જાણો શા માટે ગણપતિજીને નથી અર્પણ કરાતા તુલસીના પાન, જાણો તેની પાછળ રહેલો ઈતિહાસ


  • Published By :
  • Published Date : 2023-01-21 16:43:41

આપણા ધર્મમાં તુલસીને ખૂબ પવિત્ર માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ભગવાન વિષ્ણુને તુલસી ચઢાવવાથી તેઓ જલ્દી પ્રસન્ન થઈ જાય છે. ભગવાન વિષ્ણુની પૂજામાં તેમજ પ્રસાદી પર તુલસીના પાન અવશ્ય મૂકવામાં આવે છે. પરંતુ શું તમને ખબર છે કે ગણપતિ ભગવાનની પૂજામાં તુલસીના પાનનો ઉપયોગ કરવાનું શાસ્ત્રોમાં નિષેધ ગણવામાં આવ્યું છે. 


ગણપતિ સામે તુલસીએ મુક્યો હતો વિવાહનો પ્રસ્તાવ 

પૌરાણીક કથા અનુસાર એક વખત ગંગાના કિનારે ભગવાન ગણપતિ તપ કરી રહ્યા હતા. તે દરમિયાન લગ્નની ઈચ્છતા ધરાવતી તુલસી નામની કન્યા ત્યાંથી પસાર થઈ. ગણેશજી ચંદનનો લેપ લગાવી રત્ન જડિત સિંહાસન પર બેઠા હતા રત્ન અને હીરા જડિત હાર પહેરેલી મનમોહક છબી જોઈને તુલસીજીને તેમની સાથે લગ્ન કરવાની ઈચ્છા થઈ. તુલસીજીનું મન તપમાં લીન એવા ગણપિતજીને જોઈને આકર્ષિત થયું. તપમાંથી જગાડીને તુલસીએ ભગવાન ગણપતિ સમક્ષ પોતાનો વિવાહ પ્રસ્તાવ રજૂ કર્યો. તપભંગ થવાથી ભગવાન ગણપતિ ક્રોધિત થયા અને લગ્નના પ્રસ્તાવનો અસ્વીકાર કર્યો. ગણપતિના મુખેથી ના સાંભળ્યા બાદ તુલસીજી દુખી થયા અને ક્રોધિત થઈ ભગવાન ગણેશને બે લગ્ન થવાનો શ્રાપ આપી દીધો.


ગણપતિજીની પૂજામાં નથી કરાતો તુલસીનો ઉપયોગ 

તો બીજી તરફ ગણેશજીએ પણ શ્રાપ આપતા તુલસીજીને કહ્યું કે તારા લગ્ન અસુર સાથે થશે. આ શ્રાપ સાંભળીને તુલસીજીએ ભગવાન ગણેશની માફી માગી. ક્ષમાની પ્રાર્થના સાંભળી ભગવાન ગણેશે તેમને આશીર્વાદ આપતા કહ્યું કે કળિયુગમાં તુલસી જીવન અને મોક્ષ આપનારી હશે. પરંતુ સાથે સાથે તેમણે એ પણ કહ્યું કે મારી પૂજામાં તુલીસનો ઉપયોગ નહીં કરવામાં આવે. આ જ કારણોસર ભગવાન ગણપતિને તુલસીનું પાન કર્યારે પણ અર્પણ કરવામાં આવતું નથી. અને એવું પણ માનવામાં આવે છે કે જ ભૂલમાં પણ ભગવાનને તુલસી અર્પણ કરવામાં આવે છે તો તે પૂજાનું વિશેષ ફળ મળતું નથી. જો યોગ્ય રીતે ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે તો ભગવાન ગણપતિના આશીર્વાદ હંમેશને માટે ભક્તો પર રહેતા હોય છે.



હવે જો તમારો દિકરો પણ હૉસ્ટેલ કે છાત્રાલયમાં ભણતો હોય તો ચિંતા કરજો, સાવધાન રહેજો. એની સાથે રોજ વાતો કરજો અને મિત્ર બનીને રહેજો. કારણ કે હવે દિકરીઓ તો સલામત નથી પણ દિકરાઓ ય સલામત નથી. ધંધુકાના પચ્છમની ઘટના તમને યાદ હશે.. સગીર વયના વિદ્યાર્થી પર તેના જ છાત્રાલયના સગીરોએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું. ફરી પાછી એ જ ઘટના રાજકોટના જસદણના આંબરડીમાં દોહરાય છે.

મેરઠ મર્ડર કેસમાં જબરદસ્ત તપાસ ચાલી રહી છે પેહલી પોલીસ સ્તરે , બીજું સાયબર સેલ થકી અને ત્રીજું ફોરેન્સિક ટીમ દ્વારા . હવે ફોરેન્સિક ટીમે ખુબ ચોંકાવનારા ખુલાસા સામે રાખ્યા છે. જેમ કે , સાહિલ અને મુસ્કાન સૌરભના ટુકડાઓને સૂટકેસમાં ભરીને તેનો નિકાલ કરવા માંગતા હતા . પરંતુ સૂટકેસ નાની હતી . જેથી બીજા દિવસે મુસ્કાને એક ડ્રમ ખરીદ્યુ અને તેમાં શરીરના ટુકડાઓ રાખીને સિમેન્ટથી સીલ કરી દીધું . ફોરેન્સિક ટીમના જણાવ્યા અનુસાર, સૂટકેસમાં લોહીના ડાઘ મળ્યા છે.

૧ એપ્રિલ, ૨૦૨૫ થી, યુનાઇટેડ કિંગડમ, ઓસ્ટ્રેલિયા અને યુરોપિયન યુનિયન આંતરરાષ્ટ્રીય અરજદારો માટે વિઝા ચાર્જ અને ટ્યુશન ફીમાં વધારો કરશે. આ વધારો ટૂંકા ગાળાના વિઝિટર વિઝાથી લઈને વિદેશમાં મુલાકાત લેવા માટે જશો તો ચુકવા પડશે.વર્ક વિઝા હોય કે સ્ટુડન્ટ વિઝા દરેકને માટે તમામ ફી માં વધારો ઝીંકાયો છે

સુરતની 7 વર્ષીય વાકા લક્ષ્મી પ્રાગ્નિકાએ ફિડે વર્લ્ડ સ્કૂલ્સ ચેસ ચેમ્પિયનશિપ 2025ની અંડર 7 કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.વાકા લક્ષ્મીએ સર્બિયામાં યોજાયેલી આ ટૂર્નામેન્ટમાં 9 માંથી 9 પોઈન્ટ મેળવીને ગોલ્ડ પોતાને નામે કર્યો છે. વાકા ભારતનું પ્રતિનિધિત્વ કરતી તમામ વય શ્રેણીના ખેલાડીઓમાં ગોલ્ડ જીતનારી એકમાત્ર ખેલાડી બની છે.