જાણો વાવાઝોડા દરમિયાન ધ્યાનમાં રાખવા જેવી બાબતો વિશે, વાવાઝોડા પહેલાં, દરમિયાન અને બાદમાં સુરક્ષા માટે શું કરવું જોઈએ?


  • Published By :
  • Published Date : 2023-06-12 10:52:31

બિપોરજોય વાવાઝોડું ગુજરાત તરફ તેજ ગતિથી આગળ વધી રહ્યું છે. ગુજરાતથી માત્ર અમુક કિલોમીટર જ વાવાઝોડું દૂર છે. વાવાઝોડાની અસર દરિયાઓમાં દેખાઈ રહી છે. દરિયાઓ ગાંડાતુર બની રહ્યા છે. ઉંચા મોજાઓ ઉછળી રહ્યા છે. ભયાવહ દ્રશ્યો સામે આવી રહ્યા છે. ગુજરાત સરકાર તેમજ કેન્દ્ર સરકાર દ્વારા વાવાઝોડા પર સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. મળતી માહિતી અનુસાર કચ્છની મુલાકાત મનસુખ માંડવિયા આવતી કાલે લઈ શકે છે. વાવાઝોડાને ધ્યાનમાં રાખી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી દીધી છે. વાવાઝોડાને અનેક એવી બાબતો હોય છે જેને ધ્યાનમાં રાખવી જરૂરી હોય છે. ત્યારે જાણીએ વાવાઝોડા દરમિયાન તેમજ તેની બાદ કઈ બાબતો પર વધારે ધ્યાન રાખવું જરૂરી છે. 


વાવાઝોડા દરમિયાન અફવાઓ પર ન આપવું જોઈએ ધ્યાન!  

જ્યારે વાવાઝોડા જેવી ગંભીર વાતની ચર્ચાઓ કરવામાં આવતી હોય છે ત્યારે મહત્વનું છે કે અફવાઓ પર બિલકુલ વિશ્વાસ ન કરવો જોઈએ. અનેક એવી અફવાઓ ઉઠતી હોય છે જે ડરાવી પણ શકે છે પરંતુ તે સમય દરમિયાન અફવાઓ પર ધ્યાન ન આપવું જોઈએ. બીજી વસ્તુ જેની પર ધ્યાન રાખવું જોઈએ એ છે કે અપડેટ માટે સતત સમાચારો જોતા રહો. મહત્વનું છે કે જો વિકટ પરિસ્થિતિનું સર્જન થાય અને ઘરને છોડવાનો વારો તેને ધ્યાનમાં રાખી જીવન ઉપયોગી ચીજવસ્તુઓની કિટ બનાવી જોઈએ જેનો ઉપયોગ આવા કપરા સમય દરમિયાન કરી શકાય. તે સિવાય મોબાઈલ ફોનને ચાર્જ રાખવો તેમજ કિંમતી વસ્તુઓને પહેલેથી જ વોટર પ્રુફ બેગ્સમાં રાખી સાચવી મૂકવા જોઈએ.  

   


વાવાઝોડા દરમિયાન ધ્યાનમાં રાખવા જેવી બાબતો!

જો વાવાઝોડા દરમિયાન અને તે બાદ ધ્યાનમાં રાખવા જેવી બાબતોની વાત કરીએ તો આ સમય દરમિયાન વીજળીનો ઉપયોગ કરવો ટાળવો જોઈએ. મેન સ્વીચ તેમજ ગેસની પાઈપલાઈનની મુખ્ય સ્વીચ બંધ કરવી જોઈએ. જો ઘર સુરક્ષિત ન હોય તો સુરક્ષિત સ્થળે સ્થાળાંતર વાવાઝોડું આવે તે પહેલા કરી લેવું જોઈએ. તે સિવાય ઘરના બારી બારણા બંધ રાખવા તેમજ વાવાઝોડા અંગેની સત્તાવાર રીતે આપવામાં આવતી માહિતી પર જ વિશ્વાસ કરવો જોઈએ. આ તો થઈ ઘર અંદર સાવચેતી રાખવાની વાત. જો ઘરના બહારની વાત કરવામાં આવે તો વાવાઝોડાથી બચવા જર્જરિત મકાનોમાં પ્રવેશ કરવો ન જોઈએ. તે સિવાય તૂટેલા વિજતાર તેમજ વિજથાંભલાથી દૂરી બનાવી જોઈએ. સુરક્ષિત જગ્યાઓ પર આવા સમયે આશરો લેવો હિતાવહ છે. તે સિવાય બેટરી પણ હાથવગું રાખવી જોઈએ. 


તંત્ર દ્વારા જે નિયમો બનાવવામાં આવે છે તેનું કરવું જોઈએ પાલન

મહત્વનું છે કે તંત્ર દ્વારા તો બચાવના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને કરવામાં પણ આવશે પરંતુ પોતાની સુરક્ષા તેમજ સલામતી માટે આપણે પણ જાગૃત રહેવું પડશે. એ પ્રમાણે તંત્ર દ્વારા નિયમો બનાવવામાં આવે તે પ્રમાણે પાલન કરવું જોઈએ. કારણે એ નિયમો આપણી સુરક્ષા માટે બનાવાયા હોય છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો હતો જેમાં એલર્ટ બાદ પણ લોકો દરિયામાં મસ્તી કરતા દેખાયા હતા. આપણા પરિવારની સુરક્ષા આપણી જવાબદારી છે. દર્શકોને તેમજ વાંચકોને પણ વિનમ્ર અપીલ છે કે જે નિયમો બનાવવામાં આવ્યા છે તેનું પાલન કરે.  



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!