જમીન દલાલોએ એક જ પરિવારના આટલા સભ્યોને ઉપાડી લીધા! ફાર્મ હાઉસમાં પરિવારને બંધક રાખ્યા, ફરિયાદ થતા આરોપી થયા ફરાર


  • Published By :
  • Published Date : 2023-03-16 14:38:04

દેશના અનેક રાજ્યો એવા છે જ્યાં અપહરણની ઘટનાઓ બનવી સામાન્ય માનવામાં આવે છે. પરંતુ અપહરણની ઘટના ગુજરાતમાં નોંધાઈ છે. પોલીસ ચોપડે બે-ત્રણ લોકોના અપહરણની ફરિયાદ નહીં પણ 19 લોકોના અપહરણની ફરિયાદ નોંધાઈ છે. અમદાવાદ શહેરમાં 19 લોકોનું અપહરણ થયું છે જેમાં જનક ઠાકોર અને કુંદન ઠાકોર સામે ફરિયાદ નોંધવામાં આવી છે. જે બે લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે તે બંને આરોપીઓ જમીન માફિયા તરીકે જાણીતા છે. 


દલાલે કંપની પાસેથી પૈસા લીધા પરંતુ માલિક સુધી ન પહોંચ્યા    

સમગ્ર ઘટનાની વાત કરીએ તો વારસાઈમાં મળેલી નરોડા હંસપુરાની 6 વિઘા જમીનની દલાલી દિલીપ ઠાકોર સહિતના લોકોએ જનક ઠાકોર અને કુંદન ઠાકોર સાથે કરાવી હતી. દલાલે આ જમીનનો સોદો નરોડાની પી.માંડવા ઈન્ફ્રા પ્રાઈવેટ લિમિટેડ ભાસ્કર જાદવાણીને વેચાણમાં આપી હતી. કંપનીએ જમીનના રુપિયા જનક અને કુંદનને આપ્યા હતા પરંતુ દિલીપ ઠાકોર તેમજ અન્ય માલિકો સુધી પૈસા પહોંચ્યા ન હતા. પૈસા ન મળતા જમીન માલિકે કંપનીને સીધો સંપર્ક કર્યો હતો. 


ઠાકોર પરિવારને સીંગરવા લઈ જવાયો  

થોડા દિવસો પહેલા વેચાણ દસ્તાવેજના કબૂલાતનામા માટે દિલીપ ઠાકોર તેમના પરિવારના સભ્યો સાથે બે ઈકોમાં બેસી શાહીબાગના ગીરધરનગરમાં આવેલી સબ રજીસ્ટ્રાર કચેરી આવવા નિકળ્યા હતા. કબૂલાતનામા બાદ પરિવારના સભ્યો ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે જનક અને કુંદન તેના સાગરીતો સાથે ત્રણ ગાડીઓ લઈને આવ્યા. કુંદન અને જનકના માણસોએ ઈકો કારના ડ્રાઈવરને હટાવી તેમનું સ્થાન લીધું અને તમામ લોકોને સીંગરવા લઈ જવાયા હતા. સીંગરવા ખાતે આવેલા એક ફાર્મ હાઉસમાં બે ડ્રાઈવર અને ઠાકોર પરિવારના 17 સભ્યોને રાખી મૂક્યા હતા. આ અંગે દિલીપ ઠાકોરના પરિચિત મુકેશભાઈએ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરી માહિતી આપી હતી. પોલીસની ગાડીઓ આવતા આરોપીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. 


જમીન માફિયા વિરૂદ્ધ કરાઈ ફરિયાદ 

જે લોકોનું અપહરણ કરવામાં આવ્યું છે તેમાં 19 જેટલા લોકોનો સમાવેશ થાય છે. ઈકો ગાડીમાં દિલીપ ઠાકોર, તેમના પત્ની, તેમની માતા, ભાઈ, ભાભી, ભત્રીજો, ચાર બહેનો, કાકા, કાકી, બે પિતરાઈ ભાઈ, બંને પિતરાઈભાઈની પત્ની, પિતરાઈ બહેન અને બે ડ્રાઈવરનો સમાવેશ થાય છે. શાહીબાગ પોલીસ સ્ટેશનમાં જેના વિરૂદ્ધ ફરિયાદ કરવામાં આવી છે તે પૂર્વ અમદાવાદના મોટા જમીન માફિયા છે. બંને વિરુદ્ધ અનેક ફરિયાદ પણ નોંધાવામાં આવી છે. અનેક કિસ્સાઓમાં સમાધાન કરવામાં આવ્યું છે. 


પોલીસે આ અંગે તપાસની શરૂઆત કરી  

અપહરણ શા માટે કરવામાં આવ્યું તેની વાત કરીએ તો જમીનના કાગળોમાં ફરિયાદી અને તેના પરિવારજનો સહી ના કરે તે હેતુથી અપહરણ કરવામાં આવ્યું હતું. પોલીસે આ ઘટનાની જાણ અપહરણનો ગુન્હો નોંધીને પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે. પોલીસ 16 જેટલા લોકોને કોના ફાર્મમાં રાખવામાં આવ્યા હતા અને ફાર્મ હાઉસના માલિક કોણ છે તે અંગે તપાસ કરવામાં આવી રહી છે.  



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!