જમીન દલાલોએ એક જ પરિવારના આટલા સભ્યોને ઉપાડી લીધા! ફાર્મ હાઉસમાં પરિવારને બંધક રાખ્યા, ફરિયાદ થતા આરોપી થયા ફરાર


  • Published By :
  • Published Date : 2023-03-16 14:38:04

દેશના અનેક રાજ્યો એવા છે જ્યાં અપહરણની ઘટનાઓ બનવી સામાન્ય માનવામાં આવે છે. પરંતુ અપહરણની ઘટના ગુજરાતમાં નોંધાઈ છે. પોલીસ ચોપડે બે-ત્રણ લોકોના અપહરણની ફરિયાદ નહીં પણ 19 લોકોના અપહરણની ફરિયાદ નોંધાઈ છે. અમદાવાદ શહેરમાં 19 લોકોનું અપહરણ થયું છે જેમાં જનક ઠાકોર અને કુંદન ઠાકોર સામે ફરિયાદ નોંધવામાં આવી છે. જે બે લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે તે બંને આરોપીઓ જમીન માફિયા તરીકે જાણીતા છે. 


દલાલે કંપની પાસેથી પૈસા લીધા પરંતુ માલિક સુધી ન પહોંચ્યા    

સમગ્ર ઘટનાની વાત કરીએ તો વારસાઈમાં મળેલી નરોડા હંસપુરાની 6 વિઘા જમીનની દલાલી દિલીપ ઠાકોર સહિતના લોકોએ જનક ઠાકોર અને કુંદન ઠાકોર સાથે કરાવી હતી. દલાલે આ જમીનનો સોદો નરોડાની પી.માંડવા ઈન્ફ્રા પ્રાઈવેટ લિમિટેડ ભાસ્કર જાદવાણીને વેચાણમાં આપી હતી. કંપનીએ જમીનના રુપિયા જનક અને કુંદનને આપ્યા હતા પરંતુ દિલીપ ઠાકોર તેમજ અન્ય માલિકો સુધી પૈસા પહોંચ્યા ન હતા. પૈસા ન મળતા જમીન માલિકે કંપનીને સીધો સંપર્ક કર્યો હતો. 


ઠાકોર પરિવારને સીંગરવા લઈ જવાયો  

થોડા દિવસો પહેલા વેચાણ દસ્તાવેજના કબૂલાતનામા માટે દિલીપ ઠાકોર તેમના પરિવારના સભ્યો સાથે બે ઈકોમાં બેસી શાહીબાગના ગીરધરનગરમાં આવેલી સબ રજીસ્ટ્રાર કચેરી આવવા નિકળ્યા હતા. કબૂલાતનામા બાદ પરિવારના સભ્યો ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે જનક અને કુંદન તેના સાગરીતો સાથે ત્રણ ગાડીઓ લઈને આવ્યા. કુંદન અને જનકના માણસોએ ઈકો કારના ડ્રાઈવરને હટાવી તેમનું સ્થાન લીધું અને તમામ લોકોને સીંગરવા લઈ જવાયા હતા. સીંગરવા ખાતે આવેલા એક ફાર્મ હાઉસમાં બે ડ્રાઈવર અને ઠાકોર પરિવારના 17 સભ્યોને રાખી મૂક્યા હતા. આ અંગે દિલીપ ઠાકોરના પરિચિત મુકેશભાઈએ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરી માહિતી આપી હતી. પોલીસની ગાડીઓ આવતા આરોપીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. 


જમીન માફિયા વિરૂદ્ધ કરાઈ ફરિયાદ 

જે લોકોનું અપહરણ કરવામાં આવ્યું છે તેમાં 19 જેટલા લોકોનો સમાવેશ થાય છે. ઈકો ગાડીમાં દિલીપ ઠાકોર, તેમના પત્ની, તેમની માતા, ભાઈ, ભાભી, ભત્રીજો, ચાર બહેનો, કાકા, કાકી, બે પિતરાઈ ભાઈ, બંને પિતરાઈભાઈની પત્ની, પિતરાઈ બહેન અને બે ડ્રાઈવરનો સમાવેશ થાય છે. શાહીબાગ પોલીસ સ્ટેશનમાં જેના વિરૂદ્ધ ફરિયાદ કરવામાં આવી છે તે પૂર્વ અમદાવાદના મોટા જમીન માફિયા છે. બંને વિરુદ્ધ અનેક ફરિયાદ પણ નોંધાવામાં આવી છે. અનેક કિસ્સાઓમાં સમાધાન કરવામાં આવ્યું છે. 


પોલીસે આ અંગે તપાસની શરૂઆત કરી  

અપહરણ શા માટે કરવામાં આવ્યું તેની વાત કરીએ તો જમીનના કાગળોમાં ફરિયાદી અને તેના પરિવારજનો સહી ના કરે તે હેતુથી અપહરણ કરવામાં આવ્યું હતું. પોલીસે આ ઘટનાની જાણ અપહરણનો ગુન્હો નોંધીને પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે. પોલીસ 16 જેટલા લોકોને કોના ફાર્મમાં રાખવામાં આવ્યા હતા અને ફાર્મ હાઉસના માલિક કોણ છે તે અંગે તપાસ કરવામાં આવી રહી છે.  



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.