'તમે લગ્ન કરો, અમે જાનૈયા બનીશું...સોનિયાજી પણ એવું જ ઈચ્છે છે', પ્રેસ કોન્ફરન્સમાં રાહુલ ગાંધીને લાલુની સલાહ


  • Published By :
  • Published Date : 2023-06-23 19:15:53

બિહારની રાજધાની પટનામાં શુક્રવારે ભાજપ વિરોધી વિરોધ પક્ષોની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં 17 પક્ષોના નેતાઓએ ભાગ લીધો હતો. લાંબા સમય બાદ આરજેડી ચીફ લાલુ યાદવ રાજકીય બેઠકમાં જોવા મળ્યા. બેઠક બાદ તમામ નેતાઓએ પોતાની વાત પત્રકારો સમક્ષ રજુ કરી હતી. આ દરમિયાન આરજેડી પ્રમુખ લાલુ યાદવે પણ પોતાની વાત રજુ કરી હતી. પત્રકારો સાથે વાત કરતા આરજેડી ચીફ લાલુ યાદવે કહ્યું કે આજની બેઠકમાં બધાએ ખુલ્લા મને પોતાના વિચારો વ્યક્ત કર્યા છે અને નક્કી કરવામાં આવ્યું છે કે આગામી બેઠક શિમલામાં યોજાશે અને તેમાં આગળની રણનીતિ નક્કી કરવામાં આવશે. તેમણે વિરોધ પક્ષોને અપીલ કરી કે આપણે એક થઈને લડવું પડશે. આ દરમિયાન લાલુ યાદવે કહ્યું કે હવે હું સંપૂર્ણ રીતે ફિટ છું અને હવે મોદીને સંપૂર્ણ રીતે ફિટ કરવા પડશે. આ દરમિયાન આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવે રાહુલ ગાંધીને લઈને આવું નિવેદન આપ્યું હતું જેની હવે ચર્ચા થઈ રહી છે. લાલુ યાદવે રાહુલ ગાંધીને દાઢી ટ્રીમ કરાવીને લગ્ન કરવાની સલાહ પણ આપી છે. તેમણે કહ્યું કે જો રાહુલ ગાંધી વરરાજા બનશે તો અમે જાનૈયા બની જઈશું. આરજેડી સુપ્રીમોએ કહ્યું કે સોનિયા ગાંધી પણ તેમની વાત પર સહમત છે. લાલુ યાદવે કહ્યું- સોનિયાજી પણ ઈચ્છે છે કે રાહુલ ગાંધી લગ્ન કરે.


લાલુએ રાહુલ ગાંધીને કહ્યું- લગ્ન કરો, અમે જાનૈયા બનીશું


લાલુ યાદવ લાંબા સમય બાદ મૂડમાં જોવા મળ્યા હતા. તે પોતાની શૈલીમાં બોલી રહ્યા હતા. તેમણે વચ્ચે વચ્ચે હળવાશથી વાત પણ કરી રહ્યા હતા. આરજેડી સુપ્રીમો લાલુ યાદવે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને કહ્યું કે હજું પણ સમય પસાર થયો નથી. જલ્દી લગ્ન કરો. લાલુ યાદવે વધુમાં કહ્યું કે જો રાહુલ ગાંધી લગ્ન કરશે તો તેઓ જાનમાં જશે. આ પછી લાલુ યાદવે રાહુલ ગાંધીને કહ્યું કે દાઢી ન વધારો, લગ્ન કરો. લાલુ યાદવે રાહુલ ગાંધીને કહ્યું કે તમારી માતા (સોનિયા ગાંધી) કહેતી હતી કે તે મારી વાત સાંભળતો નથી. તમે લોકો રાહુલના લગ્ન કરાવો. આરજેડી ચીફ લાલુ યાદવે કહ્યું કે રાહુલ ગાંધીએ અદાણીનો મુદ્દો ઉઠાવીને સારું કામ કર્યું છે. અને સારું કામ કરી રહ્યા છે.


આ અગ્રણી નેતાઓ રહ્યા હાજર


બિહારની રાજધાની પટનામાં આજે શુક્રવારે (23 જૂન)ના રોજ 17 વિરોધ પક્ષોની એકતા બેઠક યોજાઈ હતી. આમાં પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી, દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ, પંજાબના સીએમ ભગવંત માન, તમિલનાડુના સીએમ એમકે સ્ટાલિન સહિત અખિલેશ યાદવ, ઉદ્ધવ ઠાકરે, મહેબૂબા મુફ્તી અને 5 રાજ્યોના પૂર્વ સીએમ પણ સામેલ થયા હતા. આ બેઠકમાં રાહુલ ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પણ હાજર રહ્યા હતા. વિપક્ષની સામાન્ય સભામાં કુલ 27 નેતાઓએ ભાગ લીધો હતો.


આગામી બેઠક  12 જુલાઈના રોજ શિમલામાં યોજાશે


વિપક્ષોની આ પાર્ટીની ફરી એક સંયુક્ત બેઠક આગામી 12 જુલાઈના રોજ 'શિમલામાં યોજાશે.   કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આ અંગે  જાહેરાત કરતા કહ્યું કે અમે 12 જુલાઈએ શિમલામાં ફરી બેઠક કરવાના છીએ, જેમાં અમે એક સામાન્ય એજન્ડા તૈયાર કરીશું. આ સાથે સંયોજક તરીકે એક નેતાની પસંદગી કરવામાં આવશે.



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.