Ayodhya Ram Mandirના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં હાજરી આપશે Lal Krishna Advani - VHPનો દાવો, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-01-11 10:35:38

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. પ્રાણ પ્રતિષ્ઠામાં સામેલ થવા મોટી મોટી હસ્તીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. એક તરફ કોંગ્રેસના નેતાઓએ આમંત્રણનો અસ્વીકાર કર્યો છે તો બીજી તરફ એવી વાત સામે આવી છે કે ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી 22 જાન્યુઆરીએ આયોજીત કાર્યક્રમમાં સામેલ થઈ શકે છે. મીડિયા રિપોર્ટ અનુસાર વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય  કાર્યકારી અધ્યક્ષ આલોક કુમારે આ અંગેની માહિતી આપતા જણાવ્યું હતું કે લાલકુષ્ણ અડવાણી આ કાર્યક્રમમાં હાજરી આપશે.       

વિવાદો પછી લાલકૃષ્ણ અડવાણીને અયોધ્યાનું આમંત્રણ આપવામાં આવ્યું હતું.


વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પણ આપવામાં આવ્યું હતું આમંત્રણ

22 જાન્યુઆરીએ રામ લલ્લા ભવ્ય રામ મંદિરમાં બિરાજમાન થવાના છે. અનેક દાયકાઓથી આ ક્ષણની રાહ ભગવાન રામના ભક્તો જોઈ રહ્યા હતા. આમંત્રણને લઈ રાજકારણ ચાલી રહ્યું છે. લાલકૃષ્ણ અડવાણી આ કાર્યક્રમમાં હાજર રહેશે કે નહીં તે અંગે અસમંજસ હતી. ચર્ચાઓ ચાલી રહી હતી કે રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠામાં હાજર રહેશે કે નહીં કારણ કે રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા એવી માહિતી આપવામાં આવી કે રામકૃષ્ણ અડવાણી તેમજ મુરલી મનોહર જોષીને આમંત્રણ આપવામાં આવ્યું છે. આમંત્રણની સાથે સાથે તેમની ઉંમરને ધ્યાનમાં રાખતા તેમને ના આવવા વિનંતી પણ કરી છે અને તેનો સ્વીકાર બંને નેતાઓએ કર્યો છે. આ બાદ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પણ તેમને આમંત્રણ આપવામાં આવ્યું. 



આલોક કુમારે આપી આ અંગેની માહિતી 

એવું લાગતું હતું કે લાલ કૃષ્ણ અડવાણી આ કાર્યક્રમમાં સામેલ કદાચ નહીં થાય પરંતુ હવે એવી માહિતી સામે આવી છે કે આ કાર્યક્રમમાં લાલ કૃષ્ણ અડવાણી સામેલ થવાના છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ આલોક કુમારે આ માહિતી આપી છે. મળતી માહિતી અનુસાર સમગ્ર કાર્યક્રમ દરમિયાન તો તે ઉપસ્થિત નહીં રહે પરંતુ થોડા સમય માટે તે હાજરી આપી શકે છે. ત્યારે જોવું રહ્યું કે આ કાર્યક્રમમાં લાલકૃષ્ણ અડવાણી હાજર રહે છે કે નહીં..        



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.