૂછ્યૂં કે શિક્ષકો જ.. જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-02-20 10:36:14

ગુજરાતમાં શિક્ષણની પરિસ્થિતિ શું છે તે આપણે જાણીએ છીએ. શિક્ષણનું સ્તર સતત કથળી રહ્યું છે તેવી વાતો અનેક વખત કરવામાં આવે છે. શાળાઓમાં શિક્ષકોની ઘટ છે તે વાતનો સ્વીકાર વિધાનસભામાં સરકાર દ્વારા કરવામાં આવ્યો. ત્યારે શિક્ષકોની ઘટનો મુદ્દો ફરી એક વખત વિધાનસભામાં ઉઠ્યો છે. શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે કહ્યું કે તેમના દ્વારા ધોરણ 9 તેમજ ધોરણ 10માં વૈદિક ગણિત શરૂ કરવામાં આવ્યું તો અમિત ચાવડાએ કહ્યું કે શિક્ષકો જ નથી તો ગણિત કોણ ભણાવશે? 



વિધાનસભામાં ફરી ઉઠ્યો શિક્ષકોની ભરતીનો મુદ્દો!

ગુજરાતની શાળાઓમાં શિક્ષકોની ઘટ છે તેનો સ્વીકાર સરકારે ખુદ વિધાનસભામાં કર્યો છે. અનેક શાળાઓ એવી છે જે એક શિક્ષકના ભરોસે ચાલે છે. શિક્ષણ મંત્રી જ્યારે પણ શિક્ષકોને લઈ સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકે છે ત્યારે એવી કમેન્ટ કરવામાં આવે છે કે ગુજરાતમાં કાયમી શિક્ષકોની ભરતી કરો. થોડા સમય પહેલા વિધાનસભામાં શિક્ષકોની ઘટ અંગેનો મુદ્દો ઉઠ્યો હતો, સરકાર દ્વારા જે માહિતી આપવામાં આવી તે ચોંકાવનારી હતી. અનેક શાળાઓ આજે પણ એવી છે કે જે એક શિક્ષકના આધારે ચાલે છે. શાળામાં ભણવા માટે વિદ્યાર્થીઓ આવે છે પરંતુ તેમને ભણાવવા શિક્ષકો જ નથી હોતા,


શિક્ષણમંત્રીના નિવેદન પર અમિત ચાવડાએ કહ્યું કે.... 

વિધાનસભાના સત્રમાં શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે કહ્યું કે ધોરણ 9 - તેમજ ધોરણ 10માં વૈદિક ગણિત શિખવાડવાનું શરૂ કરવામાં આવ્યું. આ વાત પર અમિત ચાવડાએ કહ્યું કે શાળામાં શિક્ષકો જ નથી તો ગણિત ભણાવશે કોણ? નવી શિક્ષણ નીતિ મુજબ 30 બાળકો માટે એક શિક્ષક રાખવાની જવાબદારી છે. મહત્વનું છે કે સરકાર દ્વારા જે આંકડા પેશ કરવામાં આવ્યા હતા તે ચોંકાવનારા હતા. ઉલ્લેખનિય છે કે શિક્ષક વગર કોઈ પણ વિષય બાળકો ના ભણી શકે... શિક્ષકો જ નહીં હોય તો દેશનું ભાવિ ક્યાંથી ભણી શકશે?      



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.