Anand : ક્ષત્રિય સમાજના લોકોના મત બાજી ફેરવી શકે છે? શું Amit Chavdaને ફાયદો થશે? સમજો ત્યાંના સમીકરણોને


  • Published By :
  • Published Date : 2024-05-09 18:21:20

ગુજરાતમાં પરષોત્તમ રૂપાલાના નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળ્યો હતો. ભાજપ વિરૂદ્ધ મતદાન કરવાની વાત તેમના દ્વારા કરવામાં આવી. અનેક વખત એવા વીડિયો પણ સામે આવ્યા જેમાં તે ભાજપને વોટ ન કરવાની પ્રતિજ્ઞા લેતા હોય. શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી પૂર્ણ થઈ અને ક્યાં કેટલું મતદાન થયું તેના ડેટા પણ સામે આવ્યા. આણંદ લોકસભા બેઠકની વાત આજે કરવી છે.. આ વિસ્તારમાં મોટા પ્રમાણમાં ક્ષત્રિય સમાજના મતદારો રહે છે.. ભારતીય જનતા પાર્ટીએ મિતેશ પટેલને ઉમેદવાર જાહેર કર્યા હતા જ્યારે ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત અમિત ચાવડાને ટિકીટ આપવામાં આવી હતી. 

આ વખતે 26-0 થવું અઘરૂં છે - વરિષ્ઠ પત્રકારોનો મત 

આપણા રાજ્યમાં સાતમી તારીખે મતદાન પૂર્ણ થયું.. ક્યાં કેટલું મતદાન થયું તેનો આંકડો ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. ઓવરઓલ 60 ટકા મતદાન થયું છે, વલસાડ બેઠક પર સૌથી વધારે મતદાન થયું છે. એવું કહીએ જ્યાં જ્યાં ધારાસભ્યોએ ચૂંટણી લડી ત્યાં મતદાનના પ્રમાણમાં પણ વધારો છે. ચૂંટણી પૂર્ણ થયા બાદ જ્યારે અનેક પત્રકારો સાથે ટીમે વાત કરી ત્યારે તેમનું કહેવું હતું કે આ વખતે 26-0 થવું અઘરૂં છે.. અનેક એવી બેઠકો છે જ્યાં બીજેપીને સારી એવી ટક્કર જોવા મળી શકે છે. ક્ષત્રિય સમાજના આંદોલનની સૌથી વધારે અસર જો જોવા મળી હોય તો તે આણંદ લોકસભા બેઠક છે..     

 


ક્ષત્રિય સમાજના મતદાતાઓ કરી શકે છે મોટી અસર   

આંકલાવની આસપાસના વિસ્તારોમાં સૌથી વધારે મતદાન થયું છે.. આણંદના જાતિગત સમીકરણોની વાત કરીએ તો 8 લાખથી વધારે ક્ષત્રિય સમાજના લોકો વસે છે 4 લાખ જેટના પાટીદાર લોકો વસે છે 3 લાખ જેટલા મુસ્લિમ મતદારો છે. લગભગ 41 ટકા હિસ્સો ક્ષત્રિય સમાજના લોકો વસે છે.. ગામડાઓના લોકોએ સારા પ્રમાણમાં મતદાન કર્યું છે. શહેરી વિસ્તારના લોકોએ મતદાન કરવામાં નિરસતા દર્શાવી છે તેવી વાત સામે આવી છે.. ત્યારે ક્ષત્રિય સમાજના મતદાતાઓનો વોટ ઉમેદવારની જીતમાં મોટી અસર કરી શકે છે.. ત્યારે જોવું રહ્યું કે કયા ઉમેદવારની જીત થાય છે...  



આજના સમયમાં સોશ્યિલ મીડિયાનું ઘેલું લોકોને કેટલું લાગ્યું છે તે આ કિસ્સા પરથી ખબર પડશે . યુવક પોતાના ઓછા ઇન્સ્ટાગ્રામ ફોલોવર્સ સાથે ખુબ નિરાશ હતો . આ કારણ હતું કે તેણે ઝેર પીને આપઘાતનો પ્રયાસ કર્યો.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયથી દુનિયાભરના શેરમાર્કેટમાં ગિરાવટ આવી છે સાથે જ યુરોપના નાનકડા દેશ લક્ઝમબર્ગમાં યુરોપીઅન યુનિયનના બધા જ નાણાં મંત્રીઓની બેઠક બોલાવવામાં આવી હતી . આ બાજુ કેનેડામાં ૨૮મી એપ્રિલના રોજ ત્યાં ફેડરલ ઈલેક્શન છે તેમાં વર્તમાન પીએમ માર્ક કારની તમામ સર્વેમાં આગળ ચાલી રહ્યા છે.

રાજકોટમાં શાસ્ત્રીનગર પાસે પોલીસ લખેલી કાર અને બાઈક રસ્તા પર જઈ રહ્યાં હતા. બાઈક સવાર આગળ હતો અને પોલીસ લખેલી કાર પાછળ હતી. ફુલ નશાની હાલતમાં હતો પોલીસ કોન્સ્ટેબલ અને એટલે કાર બાઈક સાથે ટકરાઈ. શાસ્ત્રીનગર પાસે નાના મવા રોડ પર યુવકના બાઈક સાથે કાર ટકરાઈ એટલે એણે એવું કહ્યું કે ધ્યાનથી ગાડી ચલાવો. તો પોલીસ કોન્સ્ટેબલનો પિત્તો ગયો. એમણે લાકડી હાથમાં લીધી અને અને યુવકો પર કરી દીધો હુમલો.

અમદાવાદમાં સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજની સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સામાન્ય સભામાં ગુજરાતના પ્રમુખ તરીકે બ્રહ્મ સમાજના પીઢ આગેવાન શૈલેષ ઠાકરની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે.