ચૂંટણીમાં પાર્ટી વિરૂધ્ધ કામ કરનારા ચોટીલા ભાજપના 10 નેતાઓ થશે સસ્પેન્ડ


  • Published By :
  • Published Date : 2023-01-13 12:05:51

ભારતીય જનતા પાર્ટી એક શિસ્તબધ્ધ પાર્ટી માનવામાં આવે છે. પાર્ટીના નેતાઓ અને કાર્યકરો પણ પાર્ટી હાઈકમાન્ડનું આદેશનું અક્ષરસ: પાલન કરતા રહે છે. જો કે ગત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના કેટલાક નેતાઓએ પક્ષ વિરોધી કાર્યવાહી  કરતા જણાયા હતા. વિધાનસભાની  ટિકિટ ન મળવાથી કે બીજા કારણોથી તેમણે ચૂંટણીમાં પાર્ટીને નુકસાન પહોંચાડવાના પ્રયાસો કર્યા હતા. હવે આ નેતાઓ સામે શિસ્તભંગની કાર્યવાહી થાય તેવી શક્યતા છે.


ચોટીલાના 10 પદાધિકારીઓને તેડું


ભાજપે નિમેલી શિસ્ત કમિટી સમક્ષ ચોટીલાના પાર્ટીના 10 પદાધિકારીઓ સામે ફરિયાદો થઈ હતી. હવે પાર્ટીઓ આ સ્થાનિક નેતાઓને આજે ગાંધીનગર બોલાવ્યા છે. વિધાનસભાની ચૂંટણીમાં ચોટીલા સીટ પર ભાજપને નુકસાન થાય એવું કાર્ય કરનારા હોદ્દેદારોમાં જીલ્લા ભાજપના ઉપાધ્યક્ષ સહિત ગ્રામ્યના હોદ્દેદારો સહિત ભાજપનાં 10 હોદ્દેદારો સામે પ્રદેશ તરફથી કાર્યવાહી થઈ શકે છે. જીલ્લાની 5 વિધાનસભા ચૂંટણીમાં અમુક હોદ્દેદારોને ટીકીટ ન મળતાં પક્ષ વિરૂદ્ધ કામગીરી કરી હતી. 


ભાજપે અગાઉ પર કરી છે શિસ્તભંગની કાર્યવાહી


વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના અસંતુષ્ટ નેતાઓએ પાર્ટી સામે જ બળવો પોકાર્યો હતો. આમાંથી કેટલાક નેતાઓ તો ચૂંટણી પણ લડ્યા હતા. ગત નવેમ્બર માસમાં ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલના આદેશથી વડોદરા જિલ્લાના પાદરા બેઠક પરના દિનુ પટેલ, વાઘોડિયા બેઠકના મધુ શ્રીવાસ્તવ, સાવલી બેઠકના કુલદિપસિંહ રાઉલ, પંચમહાલની શહેરા બેઠકના ખતુભાઈ પગી, મહિસાગર જિલ્લાની લુણાવાડા બેઠકના એસ એમ ખાંટ અને જે.પી.પટેલ, આણંદ જિલ્લાની ઉમરેઠ બેઠક પરના રમેશ ઝાલા, ખંભાત બેઠકના અમરીશ ઝાલા, અરવલ્લીની બાયડ બેઠકના ધવલસિંહ ઝાલા, મહેસાણાની ખેરાલુ બેઠકના રામસિંહ ઠાકોર, બનાસકાંઠાની ધાનેરા બેઠકના માવજી દેસાઈ અને ડિસા બેઠકના લેબજી ઠાકોરને સસ્પેન્ડ કર્યા હતા.



બાળપણ... જીવનનો એક એવો phase જે આપણને યાદ રહી જાય છે.. બાળપણનું નામ સાંભળતા જ આપણા ચહેરા પર એક અલગ સ્માઈલ આવી જાય.. જૂની યાદો તાજા થઈ જાય.. બાળપણ આખું યાદ આવી જાય.

ગુજરાતમાં ફરી એકવાર ચૂંટણીનો માહોલ છવાઈ રહ્યો છે.... ત્રણેય પક્ષોએ તૈયારીઓ શરુ કરી દીધી છે... ત્રણ એટલા માટે કે આમ આદમી પાર્ટી પણ પોતાના ઉમેદવાર ઉતારશે એવી ચર્ચા છે... એટલે આપ અને કોંગ્રેસનું ગઠબંધન તૂટશે એવુ કહી શકાય છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ફિટ ઈન્ડિયા, ફિટ મીડિયા કેમ્પેઈનનો શુભારંભ કરાવ્યો હતો.. રેડ ક્રોસ ભવનની બાજુમાં આવેલા ખાદી ગ્રામોદ્યોગ ભવનના પરિસરમાં કરવામાં આવ્યો હતો..

આજે ચૂંટણી પંચ દ્વારા વાવ વિધાનસભા બેઠક માટે પેટા ચૂંટણીની જાહેરાત કરી છે.. 13 નવેમ્બરે વાવ બેઠક પર પેટા ચૂંટણી યોજાવાની છે જેનું પરિણામ 23 નવેમ્બરે આવવાનું છે..