ઉત્તર કોરિયાએ કટ્ટર શત્રુ દેશ દક્ષિણ કોરિયાની સરહદે 180 યુધ્ધ વિમાનો મોકલ્યા


  • Published By :
  • Published Date : 2022-11-04 18:26:50


રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુધ્ધના કારણે વિશ્વમાં મોંઘવારી અને ક્રુડ ઓઈલના ભાવ આસમાને પહોંચી છે. જો કે હવે બીજા એક યુધ્ધના ભણકારા વાગી રહ્યા છે. ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા યુધ્ધની નજીક પહોંચી ગયા છે. દક્ષિણ કોરિયાની સેનાએ કહ્યું કે ઉત્તર કોરિયાએ તેના લગભગ 180 વિમાન રવાના કર્યા છે. સંભવીત હુમલાનાની આશંકા વચ્ચે દક્ષિણ કોરિયાએ પણ તેના ફાઈટર વિમાનો તૈનાત કરી દીધા છે.


શા માટે કિમ જોંગ ઉન આક્રમક બન્યા?


દક્ષિણ કોરિયા તેના મિત્ર દેશ અમેરિકા સાથે એક યુધ્ધ કવાયતમાં ભાગ લઈ રહ્યું છે. વિજિલેંટ સ્ટોર્મ એરફોર્સ યુધ્ધ અભ્યાસથી ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન ઘણા નારાજ છે. અત્રે ઉલ્લેખનિય છે કે કિમ જોગ ઉને આ યુધ્ધ  કવાયતમાં ન જોડાવા માટે દક્ષિણ કોરિયાને ચેતવણી આપી હતી. જો કે દક્ષિણ કોરિયા તે ચેતવણી ફગાવી નાખતા કિમ જોંગ ઉન આક્રમક બન્યા છે. 


કિમ જોંગ ઉને છેલ્લા 3 દિવસમાં 80 મિસાઈલો છોડ્યા


દક્ષિણ કોરિયા તેના મિત્ર દેશ અમેરિકા સાથે યુધ્ધાભ્યાસ કરી રહ્યા છે. આ યુધ્ધ કવાયતનો ઉત્તર કોરિયા વિરોધ કરી રહ્યું છે. કિમ  જોંગ ઉને છેલ્લા 3 દિવસમાં લગભગ 80 મિસાઈલો છોડ્યા છે. જેના કારણે દક્ષિણ કોરિયા અને જાપાનમાં ચિંતાનો માહોલ છે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.