સુરતના કામરેજમાં La Pinoz Pizza રેસ્ટોરન્ટના પીઝામાંથી વંદો નીકળતા હોબાળો, VIDEO વાયરલ


  • Published By :
  • Published Date : 2023-10-16 21:09:22

જો  તમે મોંઘીદાટ રેસ્ટોરન્ટમાં પીઝા ખાવાના શોખિન છો તો તમારે હવેથી તે પીઝા ખાતા પહેલા બે વખત વિચારવું પડશે. આજકાલ યુવાનો ઘર કરતા બહારનું ખાવાનું વધુ પસંદ કરે છે પરતું આ પીઝા સ્વાસ્થ્ય માટે ઘણીવાર હાનિકારક બની રહે છે. સુરતના કામરેજ વિસ્તારના લા પીનોઝ પિઝામાં ગ્રાહકે પિઝાનો ઓર્ડર કર્યો તેમાથી વંદો મળી આવ્યો હતો. ત્યાર બાદ ગ્રાહકે રેસ્ટોરન્ટ સંચાલક સહિત સ્ટાફનો ઉધડો લઇ લીધો હતો. બ્રાન્ડેડ પીઝાનાં નામે ગ્રાહકો પાસેથી બેફામ પૈસા વસુલતા રેસ્ટોરન્ટમાં લોકોનાં આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. હાલમાં આ કિસ્સાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.


શું છે સમગ્ર મામલો?


સુરત જિલ્લાન ઓલપાડ તાલુકાના મોરથાણ ગામના કૌશિક દેસાઈ આજ રોજ પોતાની પત્ની સાથે કામરેજ ખાતે હોસ્પિટલમાં આવ્યા હતા. જોકે ભૂખ લાગતા નજીકમાં આવેલી લા પીનોઝ નામની પિઝાની રેસ્ટોરન્ટમાં ગયા હતા અને ત્યાં પિઝા ઓર્ડર કર્યો હતો. જોકે, ગ્રાહકને આપવામાં આવેલા પિઝામાં મરેલો વંદો નીકળતા ગ્રાહકે પિઝા રેસ્ટોરન્ટના સંચાલકને અને સ્ટાફને ફરિયાદ કરી હતી અને તમામનો ઉધડો લઇ નાખ્યો હતો. ગ્રાહકે ત્યારબાદ આખી ઘટનાનો વીડિયો બનાવી તેને સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો હતો.


અગાઉ અમદાવાદમાં પણ સામે આવી હતી આવી ઘટનાઓ


ઉલ્લેખનિય છે કે થોડા સમય અગાઉ અમદાવાદમાં જોધપુરનાં પિઝા સેન્ટરમાં પિઝામાંથી જીવાત નીકળતા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. ગ્રાહક દ્વારા સ્વિગી પર ઓર્ડર કરેલા પિઝા બોક્સમાંથી વંદો નીકળ્યો હતો.  આ અગાઉ પર બોપલ અને એલિસબ્રિજ ખાતે પણ પિઝામાંથી જીવાત નીકળી હતી. તો ગત સપ્તાહે એલિસબ્રિજનાં લાપીનોઝનાં પિઝામાંથી જીવાત નીકળી હતી. પીઝામાંથી જીવાત નીકળતાં ગ્રાહક દ્વારા આ અંગે AMCનાં આરોગ્ય વિભાગને જાણ કરી હતી. .



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!