અરવિંદ કેજરીવાલની હાજરીમાં કોળી સમાજના આગેવાન રાજુ સોલંકી જોડાયા AAPમાં


  • Published By :
  • Published Date : 2022-10-30 15:02:51

ગુજરાતમાં આ વખતે આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવારોને ચૂંટણી મેદાનમાં ઉતારી રહ્યા છે. આપ પૂરજોશમાં ચૂંટણી પ્રચારમાં લાગી ગઈ છે. અરવિંદ કેજરીવાલ હાલ ગુજરાતના પ્રવાસે છે. તેમના પ્રવાસ દરમિયાન અનેક નેતાઓ આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. ત્યારે કોળી સમાજના આગેવાન રાજુભાઈ સોલંકી અને તેમના પુત્ર બ્રિજરાજ સોલંકી આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.

ખેસ પહેરાવી અરવિંદ કેજરીવાલે કર્યું સ્વાગત 

કોળી સમાજના આગેવાનનું સ્વાગત અરવિંદ કેજરીવાલે AAPનો ખેસ પહેરાવી કર્યું હતું. જ્યારે તેમના પુત્ર બ્રિજરાજ સોલંકીનું સ્વાગત ભગવંત માને કર્યું હતું. પોતાના સંબોધનમાં અરવિંદ કેજરીવાલે કહ્યું કે આમ આદમી પાર્ટીની લોકપ્રિયતા વધી રહી છે. સમાજના પ્રખ્યાત તથા લોકોની સતત સેવા કરતા હોય તેવા દિગ્ગજ નેતાઓ આપમાં જોડાઈ રહ્યા છે. એવું લાગી રહ્યું છે કે જનતાને અમારા પર વિશ્વાસ છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.