ભાજપના MLA કુમાર કાનાણીનો લેટર બોંબ, સુરત મ્યુનિસિપલ કમિશ્નરને પત્ર લખી આપી આ ગર્ભિત ચીમકી


  • Published By :
  • Published Date : 2023-01-28 21:11:46

ભાજપના અગ્રણી નેતા અને સુરતની વરાછા રોડ વિધાનસભા સીટના ધારાસભ્ય કુમાર કાનાણીએ ફરી એક લેટર બોંબ ફોડ્યો છે. તેમણે સુરતમાં જોવા મળતી ગંદકી, દુર્ગંધ અને મરછરજન્ય રોગોના મુદ્દે સુરત મ્યુનિસિપલ કમિશ્નરને પત્ર લખ્યો છે. ધારાસભ્ય કુમાર કાનાણીના આ પત્રથી રાજકીય હડકંપ મચી ગયો છે. 


કાનાણીએ શું પત્રમાં શું ફરિયાદ કરી?


ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીએ સુરત મ્યુનિસિપલ કમિશ્નરને પત્ર લખ્યો છે. તેમણે પત્રમાં જણાવ્યું છે કે, મારા વિસ્તારમાં આવેલ ખાડીના કિનારા પર અસંખ્ય સોસાયટીના લોકો મચ્છર, ગંદકી તેમજ દુર્ગંધના ત્રાસથી ત્રાહિમામ પોકારી ગયા છે, વર્ષોથી આ પ્રશ્ન બાબતે વારંવાર રજૂઆતો કરતા આવ્યા છે અને વહીવટી તંત્ર દ્વારા કોઈ કામગીરીનો રિપોર્ટ પણ આપવામાં આવતો નથી. કામની સમીક્ષા પણ કરવામાં આવતી નથી અને મને ફોન પર ફક્ત જવાબ આપી દેવામાં આવે છે કે કામ થઈ જશે. કુમાર કાનાણીએ કમિશ્નરને પત્રના માધ્યમથી ગર્ભીત ચિમકી આપતા કહ્યું છે કે જો આ સમસ્યા હલ નહી થાય તો લોકો જન આંદોલન કરશે અને ત્યારે ન છૂટકે મારે પણ આ જન આંદોલનમાં જોડાવું પડશે જેની ખાસ નોંધ લેશો.


સુરતની વાસ્તવિક સ્થિતી શું છે?


દેશના સૌથી ક્લીન સિટીનો એવોર્ડ સતત ત્રીજા વર્ષે સુરતે જીત્યો હતો. 40 લાખથી વધુની વસ્તી ધરાવતા આ શહેરની ખાડી વિસ્તારની અસંખ્ય સોસાયટીઓમાં ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે. જેના લીધે મચ્છરો અને ગંદકીના કારણે ફેલાઈ રહેલી દુર્ગંધથી લોકો પરેશાન થઈ ગયાં છે. અનેક રજૂઆતો કર્યા બાદ પણ આ ગંદકીની સમસ્યાનો કોઈ નિકાલ આવ્યો નથી. જેથી સ્થાનિકો દ્વારા વરાછાના ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીને રજૂઆત કરવામાં આવતા તેમણે તંત્રને ખુલ્લો પત્ર લખી આંદોલનની ચીમકી આપી છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.