વિદેશ જતા વિદ્યાર્થીના હિતમાં કુમાર કાનાણીએ CM ભૂપેન્દ્ર પટેલને લખ્યો પત્ર, જાણો શું માગ કરી


  • Published By :
  • Published Date : 2023-01-18 13:22:19

ભાજપના નેતા અને સુરતના વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ વિદેશ જતા વિદ્યાર્થીના હિતમાં મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે. કુમાર કાનાણીએ વિદ્યાર્થીઓને પડતી આર્થિક મુશ્કેલીઓ સંદર્ભે એક પત્ર લખી તેમની સમસ્યાઓનો સત્વરે નિકાલ કરવાની વિનંતી કરી છે.


કુમાર કાનાણીએ પત્રમાં શું લખ્યું?


વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીને અવારનવાર વિદ્યાર્થીઓ અને તમના વાલીઓ ફરિયાદ કરતા હતા. રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓને વિદેશ જવા માટે મળતી આર્થિક સહાય છ-છ મહિના પછી પણ મળતી નથી. કુમાર કાનાણીએ વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓના કારણે અંતે મુખ્યમંત્રીને પત્ર લખી આ મુદ્દે ધ્યાન દોર્યું છે. કુમાર કાનાણીએ તેમના પત્રમાં CM ભૂપેન્દ્ર પટેલને વિદેશ ભણવા જતા વિદ્યાર્થીઓને સમયસર લોન આપવાની માંગ કરી છે. તે ઉપરાંત કાનાણીએ ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ સામે પણ સવાલ ઉઠાવ્યા છે અને મુખ્યમંત્રીને નિગમની કામગીરી સુધારવા માટે અપિલ કરી છે.



આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.

જમાવટ પર અમદાવાદાના કુબેરનગર વિસ્તારના કોર્પોરેટર ઉર્મિલાબેનનો મેસેજ આવ્યો. એ વીડિયોમાં શું હતું તો આંગણવાડી છે બાળકો છે. બહેનો છે જે બાળકોને ભણાવે પણ જે સ્થળ છે એની સ્થિતિ અત્યંત દયનીય છે. ઉત્તર ઝોન મ્યુનિસિપલ કોપોરેટર જે 27 માર્ચે રામેશ્વર બ્રિજ નીચે આંગણવાડીની મુલાકાત લેવા માટે ગયા હતા.ત્યાં જઈને જોયું તો આશ્ચર્ય ચકિત થઈ ગયા. આંગણવાડીનું મકાન જર્જરિત હાલતમાં છે. પાણીની વ્યવસ્થા નથી. ટોયલેટ બાથરુમ જે બેઝિક જરુરિયાત છે એ નથી. બાળકો બહુ જ તકલીફોમાં ભણી રહ્યાં છે.