વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા મુદ્દે કોંગ્રેસ પાસે 19 જાન્યુ સુધીનો સમય


  • Published By :
  • Published Date : 2023-01-11 12:22:33

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે વિરોધ પક્ષ કોંગ્રેસના  સુપડા સાફ કરી નાખ્યા છે. ભાજપને 156 બેઠકો જ્યારે વિપક્ષ કોંગ્રેસના માત્ર  17 ધારાસભ્યો જીત્યા છે. ચૂંટણીમાં કોંગ્રેસનું પ્રદર્શન એટલી હદે ખરાબ રહ્યું છે કે ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસને મુખ્ય વિપક્ષનું પદ મેળવવાના પણ ફાંફા પડી રહ્યા છે. વિરોધ પક્ષના નેતા કોને બનાવવા તેને લઈ કોકડું ગુંચવાયું છે.


વિધાનસભા સચિવનો જગદીશ ઠાકોરને પત્ર


ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા કોને બનાવવા તે મુદ્દે વિધાનસભા સચિવે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરને પત્ર લખ્યો છે. સચિવે  તેમના પત્રમાં સ્પષ્ટ તાકીદ કરી છે કે તેઓ વિધાનસભા વિપક્ષના પદના નેતાનું નામ 19મી જાન્યુઆરી સુધીની સમય મર્યાદામાં મોકલી આપે. જો આ માટેની સમય અવધીમાં વિધાનસભા સચિવને કોઈ એક નામ કોંગ્રેસના ધારાસભ્યનું વિરોધ પક્ષના નેતા તરીકે પસંદ કરી મોકલી આપવું પડશે. જો આ સમય મર્યાદામાં નામ જાહેર નહીં કરાય તો કોંગ્રેસને વિધાનસભા વિપક્ષ પદ પણ ગુમાવવું પડશે. કોંગ્રેસમાંથી વિરોધ પક્ષના નેતા બનવા માટે વિવિધ નેતાઓએ ઇચ્છા દર્શાવી છે. આ સ્થિતીમાં કોંગ્રેસ માટે પણ અસમંજસની સ્થિતી સર્જાઈ છે.


કોણ છે રેસમાં?


વિધાનસભામાં વિરોધ પક્ષના નેતાના પદ કોંગ્રેસના સૌથી સિનિયર નેતા અર્જુન મોઢવાડિયાએ અનિચ્છા દર્શાવી છે. આ પદ માટે શૈલેષ પરમારનું નામ ટોપ પર ચાલી રહ્યું છે. વિપક્ષી નેતાની રેસમાં સી. જે. ચાવડાનું નામ પણ ચર્ચામાં છે. વિપક્ષી નેતા બની કાર બંગલો લેવા કોંગ્રેસમાં પણ આંતરિક યુદ્ધ જામ્યું છે. વિધાનસભાની તાકીદને પગલે પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે કોંગ્રેસ હાઈકમાન્ડને આ મામલે જાણ કરી છે. જો કે કોંગ્રેસના આંતરિક ખટરાગનાં પરિણામે વિરોધ પક્ષના નેતાના નામની પસંદગી કરી શકાતી નથી. 



આપણી આસપાસ શાંતિ હોય, લાગણીઓ હોય.. જીવન કેવું હોય તેની કલ્પના દરેક માણસ કરતો હોય છે. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના સ્વપ્ન.

વડોદરામાં જે પરિસ્થિતિનું સર્જન થયું તે આપણે જાણીએ છીએ... અનેક દિવસો સુધી લોકોને પાણી ના મળ્યું હતું. સ્થાનિકોનો રોષ જોવા મળ્યો હતો ત્યારે એક જૈન મુનિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં જૈન મુનીનો આક્રોશ દેખાઈ રહ્યો છે. ભાજપ પર તેમણે પ્રહાર કર્યા હતા.

આજે શિક્ષક દિવસ છે.. શિક્ષકોને આપણે ત્યાં ઘણું મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. બાળકના જીવનમાં માતા પિતા સિવાય જો કોઈનું મહત્વનું સ્થાન હોય તો તે શિક્ષકનું છે.. શિક્ષકો જ્યારે વિદ્યાર્થીઓેને ભણાવે છે ત્યારે તે આવવાની પેઢીને તૈયાર કરે છે.

ગુજરાતમાં ટેટ ટાટ પાસ ઉમેદવારો ઘણા સમયથી માગ કરી રહ્યા છે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે.. જ્ઞાન સહાયકનો વિરોધ તે કરી રહ્યા છે. આજે ગાંધીનગર ખાતે ટેટ ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરવા માટે આવ્યા હતા. અને સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.