જાણો શા માટે શંખની પૂજા કરવાથી મળે છે માતા લક્ષ્મીના આશીર્વાદ?


  • Published By :
  • Published Date : 2022-12-10 17:32:29

હિંદુ ધર્મમાં શંખને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. જ્યારે સમુદ્ર મંથન થયું ત્યારે મંથન બાદ અનેક વસ્તુઓ નિકળી હતી. તેમાંથી શંખ પણ નીકળ્યો હતો. સાથે સાથે લક્ષ્મીજી પણ પ્રગટ થયા હતા. શંખને લક્ષ્મીજીનો ભાઈ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જે ઘરમાં શંખને સ્થાન અપાય છે તે ઘરમાં કદી લક્ષ્મી ખૂટતી નથી. એ ઘરમાં સદા લક્ષ્મીજીનો વાસ રહે છે.

ભગવાન શિવના આદેશ પર ગોસ્વામી તુલસીદાસે લખ્યું હતું શ્રીરામચરિતમાનસ, કાશીના  વિદ્વાનોએ પણ માની લીધી આ ગ્રંથની મહિમા | Ramcharit Manas, Goswami Tulsidas,  Hindu ...

ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીએ હાથમાં શંખ ધારણ કર્યો છે. ભગવાન શ્રી કૃષ્ણએ પણ શંખને ધારણ કર્યો હતો જેનું નામ પંચજન્ય હતું. લક્ષ્મીનો સ્વભાવ એકદમ ચંચળ હોય છે. એક જગ્યા પર લાંબા સમય સુધી તેઓ ટકતા નથી. એવું માનવામાં આવે છે જ્યાં ભગવાન નારાયણની અને શંખની પૂજા કરવામાં આવે તે ઘર પર હંમેશા દેવી લક્ષ્મીની કૃપા રહે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં શંખ રાખવાથી નકારાત્મકતા દૂર થાય છે. 

घर में इस दिन रखें ''दक्षिणावर्ती शंख'', धन से भरी रहेगी आपकी तिजोरी | Hari  Bhoomi

જ્યારે પૂજા હોય ત્યારે શંખની પૂજા પણ કરવામાં આવે છે. શંખને પણ દેવતા માનવામાં આવે છે. દરેક મંદિરમાં શંખને સ્થાન આપવામાં આવે છે. ઘંટની સાથે સાથે મંદિરોમાં પણ શંખને રખાય છે. આરતી પૂર્વે પણ શંખનાદ કરવામાં આવે છે. આરતી પૂર્ણ થયા બાદ શંખને આરતીની પ્રદક્ષિણા કરાવી ભક્તો પર છાંટવામાં આવે છે. 

શું છે નિર્જળા એકાદશી? જાણો તેના મહત્વ અને ઉપવાસની વિધિ..

અનેક દેવતાઓ પર અભિષેક પણ શંખ દ્વારા કરવામાં આવે છે. શંખમાં રાખેલા જળને એકદમ પવિત્ર માનવામાં આવે છે. શંખમાં રહેલા રાસાયણિક તત્વોને કારણે અનેક બિમારીઓ પણ દૂર થાય છે. શંખ વગાડવાથી અસ્થમાનો રોગ દૂર થાય છે. ઉપરાંત જે ઘરમાં રોજે શંખનાદ કરવામાં આવે છે તે ઘરમાં આસુરી શક્તિ તેમજ નકારાત્મકા આવતી નથી. 




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે