અમરેલીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતી ચિંતાજનક, વિરજી ઠુંમરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લખ્યો પત્ર


  • Published By :
  • Published Date : 2023-11-15 21:58:27

અમરેલી જિલ્લાના પોલીસવડા નિર્લિપ્ત રાયની બદલીનો મુદ્દો હજુ પણ સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે. અમરેલી જિલ્લામાં છેલ્લા 4 વર્ષથી SP તરીકે ફરજ બજાવતા નિર્લિપ્ત રાયની ગાંધીનગર સ્ટેટ મોનિટરીંગ સેલમાં બદલી કરવામાં આવી હતી. ગુજરાત સરકાર દ્વારા ગાંધીનગર સ્ટેટ મોનિટરીંગ સેલના SP તરીકે IPS નિર્લિપ્ત રાયની પસંદગી કરવામાં આવી હતી. જો કે તેમની બદલી બાદ હાલ અમરેલીમાં કાયદો વ્યવસ્થાની સ્થિતી કથળી છે, હવે આ બાબતને લઈને કોંગ્રેસના નેતા વિરજી ઠુમ્મરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે.


શું લખ્યું છે પત્રમાં?


કોંગ્રેસના અગ્રણી નેતા અને અમરેલીના પૂર્વ સાંસદ અને પૂર્વ ધારાસભ્ય વિરજી ઠુમ્મર અમરેલીની કાયદો અને વ્યવસ્થાની વર્તમાન પરિસ્થિતીને લઈને મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે. જેમાં તેમણે અમરેલી શહેર અને જિલ્લામાં ચોરી, લૂંટ, છેડતી, દારૂ તથા અસામાજીક તત્વો દ્વારા સામાન્ય લોકોને હેરાનગતિ વધી હોવા સહિતની બાબતોનો ઉલ્લેખ કર્યો છે. જિલ્લા પંચાયતના પૂર્વ હોદ્દેદાર વિપુલભાઈ શેલડીયા પર ખાંભા તાલુકાના કોટડા નજીક હુમલો થયો તે ઘટનાનો ઉલ્લેખ કરીને જણાવ્યું કે, સ્થાનિક પોલીસે તે અંગે તપાસ વ્યવસ્થિત કરી પણ જિલ્લામાં પોલીસની જે ધાક હોવી જોઈએ તે ઓછી થતી જાય છે. જિલ્લામાં દારૂ-જુગારની બદી વધી રહી છે અને છેડતીના કેસમાં પણ વધારો થઈ રહ્યો છે.


ગેરકાયદે ખનન મામલે તંત્ર મૌન


મુખ્યમંત્રી લખેલા પત્રમાં તેમણે વધુમાં લખ્યું કે, જિલ્લામાં ગેરકાયદે ખનન થઈ રહ્યું છે અને તેમાં શાસક ભાજપના આગેવાનોની સંડોવણી હોવાનું પણ બની શકે છે. વ્યાજંકવાદ વધ્યો છે.  વ્યાજખોરો દ્વારા ઉંચુ વ્યાજ વસુલી ગરીબ ખેડૂતોની જમીન પડાવી લેવાનું વધ્યું છે. રેતી ખનનમાં હપ્તાખોરી ચાલી રહી હોવાનું ચર્ચાય છે ત્યારે પોલીસ આ બાબતે કેમ મૌન છે?. તેવો સવાલ પણ તેમણે કર્યો હતો. મહેસુલી તંત્ર ખનન પ્રવૃત્તિ મામલે તદ્દન મૌન છે.  વિરજી ઠુમ્મરના આ પત્ર બાદ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતી સુધરે છે કે કેમ તેના પર સૌની નજર છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.