'ખોટા કામનું ખોટું જ પરિણામ આવવાનું' જાણો કેમ અસદની સાથે એન્કાઉન્ટરમાં મરાયેલા ગુલામની માતાએ કહ્યા આવા શબ્દો....


  • Published By :
  • Published Date : 2023-04-14 15:01:45

ગઈકાલે ઝાંસી નજીક અતીક અહેમદના પુત્ર અસદનું એન્કાઉન્ટર  કરવામાં આવ્યું હતું. અસદની સાથે બીજા એક વ્યક્તિનું એન્કાઉન્ટર પણ કરવામાં આવ્યું હતું. તે હતો ગેંગસ્ટર ગુલામ. ગુલામને પણ એન્કાઉન્ટરમાં ઠાર માર્યો હતો. ત્યારે આ મામલે અતિક અહેમદની પ્રતિક્રિયા તો આપણે જોઈ પણ હવે ગુલામની માતાની પ્રતિક્રિયા સામે આવી છે. દીકરાના મોત બાદ ગુલામની માતાએ કહ્યું કે દીકરાએ ખોટું કામ કર્યું છે તો ખોટા કામનું ખોટું જ પરિણામ આવવાનું છે. યોગી સરકારે જે કર્યું તે યોગ્ય કર્યું છે.

  

ખોટું કામ કર્યું તો ખોટું પરિણામ જ આવવાનું - ગુલામની માતા 

જ્યારે કોઈ માતા પોતાના પુત્ર માટે આવું કહેતી હોય તે આશ્ચર્યજનક વાત છે. ગુલામની માતાએ કહ્યું કે અનેક વખત ગુલામને હાથ જોડીને સમજાવ્યો પરંતુ તે માન્યો નહી. ગુલામની માતાએ કહ્યું કે તકલીફ તો થઈ, સંતાન તો હતું પણ ખોટું કામ કર્યું છે તો ખોટુ પરિણામ તો આવવાાનું જ છે. ખોટા કામ કર્યા છે તો એન્કાઉન્ટર કર્યું તો ઠીક જ કર્યું છે. અમે તેની લાશ પણ લેવા જવાના નથી. તેને જોવાની હવે તાકાત નથી. 

why did ghulam family denies to take his dead body for last rites encounter asad

લાશ સ્વીકારનો પરિવારે કર્યો ઈન્કાર 

માતાની સાથે સાથે ગુલામના ભાઈએ પણ કંઈક આવી જ વાત કહી હતી. ગુલામના કારસ્તાનથી ગુલામનો પરિવાર પણ નારાજ છે તેવું લાગી રહ્યું છે. ગુલામના ભાઈએ કહ્યું કે સરકારે જે પણ કામ કર્યું છે તે સારું કર્યું છે. અમે પણ પોલિટિક્સમાં રહ્યા છીએ. અમે સમાજ સેવી રહ્યા છીએ. તેમણે કહ્યું કે અમે લોકો મૃતદેહનો સ્વીકાર નહીં કરીએ. અમે અંતિમ સંસ્કારમાં પણ ભાગ નહીં લઈએ. માં એ હમેશાં ત્રણેય ભાઈઓને સારા રસ્તા પર ચાલવું અને સારા કામ કરવાની સલાહ આપી છે. પરંતુ ગુલામે તો ઉધું જ કરી નાખ્યું.ભાઈએ કહ્યું કે તેના કારણે પરિવાર વિખેરાઈ ગયો.    



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.