લાલુ યાદવનો પુત્ર તેજ પ્રતાપ વધુ એકવાર વિવાદમાં સંપડાયો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-09 20:23:47

લાલુ યાદવના પુત્ર અને બિહારના પર્યાવણ મંત્રી તેજ પ્રતાપ યાદવ પોતાના નિવેદનના કારણે વિવાદોમાં રહેતા હોય છે. ત્યારે વધુ એક વખત તે ચર્ચામાં છે. દિલ્હીમાં રાષ્ટ્રીય જનતા દળની કાર્યકારિણીની બેઠક અધવચ્ચેથી છોડી તેઓ બહાર નીકળી ગયા હતા. બહાર નીકળી તેમણે મીડિયા સમક્ષ તેમની પાર્ટીના નેતા શ્યામ રજક પર ગાળો દેવાના આરોપ લગાવ્યા હતા અને શ્યામ રજકને RSS એજન્ટ કહ્યા હતા. 


ફરી એકવાર પાર્ટીનો આંતરિક વિવાદ આવ્યો સામે 

રાષ્ટ્રીય જનદા દળ પાર્ટીની રાષ્ટ્રીય બેઠક નવી દિલ્હીમાં મળી હતી. આ બેઠકમાં તેજપ્રતાપ યાદવ પણ હાજર રહ્યા હતા. પરંતુ ચાલુ બેઠકે તેજપ્રતાપ યાદવ બેઠક છોડીને બહાર આવી ગયા હતા અને મીડિયા સમક્ષ પાર્ટીના નેતા શ્યામ રજક પર આરોપો લાગવ્યા હતા. તેજ પ્રતાપે કહ્યું કે, "મારા PAએ જ્યારે શ્યામ રજકને બેઠકના સમય અંગે પૂછ્યું ત્યારે તેમણે મને મા-બેનની ગાળો આપી હતી મારી પાસે તેનો ઓડિયો છે. હું આ ઓડિયોને મારા સોશિયલ મીડિયા પેજ પરથી શેર કરીશ. આવા ભાજપના માણસને હું સંગઠનની બહાર કરીને રહીશ".


સમગ્ર મામલે શ્યામ રજકે શું પ્રતિક્રિયા આપી?

લાલુ પ્રસાદ યાદવના પુત્ર તેજ પ્રતાપના આક્ષેપ સામે જ્યારે શ્યામ રજકને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે, "મારે આ અંગે કંઈ નથી કહેવું, તેજપ્રતાપ શક્તિશાળી છે, જયારે હું સામાન્ય અનુસૂચિત જાતિનો વ્યક્તિ છું."



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.