કર્ણાટકમાં મતગણતરી શરૂ થતાં જ નેતાઓ પહોંચ્યા હનુમાનજીના મંદિર! પ્રિયંકા ગાંધીએ કર્યા બજરંગબલીના દર્શન! જૂઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-05-13 12:40:30

10 મેના રોજ કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી. મતદાનની મતગણતરી હાલ ચાલી રહી છે. કોંગ્રેસ હાલ ભાજપ તેમજ અનેક રાજકીય પાર્ટીઓ કરતા આગળ જોવા મળી રહી છે. કોંગ્રેસની જીત પાકી માનવામાં આવી રહી છે. ચૂંટણી પ્રચારમાં બજરંગબલીનો મુદ્દો અનેક વખત ઉઠ્યો છે. કોંગ્રેસે પોતાના ઘોષણા પત્રમાં બજરંગ દળ પર પ્રતિબંધ મૂકવાની વાત કરી હતી. પીએમ મોદીએ 'જય બજરંગ બલી'ના નારા પણ અનેક જનસભાઓમાં લગાવ્યા હતા. આ બધા વચ્ચે કર્ણાટકમાં મતગણતરી થરૂ થતાં જ કોંગ્રેસના વરિષ્ઠ નેતા પ્રિયંકા ગાંધી હનુમાન મંદિરે પહોંચ્યા હતા.શિમલા ખાતે આવેલા હનુમાન મંદિરમાં પ્રિયંકા ગાંધીએ પૂજા કરી હતી અને હનુમાનજી આગળ માથું નમાવ્યું હતું. તે સિવાય સીએમ બસવરાજ બોમ્મઈ પણ હનુમાનજીના શરણે ગયા હતા.

          


બજરંગબલીના મંદિરે પહોંચ્યા નેતાઓ! 

ચૂંટણી પ્રચારમાં અનેક વખત રાજકીય પાર્ટી દ્વારા ધર્મને વચ્ચે લાવવામાં આવતો હોય. કર્ણાટકમાં બજરંગબલીને લઈ રાજનીતિ ગરમાઈ હતી. કોંગ્રેસ દ્વારા જે ઘોષણા પત્ર બહાર પાડવામાં આવ્યો હતો તેમાં બજરંગ દળ પર પ્રતિબંધ મૂકવાની વાત કરી હતી. જે બાદ આ વાતનો મુદ્દો ભાજપ દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો. ત્યારે કર્ણાટકમાં કોંગ્રેસ સરકાર બનાવશે તેવું હાલ લાગી રહ્યું છે. ચૂંટણી ઢંઢેરો બહાર પડતા જ બજરંગ દળ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. અનેક જગ્યાઓ પર પાઠ કરવામાં આવ્યો હતો. આ બધા વચ્ચે પ્રિયંકા ગાંધી હનુમાનજીના શરણે ગયા છે. તે સિવાય કર્ણાટકના મુખ્યમંત્રીએ પણ હનુમાનજીના દર્શન કર્યા હતા.   




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.