અમદાવાદના નરોડામાં કન્સ્ટ્રક્શન સાઈટ પર માટી ધસી પડતા ત્રણ શ્રમિકોના મોત, પોલીસે હાથધરી કાર્યવાહી


  • Published By :
  • Published Date : 2023-09-10 14:07:25

અમદાવાદના નરોડા વિસ્તારમાં એક ભયાનક દુર્ઘટનામાં ત્રણ શ્રમિકોના મોત નિપજ્યા છે. નરોડામાં આવેલી ફોર્ચ્યુન કન્સ્ટ્રક્શન સાઈટ પર માટી ધસી પડતા 1 મહિલા સહિત 3 શ્રમિકના મોત નીપજ્યા. છે. રિંગ રોડ પર આવેલી ફોર્ચ્યુન એમ્પાયર બાંધકામ સાઇટ પર ગઇકાલે રાત્રે પડેલા વરસાદને કારણે માટી ધસી પડી હોવાનું હાલ પ્રાથમિક અનુમાન છે. નરોડાની ફોર્ચ્યુન એમ્પાયર બાંધકામ સાઇટ પર આ દુર્ઘટના ઘટી હતી. બાંધકામ કરતી વખતે માટી ધસી પડતા શ્રમિકો દટાયા હતા. જેમા સારવાર દરમિયાન ત્રણેય શ્રમિકોના મોત નીપજ્યા છે. મૃત્યુ પામેલા ત્રણેય શ્રમિકો રાજસ્થાનના ડુંગરપુરના રહેવાસી હતા. આ ઘટનાને પગલે પોલીસ પણ દોડી આવી હતી. 


પોલીસે ઘટના અંગે કાર્યવાહી શરૂ કરી


નરોડાની ફોર્ચ્યુન એમ્પાયર બાંધકામ સાઇટ પર કામ કરતા અન્ય મજુરોએ ઘટનાની જાણ કરતા પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી.  પોલીસના જણાવ્યા પ્રમાણે દુર્ઘટનાને પગલે ઘટનાસ્થળ પર દોડાદોડી મચી ગઈ હતી. અન્ય મજૂરોએ તેમનુ કામ અટકાવી દઈ માટી નીચે દટાયેલા શ્રમીકોને બચાવવાના પ્રયાસ કર્યા હતા. જો કે ગૂંગળાઈ જવાને કારણે ત્રણ શ્રમિકના મોત નિપજ્યા હતા. પોલીસે ઘટના અંગે કાર્યવાહી શરૂ કરી છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.