કૃષ્ણ જન્માષ્ટમી: દ્વારકામાં દિવાળી જેવો માહોલ, જગતમંદિર રંગબેરંગી રોશનીથી ઝળહળી ઉઠ્યું


  • Published By :
  • Published Date : 2023-09-06 20:12:09

દ્વારકામાં આવેલા જગપ્રસિધ્ધ જગતમંદિરમાં કૃષ્ણ જન્મને લઈને તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. મંદિર ટ્રસ્ટ અને યુવાનો તૈયારીઓને આખરી ઓપ આપવામાં લાગ્યા છે. રાજ્ય અને દેશના વિવિધ ભાગોમાંથી શ્રદ્ધાળુઓ વ્હાલાના વધામણા કરવા માટે આવી રહ્યા છે. મંદિરને લાઈટ, આસોપાલવ, કેળ અને વાંસના તોરણોથી શણગારવામાં આવી રહ્યું છે. આખા ગામમાં 100થી વધુ મટકીઓ બાંધવામાં આવી છે. જન્માષ્ટમીની સવારે યુવાનો ગામમાં ભવ્ય શોભાયાત્રા કાઢશે, જેમાં હજારો લોકો જોડાશે.મંદિરે આવતા ભક્તોને કોઈ તકલીફ ન પડે તેવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આવતીકાલે કાળીયા ઠાકોરના ધામ દ્વારકામાં અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે દ્વારકાધીશ મંદિર પરિસર તેમજ આસપાસના વિસ્તારોને સુંદર રોશની વડે સુશોભિત કરવામાં આવ્યા છે.


દ્વારકાધીશનો 5250માં જન્મોત્સવ


દ્વારકામાં હાલ દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. જગત મંદિરમાં કૃષ્ણજન્મનો ઉત્સવ ઉજવાશે. જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો કૃષ્ણ જન્મોત્સવમાં જોડાશે. ભગવાન દ્વારકાધીશના 5250માં જન્મોત્સવ નિમિત્તે આવતીકાલે કાળીયા ઠાકોરના ધામ દ્વારકામાં અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જન્માષ્ટમીને લઈ દ્વારિકાધીશના નવા વસ્ત્રો તૈયાર કરવામાં આવ્યા છે. આ વખતે ઠાકોરજીને કેસરિયા વાઘા પહેરાવવામાં આવશે. આ સાથે જ કાળીયા ઠાકરને રત્નજડિત આભૂષણ ચઢાવાશે. સોના-ચાંદીના તારથી ભરતકામ કરાયેલા વસ્ત્રો પણ કાળિયા ઠાકરને અર્પણ કરાશે. આ વસ્ત્રનું ભરતકામ કોલકાતા, સુરત અને રાજકોટમાં કરવામાં આવ્યું છે. 


આ પ્રમાણે છે જગત મંદિરનો સમગ્ર કાર્યક્રમ?


દ્વારકામાં જન્માષ્ટમી નિમિત્તે આવતીકાલે ગુરુવારે જગત મંદિર ખાતે સવારે 6 વાગ્યે મંગળા આરતી થશે, જે બાદ 8 વાગ્યે શ્રીજીના ખુલ્લા પડદે સ્નાન દર્શન (અભિષેક), 10 વાગ્યે સ્નાનભોગ (દર્શન બંધ), 10:30 કલાકે શૃંગાર ભોગ (દર્શન બંધ), 11 વાગ્યે શૃંગાર આરતી, 11:15 કલાકે ગ્વાલ ભોગ (દર્શન બંધ) 12 વાગ્યે રાજભોગ (દર્શન બંધ) અને બપોરે 1 થી 5 વાગ્યા સુધી અનોસર (દર્શન બંધ) રહેશે. જે બાદ સાંજે 5 વાગ્યે ઉત્થાપન બાદ સાડા 5 થી પોણા 6 વાગ્યા સુધી ઉત્થાપન ભોગ, 7:30 વાગ્યે સંધ્યા ભોગ, 7:45 કલાકે સંધ્યા આરતી દર્શન તેમજ સાડા 8 વાગ્યે શયન આરતી દર્શન પછી રાતે 9 કલાકે શયન (અનોસર) રહેશે.ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવને વધાવવા માટે રાતે 12 કલાકે આરતીના ભવ્ય દર્શન થશે. જે બાદ રાતે અઢી વાગ્યે શ્રીજી શયન (દર્શન બંધ) થશે. આ માટે મંદિર સમિતિ તેમજ પોલીસ તંત્ર દ્વારા જરૂરી જહેમત ઉઠાવવામાં આવી રહી છે.



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!