હવે ફરીથી થશે જમીનનો રિ સર્વે, રૂ.700 કરોડનો ધુમાડો કર્યા બાદ સરકારને ભૂલ સમજાઈ


  • Published By :
  • Published Date : 2023-01-11 19:45:29

ગુજરાતની ભૂપેન્દ્ર પટેલની સરકાર રાજ્યમાં જમીનનો ફરીથી રિ સર્વે કરાવશે. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કેબિનેટની બેઠકમાં આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારના પ્રવક્તા મંત્રીશ્રી ઋષિકેશ પટેલે કેબિનેટ બેઠક બાદ યોજેલી પ્રેસ કોન્ફરન્સમાં આ બાબતની જાણકારી આપી હતી. આ સાથે જ ભૂપેન્દ્રભાઇ પટેલની સરકારે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સરકારે લીધેલા નિર્ણયને રદ્દ કર્યો છે.


નવો જમીન રિ સર્વે શા માટે?


પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સરકારે ભૂતકાળમાં જમીન માપણીના સર્વે માટે જે એજન્સીઓને કામ સોંપ્યું હતું તેણે મોટા લોચા મારીને અનેક એવી ભૂલો કરી હતી કે જેના કારણે ખેડૂતોની જમીન ઘોંચમાં પડી ગઈ હતી. સરકારને પણ જુના રી-સર્વેને લઈ અનેક ફરિયાદો મળી હતી. જેમાં જમીનોના નકશા બદલાય ગયા હતા, ખેડૂતોના નામ બદલાઈ ગયા હતા. જે બાદ સરકારે નવેસરથી જ જમીન રી સર્વે કરવાનો નિર્ણય લીધો છે.


રૂપાણી સરકારે રૂ. 700 કરોડનું કર્યું આંધણ


રાજ્યની વિજય રૂપાણીની સરકારે જમીન રિ સર્વે માટે એજન્સીને અંદાજિત રૂ. 700 કરોડનું ચૂકવણું પણ કરી દીધું છે. હવે સરકાર ફરીથી જમીનનો રિ સર્વે કરવાની કવાયત શરૂ કરી છે. આગામી બજેટમાં આ અંગેની તમામ જોગવાઈ જાહેર કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનિય છે તે તે સમયે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે રાજ્યભરનાં જમીનના તમામ સર્વે નંબરોનું સેટેલાઈટ દ્વારા ડિજીટલલાઈઝેશન કરવા માટે રાજ્ય સરકારે ભૂતકાળમાં ક્યારેય ન થઈ હોય તેવી જમીન માપણી અંગે જમીન રી-સર્વેની કામગીરી હાથ ધરી હોવાની શેખી મારી હતી. 


પાઇલોટ પ્રોજેક્ટ દેવભૂમિ દ્વારકાથી શરૂ થશે


સમગ્ર રાજ્યમાં ફરીથી શરૂ થનારા જમીનના રિ સર્વેના પાઇલોટ પ્રોજેક્ટ તરીકે દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લાને પસંદ કરવામાં આવ્યા છે. નવા જમીન સર્વેમાં જૂની અને નવી પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવષે. નવેસરથી થનારા જમીન રિ સર્વેમાં પરંપરાગત સાંકળ પદ્ધતિથી અને સાથે ડિજિટલ મશીનનો ઉપયોગ કરાશે. જમીનના સર્વે દરમિયાન ખેડૂતને પણ સાથે રાખવા ફરજિયાત રહેશે.  


અર્જુન મોઢવાડિયાએ સરકારની ઝાટકણી કાઢી


કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ  ટ્વીટરના માધ્યમથી સરકારના જમીન રિ સર્વેના નિર્ણયની ઝાટકણી કાઢી હતી. તેમણે "નવી જમીન માપણી" રદ્દ કરવામાં આવી તેને ગુજરાતના ખેડૂતોની જીત ગણાવી છે. તેમણે કહ્યું કે નવી જમીન માપણીમાં ભ્રષ્ટાચારની મેં છેક 2009માં ફરિયાદ કરી હતી. ત્યાર બાદ 5.28 લાખ ખેડૂતોએ પૂનઃ માપણીની માંગ કરી હતી. અંતે 10 વર્ષના સંઘર્ષ બાદ ન્યાય મળ્યો છે.




થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!