લાલુ યાદવને CBIએ પાઠવ્યું સમન, નોકરીના બદલે જમીન કૌભાંડમાં થશે પૂછપરછ


  • Published By :
  • Published Date : 2023-03-06 22:09:25

રાષ્ટ્રિય જનતા દળના રાષ્ટ્રિય અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવ તાજેતરમાં પૂછપરછ થઈ શકે છે. થોડા દિવસ પહેલા જ નોકરીના બદલે જમીન કૌભાંડ કેસમાં થોડા દિવસ પહેલા જ લાલુ યાદવને નોટીસ ફટકારી હતી. હવે સીબીઆઈ આ મામલે લાલુ યાદવની પૂછપરછ કરશે.

 

રાબડી દેવીની થઈ હતી પૂછપરછ


આ પહેલા બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને લાલુ યાદવના પત્ની રાબડી દેવીની તેમના નિવાસસ્થાને સીબીઆઈએ પૂછપરછ કરી હતી. આ પૂછપરછ પાંચ કલાક ચાલી હતી, સીબીઆઈ અધિકારીઓના જણાવ્યા પ્રમાણે રાબડી દેવીએ કોઈ સવાલનો જવાબ આપ્યો નહોતો. નોકરીના બદલે જમીન કૌભાંડમાં લાલુ યાદવની પુત્રી મિસા ભારતી સહિત 14 આરોપીઓ છે. 15 માર્ચે મિસા અને રાબડી દેવીને કોર્ટેમાં હાજર થવાનું કહેવામાં આવ્યું છે.


લાલુ યાદવ સામે આરોપ શું છે?


લાલુ યાદવ જ્યારે 2004થી 2009 દરમિયાન યુપીએ સરકારમાં રેલ્વે મંત્રી હતા ત્યારે રેલવે ભરતી કૌભાંડ થયું હતું. આ કૌંભાડમાં રેલ્વેની નોકરી ઈચ્છતા યુવાનો પાસેથી જમીન અને પ્લોટ લેવામાં આવ્યા હતા. લાલુ યાદવ પર આરોપ છે કે જે જમીન લેવામાં આવી તે રાબડી દેવી અને તેમની પુત્રી મીસા ભારતીના નામ પર લેવામાં આવી હતી. આ મામલે સીબીઆઈએ વિજય સિંગલા સહિત 10 વિરૂધ્ધ FIR નોંધવામાં આવી છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.