સહારા કંપની ફરી વિવાદમાં, જામનગરના ધુંવાવ ગામની 225 વીઘા જમીન મામલે કંપની સામે થશે કાર્યવાહી


  • Published By :
  • Published Date : 2023-10-05 21:55:53

જામનગર-રાજકોટ રોડ પર ધુંવાવ અને નગરસીમ વિસ્તારની 21 જેટલા ખેડૂતોની 225 વિઘા શ્રી સરકાર થયેલી જમીન વેચવાના મામલે સહારા કંપની ફરી ચર્ચામાં આવી છે, આ મામલો હાઈકોર્ટમાં પેન્ડીંગ હોવા છતાં, સહારા કંપનીએ રાજકોટની કનેરીયા નામની પાર્ટી સાથે આ જમીનનો વેંચાણ વ્યવહાર કર્યો હોવાનું જાહેર થતાં સનસનાટી મચી ગઈ છે. આ કંપનીએ ગેરકાયદેસર રીતે ધુંવાવના ખેડૂતોની વિવાદી જમીન રાજકોટની એક પાર્ટીને વેચાણ આપવા એગ્રીમેન્ટ જાહેર કર્યું છે, તેના વિરુદ્ધ કાર્યવાહીઓ થશે. કેમ કે, મામલો અદાલતમાં પડતર છે.જામનગરમાં ધુંવાવના ખેડૂતો વતી આ મામલો એડવોકેટ નિલેશ મંગે સંભાળી રહ્યા છે. તેઓએ ધુંવાવના 21 ખેડૂતો વતી આ મામલો હાથમાં લીધો છે, કેમ કે ઓલરેડી આ કેસ વર્ષોથી હાઈકોર્ટમાં પડતર જ છે. અને, આ મુદ્દે નિલેશ મંગેએ એક પત્રકાર પરિષદમાં કેટલીક વિગતો જાહેર કરી છે.


આ મામલે જાહેર નોટિસ


પત્રકાર પરિષદમાં કહેવામાં આવ્યું છે કે, ધુંવાવના ખેડૂતો અને સહારા કોમર્શિયલ કોર્પોરેશન લિમિટેડ નામની કંપની વચ્ચે પાછલાં 18 વર્ષથી ધુંવાવ તથા નગરસીમની જમીનોનો વિવાદ ચાલે છે. તે દરમિયાન, તાજેતરમાં રાજકોટની પાર્ટી સ્મિતકુમાર પુરુષોત્તમ કનેરિયાએ સવારના એક અખબારમાં એક જાહેર નોટિસ પ્રસિદ્ધ કરાવી છે. આ જાહેર નોટિસમાં એવું જણાવવામાં આવ્યું છે કે, જામનગર-રાજકોટ રોડ પર આવેલાં ધુંવાવ ગામમાં તથા નગરસીમમાં આવેલી ખેતીની તથા બિનખેતીની કેટલીક જમીનો સ્મિતકુમાર પુરુષોત્તમ કનેરિયા નામની રાજકોટની પાર્ટીએ સહારા નામની ઉપરોકત કંપની પાસેથી ખરીદવા એગ્રીમેન્ટ કર્યો છે. જેનો વેચાણ વ્યવહાર તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કનેરિયા રાજકોટમાં કાલાવડ રોડ પર, સ્વામી નારાયણ મંદિર સામેના ભાગમાં અર્પણ કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં બીજા માળે, 202 નંબરની ઓફિસ ધરાવે છે.


સહારા વિરૂધ્ધ થશે કાર્યવાહી


આ બાબતે જામનગરમાં પત્રકાર પરિષદમાં કહેવામાં આવ્યું કે, આ નોટિસ અનુસંધાને સહારા નામની ઉપરોકત કંપની વિરુદ્ધ IPCની કલમો સાથેની ફરિયાદ દાખલ કરવામાં આવશે. આ ઉપરાંત એમ પણ કહેવામાં આવ્યું કે, ધુંવાવના આ ખેડૂતોની જમીનોનો મામલો વર્ષોથી હાઈકોર્ટમાં છે. જેમાં વડી અદાલતે સ્ટેટ્સ કવો એટલે કે યથાવત્ સ્થિતિ જાળવી રાખવાનો આદેશ જેતે સમયે કરેલો છે. આ આદેશ આજની તારીખે આ કેસમાં લાગુ હોવા છતાં સહારા નામની આ કંપનીએ ધુંવાવની ઉપરોકત વિવાદી જમીનો વેચાણથી થર્ડ પાર્ટીને આપવા વેચાણ વ્યવહારનો એગ્રીમેન્ટ કર્યો છે અને આ એગ્રીમેન્ટ જાહેર પણ થયો છે એટલે કે આ કેસમાં અદાલતના આદેશ વિરુદ્ધ કાર્યવાહી થઈ રહી છે તેથી સહારા કંપની વિરુદ્ધ ધુંવાવના ખેડૂતો વતી આ કેસમાં અદાલતની અવમાનના નો કેસ પણ દાખલ કરવામાં આવશે.


અત્રે ઉલ્લેખનિય છે કે, ધુંવાવની જમીનોનો સહારા કંપની સંબંધિત આ વિવાદ ભૂતકાળમાં બહુ ગાજયા પછી, વર્ષો સુધી આ પ્રકરણમાં કોઈ સળવળાટ દેખાયો ન હતો, હવે ફરી સળવળાટ શરૂ થયો છે. જેથી સૌ સંબંધિતો અચરજ પણ અનુભવી રહ્યા છે અને ઘણાં બધાં લોકો આ પ્રકરણમાં વિશેષ રસ પણ દાખવી રહ્યા હોવાનું જાણવા મળે છે.



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!