કર્ણાટકમાં ચૂંટણી નજીક આવતા જામશે નેતાઓનો જમાવડો! પીએમ મોદી 6 દિવસમાં ગજવશે આટલી જનસભા! જાણો સમગ્ર કાર્યક્રમ


  • Published By :
  • Published Date : 2023-04-26 09:11:04

2024માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. લોકસભાની તૈયારીઓ માટે રાજકીય પાર્ટીઓએ તૈયારી શરૂ કરી દીધી છે. પરંતુ 2023માં અનેક રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. વિધાનસભાની ચૂંટણીને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. ત્યારે કર્ણાટકમાં આવતા મહિને વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. ત્યારે કર્ણાટકમાં પ્રચાર માટે વડાપ્રધાન મોદી પણ પહોંચવાના છે. વડાપ્રધાન તૂફાની રફતારથી કર્ણાટકમાં પ્રચાર કરવા મેદાનમાં ઉતરવાના છે અને એનો કાર્યક્રમ પણ બનાવવામાં આવી ગયો છે. મળતી માહિતી અનુસાર પીએમ 6 દિવસમાં 16 રેલી તેમજ રોડ શો કરવાના છે. આ કાર્યક્રમની શરૂઆત 28 એપ્રિલથી થઈ જવાની છે. 


પ્રચાર માટે વડાપ્રધાન મોદી આવશે મેદાનમાં! 

આવતા મહિને કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. રાજકીય પાર્ટીઓ દ્વારા ચૂંટણીને લઈ તૈયારીઓ શરૂ કરવામાં આવી ગઈ છે. ઉમેદવારો તથા સ્ટાર પ્રચારકોનું લિસ્ટ પણ બહાર પાડવામાં આવ્યું છે. ત્યારે ભાજપના મુખ્ય સ્ટાર પ્રચારક ગણાતા પીએમ મોદી પણ કર્ણાટકમાં રેલી તેમજ જાહેર સભા કરી ભાજપનો પ્રચાર કરવાના છે. મળતી માહિતી અનુસાર પીએમ મોદી 6 દિવસોમાં 16 જેટલી રેલી તેમજ રોડ શો કરવાના છે. કાર્યક્રમ પણ બનાવવામાં આવ્યો છે. પ્રચારની શરૂઆત 28 એપ્રિલથી થવાની છે. પીએમ મોદી 29 એપ્રિલે, ત્રીજી અને ચોથી મે તેમજ 6 અને 7મેના રોજ કર્ણાટકમાં ભાજપનો પ્રચાર કરવાના છે. 16 જિલ્લાઓને કવર કરવાના છે. 


પીએમ મોદી કરશે અનેક રેલી તેમજ જનસભા! 

આ વર્ષે અનેક રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. નિષ્ણાંતોના મતે કર્ણાટકની ચૂંટણી ભાજપ માટે લોકસભાનું સેમિફાઈનલ માનવામાં આવે છે. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે બીજા રાજ્યો કરતા કર્ણાટક પર ભાજપનું ધ્યાન વધારે રહેશે. મળતી માહિતી અનુસાર પીએમ મોદી પ્રચારની શરૂઆત રાજ્યના સૌથી મોટા જિલ્લા બેલગાવીથી કરશે. 


કોંગ્રેસે પણ શરૂ કર્યો કર્ણાટકમાં પ્રચાર! 

મહત્વનું છે કે કોંગ્રેસ દ્વારા પણ પ્રચાર અભિયાનની શરૂઆત કરવામાં આવી ગઈ છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ કર્ણાટકમાં પ્રચાર કરી રહ્યા છે. રાહુલ ગાંધીએ થોડા સમય પહેલા કર્ણાટકમાં પ્રચાર કર્યો હતો ત્યારે પ્રિયંકા ગાંધીએ પણ કર્ણાટકમાં સભાને સંબોધી હતી. મૈસુરમાં રેલી કરી હતી. પ્રચાર દરમિયાન પ્રિયંકા ગાંધીએ ભાજપ પર નિશાન સાધ્યું હતું.          



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.