જાણો Jamnagar શા માટે Ambani પરિવાર માટે છે ખાસ? Anant Ambani Radhika Merchantના Pre wedding પહેલા Nita Ambaniએ કહ્યું કે...


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-03-01 15:40:41

ગુજરાતના મહેમાનો અનેક વિદેશી મહેમાનો, બોલિવુડ સ્ટાર્સ, ઉદ્યોગપતિઓ બની રહ્યા છે કારણ કે Ambani Parivarમાં લગ્નનો પ્રસંગ છે. Nita Ambani અને Mukesh Ambaniના પુત્ર Anant Ambaniના લગ્ન Radhika Merchant સાથે થવાના છે. Jamnagar ખાતે પ્રીવેડિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. અંબાણી પરિવારના સેલિબ્રેશનના અનેક વીડિયો સામે આવી રહ્યા છે ધ્યાન પોતાની તરફ ખેંચે છે. આજથી પ્રી વેડિંગ કાર્યક્રમનો પ્રારંભ થઈ ગયો છે અને તેની પહેલી નીતા અંબાણીએ એક વીડિયો શેર કર્યો છે.

જો પ્રી-વેડિંગમાં આટલી ધામધૂમ છે તો લગ્નમાં કેટલી હશે? 

અંબાણી પરિવાર પોતાના ગુજરાતીપણા માટે જ વધારે ચર્ચામાં રહે છે. પોતાની સંસ્કૃતિ પોતાના સંસ્કાર માટે, લાઈફ સ્ટાઈલ માટે આ પરિવાર જાણીતો છે. આકાશ અંબાણી અને ઈશા અંબાણીના આવા અદ્ધભૂત લગ્ન બાદ બધાની નજર હતી અંનત અંબાણી અને રાધિકાના લગ્ન પર. આજથી જામનગરમાં પ્રી વેડિંગ ફંક્શનની શરૂઆત થઈ ગઈ છે. પ્રી વેડિંગ કાર્યક્રમમાં પણ એવી જોરશોરથી તૈયારી કરવામાં આવી છે જાણે લગ્ન હોય. જે પ્રમાણે પ્રી-વેડિંગની તૈયારીઓ થઈ રહી છે તેની પરથી સવાલ થઈ રહ્યો છે કે જો આ પ્રસંગ આવો છે તો લગ્ન કેવા હશે? 



જામનગર ખાતે કરવામાં આવ્યું છે પ્રી-વેડિંગ કાર્યક્રમનું આયોજન 

આ પ્રી વેડિંગમાં સામેલથવા દેશભરના બિઝનેસમેન અને મોટી હસ્તીઓ જામનગર પહોંચી રહી છે. લગ્ન 12મી જુલાઈએ છે પણ તે પહેલા જામનગરમાં પહેલીથી 3જી માર્ચ સુધી પ્રી-વેડિંગ સેલિબ્રેશન છે આ સેલિબ્રેશનના પહેલા દિવસે નીતા અંબાણીએ એક વીડિયો સોશિયલ મીડિયા પર મૂક્યો છે જેમાં ઉજવણીની મુખ્ય થીમ શું છે તેની જાણકારી આપવામાં આવી છે.  

શા માટે જામનગરમાં રાખવામાં આવ્યો પ્રી-વેડિંગ કાર્યક્રમ?

એટલું જ નહીં અનંત અંબાણીએ પણ એક ઈન્ટરવ્યૂ દરમિયાન કહ્યું હતું કે કેમ આ ફંક્શન જામનગરમાં રાખવામાં આવ્યું છે? તેમણે કહ્યું હતું કે મારા દાદી જામનગરનાં છે. હું અહીં પ્રી-વેડિંગ કરી રહ્યો છું કારણ કે તેઓનું ઘર અહીં છે. આ મારું પણ ઘર છે, હું જેટલો મુંબઈનો છું એટલો જ જામનગરનો છું. અમે ગુજરાતનાં છીએ. પ્રી વેડિંગ અહીં અને લગ્ન મુંબઈમાં થશે. અહીં અમે જામનગરવાસીઓ અને અમારા સાથી કર્મચારીઓ સાથે પ્રી- વેડિંગ કરીશું તો તેની મજા અલગ જ હશે. અને અંબાણી પરીવાર પોતાની આ વાતો અને સંસ્કારથી લોકોના દિલ જીતી શક્યા છે   




29 જૂને ઈન્ડિયન ટીમે T-20 વર્લ્ડ કપ જીત્યો હતો.... ભારતીય ટીમ 17 વર્ષ બાદ આ ટુર્નામેન્ટમાં ચેમ્પિયન બની છે. આટલું જ નહીં, ભારતે 11 વર્ષના ICC ટ્રોફીના દુકાળનો અંત લાવ્યો છે. બાર્બાડોસમાં રમાયેલી ફાઈનલ મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 7 રનથી હરાવ્યું હતું

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. રવિવારે અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં વરસાદે સારી એવી બેટિંગ કરી હતી..છેલ્લા 24 કલાકમાં રાજ્યના 214 જેટલા તાલુકામાં વરસાદ વરસ્યો છે..

અમદાવાદના શેલાથી એક વીડિયો સામે આવ્યો છે જેમાં વરસાદ પડવાને કારણે રસ્તા પર ભુવો પડી ગયો છે. કોંગ્રેસે આને લઈ સરકાર પર નિશાન સાધ્યું છે.

અમદાવાદના બોપલમાં ફોર્ચ્યુનર કાર અને થાર વચ્ચે ગંભીર અકસ્માત થયો છે.. બંને ગાડી વચ્ચે એટલો ગંભીર અકસ્માત થયો છે કે બંને વાહનોનો કચ્ચરઘાણ નિકળી ગયો છે. આ ઘટનામાં ત્રણ જેટલા લોકોના મોત થઈ ગયા હોવાના સમાચાર મળ્યા છે જ્યારે અન્ય લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.