જાણો શા માટે વાંસથી બનેલી અગરબત્તીનો નથી કરવામાં આવતો ઉપયોગ


  • Published By :
  • Published Date : 2023-01-25 19:12:55

ભગવાનની પૂજા દરમિયાન પૂજાની અનેક સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે. સામાન્ય રીતે આપણે અગરબત્તીનો ઉપયોગ કરતા હોઈએ છીએ.  ભગવાન સમક્ષ ધૂપ-અગરબત્તી, દીપ પ્રગટાવવામાં આવે છે. અનેક લોકો માને છે કે ઘરમાં અગરબત્તી કરવાથી ઘરમાં પોઝિટીવ એનર્જીનો વાસ રહે છે પરંતુ વાસ્તુમાં વાંસની અગરબત્તી કરવાને નિષેધ ગણવામાં આવી છે.    

અગરબત્તી ધૂપ વિશે વિસ્તૃત જાણકારી | Detailed information about agarbatti  incense

વાંસથી બનેલી અગરબત્તીનો ન કરવો જોઈએ ઉપયોગ 

એવું માનવામાં આવે છે કે અગરબત્તી કરવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિનો વાસ રહે છે. અગરબત્તીને પ્રગટવાનું શુભ માનવામાં આવે છે. તેમાંથી નીકળતો ધુમાડો હવામાં રહેલા જીવાણુંનો નાશ કરે છે. એવું માનવામાં આવે છે કે ઘરની દક્ષિણ દિશામાં અગરબત્તી કરવાથી ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જા દૂર થાય છે. પરંતુ વાંસથી બનેલી અગરબત્તીનો ઉપયોગ કરવાનું નિષેધ માનવામાં આવ્યું છે. 


વંશ પર પડે છે આની અસર  

વાંસની અગરબત્તી કરવાને અશુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે લગ્ન-વિવાહના કાર્યક્રમમાં મંડપ બનાવવામાં વાંસની લાકડીનો ઉપયોગ કરવામાં આવે છે. આ જ લાકડીથી અગરબત્તી બનતી હોય છે. પૂજામાં વાંસની અગરબત્તીનો ઉપયોગ કરવામાં આવે તો પૂજાને અશુભ માનવામાં આવે છે. હિંદુ શાસ્ત્રોના અનુસાર વાંસની લાકડીને પ્રગટાવવામાં આવે તો વંશની વૃદ્ધિ થતી નથી. તેનાથી ઘરની બરકત ઘટે છે. અને આ જ કારણોસર વાંસની લાકડીથી બનેલી અગરબત્તીનો ઉપયોગ નથી કરવામાં આવતો.     




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે