‘ટૉવર ઑફ લંડન’ના પ્રદર્શનમાં મૂકાયો કોહિનુર હીરો! કોહિનુર માટે ભારત દ્વારા કરાતા દાવા અંગે રોયલ ફેમિલીના પ્રદર્શનમાં સ્વીકારાયું! લખાયું કે..


  • Published By :
  • Published Date : 2023-06-03 18:42:34

આપણે જ્યારે કોહિનુર હીરાની વાત કરીએ તો આપણને એક જ વસ્તુ યાદ આવે કે અંગ્રેજો બળજબરીથી કોહિનુરને પોતાની સાથે લઈ ગયા હતા. આ વાતને લઈ અનેક વખત ચર્ચા પણ થઈ હતી પરંતુ હવે આ વાતનો સ્વીકાર કરવામાં આવ્યો છે. બ્રિટનના ટાવર ઓફ લંડનના એક્ઝિબિશનમાં આ વાત કહેવામાં આવી છે. પ્રદર્શનમાં કહેવામાં આવ્યું છે કે ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ કોહિનૂર હીરો ભારતમાંથી લઈ ગયા હતા. મહારાજા દિલીપ સિંહને આ હીરો આપવા માટે મજબુર કરવામાં આવ્યા હતા. 1849માં અંગ્રેજોએ દિલીપ સિંહ પાસેથી લાહોર છીનવી લીધું હતું. અને લાહોર સંધી હેઠળ દિલીપ સિંહ સમક્ષ કોહિનુર હીરો સોંપવાની શરત મૂકવામાં આવી હતી.  


ટાવર ઓફ લંડનમાં કરાયું કોહિનુર હીરાનું પ્રદર્શન!

બ્રિટનના રાણી એલિઝાબેથના તાજ પર ભારતનો કોહિનુર હીરો આજે પણ જોવા મળે છે. ભારત દ્વારા કોહિનુરને લઈ દાવા કરવામાં આવે છે. ભારત પરત લાવવા સરકાર દ્વારા પ્રયાસ પણ કરવામાં આવી રહ્યા છે. ત્યારે ટાવર ઓફ લંડનમાં એક પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું  હતું. આ પ્રદર્શનીમાં અનેક કિંમતી હીરાઓ તેમજ ઝવેરાતોને રાખવામાં આવ્યા હતા. પરંતુ સૌથી વધારે ધ્યાન કોહિનુર હીરા માટે લખવામાં આવેલા લખાણે ખેંચ્યું હતું. 



દિલીપ સિંહ સમક્ષ મૂકાઈ હતી કોહિનુર હીરો સોંપવાની શરત! 

કોહિનુર હીરાને લઈ કરવામાં આવેલા લખાણમાં જાણે ભારત જે દાવો કરી રહ્યું છે તેને સાચો સાબિત કરી રહ્યું છે. પ્રદર્શનમાં કહેવામાં આવ્યું છે કે ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ કોહિનૂર હીરો ભારતમાંથી લઈ ગયા હતા. મહારાજા દિલીપ સિંહને આ હીરો આપવા માટે મજબુર કરવામાં આવ્યા હતા. 1849માં અંગ્રેજોએ દિલીપ સિંહ પાસેથી લાહોર છીનવી લીધું હતું. અને લાહોર સંધી હેઠળ દિલીપ સિંહ સમક્ષ કોહિનુર હીરો સોંપવાની શરત મૂકવામાં આવી હતી. મહત્વનું છે કે આ લખાણ બકિંગહામ પેલેસના રોયલ કલેક્શન ટ્ર્સ્ટની મંજૂરી લીધા બાદ જ લખવામાં આવ્યું હશે. આ પ્રદર્શનમાં અનેક વીડિયો તેમજ પ્રેઝેન્ટેશન બતાવવામાં આવ્યા હતા જેમાં કોહિનુર હીરાનો ઈતિહાસ બતાવવામાં આવ્યો હતો.         

 


'વિજય પ્રતીક' તરીકે મૂકવામાં આવ્યો છે કોહિનુર! 

પ્રદર્શનીમાં જે ફિલ્મ બતાવવામાં આવી તેમાં કોહિનુરનો ઈતિહાસ પણ દર્શાવવામાં આવ્યો. સમગ્ર ઈતિહાસ ગ્રાફિકના મેપની મદદથી બતાવવામાં આવ્યો છે. પ્રવક્તાએ કહ્યું કે, ‘આ વિજયના પ્રતીક તરીકે પોતાના લાંબા ઈતિહાસને સંદર્ભિત કરે છે, જે મુગલ સમ્રાટો, ઈરાનના શાહો, અફઘાનિસ્તાનના અમીરો અને શીખ મહારાજાઓના હાથોમાંથી પસાર થયો છે. અમે તેને પ્રદર્શનીમાં રાખતા પહેલા વ્યાપક શોધ તેમજ સ્થાનીક લોકો, સામુદાયિક સમૂહો અને વિશેષજ્ઞ શિક્ષાવિદો સાથે પરામર્શ કર્યું.’તેના લેબલ પર લખ્યું છે, ‘લાહોરની 1849ની સંધિથી 10 વર્ષીય મહારાજા દિલીપ સિંહ પંજાબના નિયંત્રણ સાથે-સાથે હીરાને રાણી વિક્ટોરિયાને સોંપવા માટે મજબૂર થયા. 


ગ્રાફિક્સ દ્વારા બતાવવામાં આવ્યો છે કોહિનુરનો ઈતિહાસ!

વિજયના પ્રતીક તરીકે પ્રદર્શનમાં મૂકવામાં આવ્યો હતો. કોહિનુરને ગોલકુંડાની ખાણમાંથી કાઢવામાં આવ્યો છે તેવી માહિતી ગ્રાફિક્સમાં બતાવવામાં આવી છે. તે બાદ મહારાજા દિલીપ સિંહ એક તસવીરમાં તેને ઈસ્ટ ઈન્ડિયા કંપનીને સોંપતા દેખાય છે. બીજી એક તસવીર શેર કરવામાં આવી હતી જેમાં કોહિનુર બ્રિટનની રાણીના તાજમાં જોવા મળે છે. આ પ્રદર્શન કિંગ ચાર્લ્સના રાજ્યાભિષેક વખતે લંડનના ટાવરમાં યોજાયો હતો.   


વિવાદોમાં ઘેરાયેલો છે કોહિનુર હીરાનો ઈતિહાસ!

કોહિનુર હીરાને લઈ અલગ અલગ દેશોએ પોતાનો હોવાનો દાવો કર્યો છે. કોહિનુર હીરાનો ઈતિહાસ પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને ઈરાન સાથે જોડાયેલો હોવાનું માનવામાં આવી રહ્યું છે. કોહિનુર અંગે જે માહિતી મળી રહી છે તે પ્રમાણે મુગલ રાજા મોહમ્મદ શાહ રંગીલા પાસેથી હીરો ફારસના રાજા નાદિર પાસે આવ્યો હતો. તે બાદ બળજબરીથી અફઘાની હુમલાખોર અહેમદ શાહે નાદિર પાસેથી છીનવી લીધો હતો. તે બાદ તે હીરો મહારાણા રણજીત સિંહે અફઘાનિસ્તાનના અમીર શાહ પાસેથી હીરો મેળવ્યો હતો. તે બાદ ઈસ્ટ ઈન્ડિયા કંપનીના લોર્ડ ડલહોજી અને મહારાણા દિલીપ સિંહ વચ્ચે સમજૂતી થઈ હતી અને કોહિનુર હીરાને સમજોતી અંતર્ગત આપી દેવામાં આવ્યો હતો. આ મામલે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે મહારાણા રણજિત સિંહે રાણી વિક્ટોરિયાને ભેટ આપી હતી.  





હવે જો તમારો દિકરો પણ હૉસ્ટેલ કે છાત્રાલયમાં ભણતો હોય તો ચિંતા કરજો, સાવધાન રહેજો. એની સાથે રોજ વાતો કરજો અને મિત્ર બનીને રહેજો. કારણ કે હવે દિકરીઓ તો સલામત નથી પણ દિકરાઓ ય સલામત નથી. ધંધુકાના પચ્છમની ઘટના તમને યાદ હશે.. સગીર વયના વિદ્યાર્થી પર તેના જ છાત્રાલયના સગીરોએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું. ફરી પાછી એ જ ઘટના રાજકોટના જસદણના આંબરડીમાં દોહરાય છે.

મેરઠ મર્ડર કેસમાં જબરદસ્ત તપાસ ચાલી રહી છે પેહલી પોલીસ સ્તરે , બીજું સાયબર સેલ થકી અને ત્રીજું ફોરેન્સિક ટીમ દ્વારા . હવે ફોરેન્સિક ટીમે ખુબ ચોંકાવનારા ખુલાસા સામે રાખ્યા છે. જેમ કે , સાહિલ અને મુસ્કાન સૌરભના ટુકડાઓને સૂટકેસમાં ભરીને તેનો નિકાલ કરવા માંગતા હતા . પરંતુ સૂટકેસ નાની હતી . જેથી બીજા દિવસે મુસ્કાને એક ડ્રમ ખરીદ્યુ અને તેમાં શરીરના ટુકડાઓ રાખીને સિમેન્ટથી સીલ કરી દીધું . ફોરેન્સિક ટીમના જણાવ્યા અનુસાર, સૂટકેસમાં લોહીના ડાઘ મળ્યા છે.

૧ એપ્રિલ, ૨૦૨૫ થી, યુનાઇટેડ કિંગડમ, ઓસ્ટ્રેલિયા અને યુરોપિયન યુનિયન આંતરરાષ્ટ્રીય અરજદારો માટે વિઝા ચાર્જ અને ટ્યુશન ફીમાં વધારો કરશે. આ વધારો ટૂંકા ગાળાના વિઝિટર વિઝાથી લઈને વિદેશમાં મુલાકાત લેવા માટે જશો તો ચુકવા પડશે.વર્ક વિઝા હોય કે સ્ટુડન્ટ વિઝા દરેકને માટે તમામ ફી માં વધારો ઝીંકાયો છે

સુરતની 7 વર્ષીય વાકા લક્ષ્મી પ્રાગ્નિકાએ ફિડે વર્લ્ડ સ્કૂલ્સ ચેસ ચેમ્પિયનશિપ 2025ની અંડર 7 કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.વાકા લક્ષ્મીએ સર્બિયામાં યોજાયેલી આ ટૂર્નામેન્ટમાં 9 માંથી 9 પોઈન્ટ મેળવીને ગોલ્ડ પોતાને નામે કર્યો છે. વાકા ભારતનું પ્રતિનિધિત્વ કરતી તમામ વય શ્રેણીના ખેલાડીઓમાં ગોલ્ડ જીતનારી એકમાત્ર ખેલાડી બની છે.