વિદેશ જતા વિદ્યાર્થીના હિતમાં કુમાર કાનાણીએ CM ભૂપેન્દ્ર પટેલને લખ્યો પત્ર, જાણો શું માગ કરી


  • Published By :
  • Published Date : 2023-01-18 13:22:19

ભાજપના નેતા અને સુરતના વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ વિદેશ જતા વિદ્યાર્થીના હિતમાં મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે. કુમાર કાનાણીએ વિદ્યાર્થીઓને પડતી આર્થિક મુશ્કેલીઓ સંદર્ભે એક પત્ર લખી તેમની સમસ્યાઓનો સત્વરે નિકાલ કરવાની વિનંતી કરી છે.


કુમાર કાનાણીએ પત્રમાં શું લખ્યું?


વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીને અવારનવાર વિદ્યાર્થીઓ અને તમના વાલીઓ ફરિયાદ કરતા હતા. રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓને વિદેશ જવા માટે મળતી આર્થિક સહાય છ-છ મહિના પછી પણ મળતી નથી. કુમાર કાનાણીએ વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓના કારણે અંતે મુખ્યમંત્રીને પત્ર લખી આ મુદ્દે ધ્યાન દોર્યું છે. કુમાર કાનાણીએ તેમના પત્રમાં CM ભૂપેન્દ્ર પટેલને વિદેશ ભણવા જતા વિદ્યાર્થીઓને સમયસર લોન આપવાની માંગ કરી છે. તે ઉપરાંત કાનાણીએ ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ સામે પણ સવાલ ઉઠાવ્યા છે અને મુખ્યમંત્રીને નિગમની કામગીરી સુધારવા માટે અપિલ કરી છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.