જાણો શા માટે માતા પાર્વતી કરે છે સિંહની સવારી?


  • Published By :
  • Published Date : 2022-12-12 17:06:15

દરેક દેવી-દેવતાઓના પોત પોતાના વાહન હોય છે. ભગવાન શંકર નંદી પર સવાર હોય છે. વિષ્ણુ ભગવાન ગરૂડ પર સવાર હોય છે. ભગવાન ગણેશનું વાહન મૂષક એટલે કે ઉંદર છે. ત્યારે દેવી પાર્વતીનું વાહન સિંહ છે. ત્યારે આજે જાણીએ સિંહ દેવી પાર્વતીનું વાહન કેવી રીતે બન્યું.

Shiva Parvati Kali Durga Puja, PNG, 1032x1066px, Shiva, Art, Carnival,  Deity, Devi Download Free

આપણા શાસ્ત્રોમાં મળતા ઉલ્લેખ પ્રમાણે ભગવાન શંકરને પ્રસન્ન કરવા તેમજ તેમની પત્ની બનવા માતા પાર્વતીએ કઠોર તપ કર્યું હતું. આ તપના ફળ સ્વરૂપે ભગવાન ભોલેનાથ માતા પાર્વતીના પતિ બન્યા. જ્યારે માતાજી તપ કરતા હતા તે દરમિયાન ભૂખ્યો થયેલો સિંહ શિકારની તપાસમાં ત્યાં આવી પહોંચ્યો. દેવી પાર્વતીને ધ્યાનમાં જોઈ સિંહ પણ ત્યાં રાહ જોવા લાગ્યો. તપમાં મગ્ન પાર્વતીજીનું તેજ એટલું બધું હતું કે સિંહ તેમની પાસે આવી શક્યો ન હતો.

માતા પાર્વતી કઠોર તપ કરી રહ્યા હતા. અનેક વર્ષો સુધી તપમાં લીન થવાને કારણે તેઓ શ્યામ વર્ણના થઈ ગયા. અનેક વર્ષો સુધી તેમનું તપ ચાલ્યું. અંતે ભગવાન શંકર તેમની ભક્તિ તેમજ તપને કારણે પ્રસન્ન થયા. ભગવાન શંકર માતાજીની સામે પ્રગટ થયા અને તેમને આશીર્વાદ આપ્યા. ઉપરાંત નદીમાં સ્નાન કરવા કહ્યું. માતાજીએ જ્યારે નદીમાં સ્નાન કર્યું ત્યારે તેમનું શ્વેત વર્ણ પાછું આવી ગયું. અને તેઓ ગોરી કહેવાય.

Gupt Navratri: How A Lion Became The Vahana Of The Goddess - Boldsky.com

જ્યારે માતાજી પરત ફરી રહ્યા હતા તે સમયે દેવીની નજર શિકારની તલાશમાં આવેલા પેલા સિંહ પર પડી. માતાજીએ શિવજીને આ સિંહને આશીર્વાદ આપવા માટે કહ્યું. શિવજી પ્રગટ થયા અને માતાજીએ કહ્યું હું જ્યારથી તપ કરી રહી છું તે સમયથી આ સિંહ પર અહીં તપસ્યા કરી રહ્યો છે. આ સિંહને મારૂ વાહન બનાવા માતાજીએ ઈચ્છા પ્રગટ કરી. વરદાન મળતા સિંહ માતાજીનું વાહન બની ગયું. માતાજી સિંહ પર બીરાજમાન થયા તે માટે તેઓ શેરાવાલીના નામે ઓળખાયા.

અહીં આપેલી માહિતી વાર્તાઓ તેમજ પ્રચલિત દંતકથા પર આધારિત છે. 





21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે