જાણો કેમ CBI કરી રહી છે મેઘાલયના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકની પૂછપરછ?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-09 18:27:01

સત્યપાલ મલિક ગત બે વર્ષથી કેન્દ્રની મોદી સરકાર સામે અનેક નિવેદનો આપી રહ્યા છે. ખાસ કરીને ખેડૂત આંદોલન બાદ તો સત્યપાલ મિલેક સીધા પ્રધાનમંત્રી મોદી પર જ આરોપ લગાવી રહ્યા હતા. હવે કેન્દ્ર સરકારના આદેશથી સીબીઆઈ સત્યપાલ મલિકની 300 કરોડની લાંચ કેસમાં પૂછપરછ કરી રહી છે. જાણો સમગ્ર વિગત...


બિહાર, જમ્મુ-કાશ્મીર અને મેઘાલયના રાજ્યપાલ રહી ચૂકેલા સત્યાપાલ મલિકની સીબીઆઈ પૂછપરછ કરી રહી છે. 4 ઓક્ટોબરે સત્યપાલ મલિકે પોતાનો પાંચ વર્ષનો રાજ્યપાલ પદનો કાર્યભાર પૂર્ણ કર્યો હતો. ત્યાર બાદ ગત બે દિવસથી સીબીઆઈ તેમના કાર્યાલય પર છાપા મારી પૂછપરછ કરી રહી છે. 


સરકાર સામે અવાજ ઉઠાવશો તો થશે કાર્યવાહી 

સત્યપાલ મલિક ગત 2 વર્ષથી જાહેરમાં કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કરી રહ્યા હતા. પંજાબ ખેડૂતોના રાષ્ટ્રવ્યાપી વિરોધ બાદ તેઓ સરેઆમ મોદી સરકારની આલોચના કરતા નજરે પડતા હતા. જાહેર મંચ પરથી અનેકવાર સત્યપાલ મલિકે મોદી સરકાર પર બેફામ નિવેદનો આપ્યા હતા. ગત બે દિવસથી સત્યપાલ મલિક પર દરોડાની કાર્યવાહી કરવામાં આવી રહી છે પરંતુ આ કાર્યવાહી 300 કરોડની લાંચને ધ્યાનમાં રાખીને કરવામાં આવી રહી છે.


સત્યપાલ મલિક પર કેટલા આક્ષેપ લગાવ્યા છે?

સીબીઆઈએ સત્યપાલ મલિક પર ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા છે તેના કારણે બે ફરિયાદ નોંધાવાઈ છે. જેમાં સરકારી કર્મચારી માટે એક સામુહિક વીમા યોજના અને પૂર્વવર્તી રાજ્યમાં જળવિદ્યુત યોજના સંબંધિત 2200 કરોડ રૂપિયાના સિવિલ કામગીરીમાં ઠેકો લેવા મામલે આક્ષેપો લાગ્યા છે. 


 

  



  



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.