ભારતીય ચૂંટણી પંચને મૂળથી બદલનાર અધિકારીને આ કારણથી યાદ કરવામાં આવી રહ્યા છે


  • Published By :
  • Published Date : 2022-11-24 21:36:43

ભારતના લોકતંત્રની વાત કરાય છે ત્યારે એક નામ કાન પર સંભળાય જ જાય છે. જે નામ છે દેશના પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર ટી એન શેષન. તેઓએ વર્ષ 2019માં દુનિયાની વિદાય લીધી છે, છતાંય આજે પણ આપણે તેમને યાદ કરીએ છીએ. તેઓ આજે ફરી ચર્ચામાં છે કારણ કે સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું હતું કે ચૂંટણી કમિશનર પર ભારે જવાબદારીઓ હોય છે. માટે આ પદ પર એવા અધિકારીની જરૂર હોય છે જે કોઈના દબાવ્યે દબાય ના જાય. દેશમાં ટી એન શેષન અમુકવાર જ જન્મ લે છે. તો ચાલો જમાવટ પર જાણીએ એ ટી એન શેષનની પૂરી વિગત...


પહેલેથી જ અભ્યાસમાં હતા હોશિયાર 

ટીએન શેષનનો જન્મ કેરળના પલક્કડમાં થયો હતો. તેમણે કેરળમાં પ્રાથમિક અભ્યાસ કર્યો હતો. ટીએન શેષને મદ્રાસ ક્રિશ્ચન કોલેજમાં ફિજિક્સમાં ગ્રેજ્યુએશન અને માસ્ટર કર્યું હતું. ત્યારબાદ તેઓએ સિવિલ સર્વિસની તૈયારી શરૂ કરી હતી. વર્ષ 1953માં તેમણે પોલીસે સેવા પરીક્ષામાં પણ ટોપ કર્યું હતું અને 1954માં સિવિલ સર્વિસમાં પણ પાસ થયા હતા. ત્યારબાદ તેમણે અનેક જગ્યાઓ પર સરકારી સેવક તરીકે સેવા આપી હતી.


આ રીતે તેઓને બનાવાયા હતા મુખ્ય ચૂંટણી કમિશનર

ચંદ્રશેખરની જ્યારે ભારતમાં સરકાર હતી ત્યારે ટીએન શેષનને મુખ્ય ચૂંટણી કમિશનર બનાવવામાં આવ્યા હતા. ચંદ્રશેખરની સરકારમાં સુબ્રમણ્યમ સ્વામી કાયદા મંત્રી હતા. સુબ્રમણ્યમ સ્વામી અને શેષન સારા મિત્ર હતા. આથી સુબ્રમણ્યમ સ્વામીએ ટીએન શેષનને મુખ્ય ચૂંટણી કમિશનર બનાવવા માટે પ્રસ્તાવ કર્યો હતો. શરૂઆતમાં તો ટીએન શેષને સુબ્રમણ્યને મનાહી કરી દીધી હતી પરંતુ પછી મનાવ્યા બાદ તૈયાર થઈ ગયા હતા. 


ચૂંટણી અધિકારી તરીકે તેમણે કંઈક આવી પારી રમી હતી 

ટી એન શેષન કેન્દ્ર સરકારમાં પૂર્વ કેબિનેટ સચિવ હતા. ટી એન શેષનને વર્ષ 1990માં મુખ્ય ચૂંટણી કમિશનર પદે સેવા આપી હતી. તેમનો કાર્યકાળ ડિસેમ્બર 1996 સુધી રહ્યો હતો. તેમણે પોતાના સમયગાળા દરમિયાન એવા નિર્ણયો લીધા હતા જેના કારણે ભારતની ચૂંટણી વ્યવસ્થામાં મોટા બદલાવો આવ્યા. દેશમાં ચૂંટણી પંચની શક્તિને માન્યતા નહીં અપાતા ટીએન શેષને દેશની તમામ ચૂંટણીઓ સ્થિગત કરી દીધી હતી. જે વિસ્તારોની અંદર ચૂંટણી નિષ્પક્ષ નહોતી થઈ રહી તે વિસ્તારોમાં ટીએન શેષને પોતાની કુનેહ વાપરીને બુથ કેપ્ચરિંગ બંધ કર્યું હતું. બિહારના બુથ કેપ્ચરિંગ ગુંડાઓ નહીં પરંતુ રાજનેતાઓ જ બુથ કેપ્ચરિંગ કરી રહ્યા હતા જે ગોરખધંધા શેષને બંધ કરાવ્યા હતા. 


પ્રધાનમંત્રી કક્ષાના મોટા નેતાને પણ શેષને નહોતા છોડ્યા!

પ્રધાનમંત્રી નરસિમ્હારાવ હોય, હિમાચલના રાજ્યપાલ ગુલશેર અહમદ હોય કે બિહારના મુખ્યમંત્રી લાલુ યાદવ હોય, ટીએન શેષને કોઈને નહોતા છોડ્યા. આ નેતાઓ સહિત અનેક મોટા નેતા સાથે ટીએન શેષને બાંયો ચઢાવી લીધી હતી. બિહારમાં તો ટીએન શેષને પહેલીવાર ચાર તબક્કામાં ચૂંટણી કરાવી હતી અને ચારેવાર તારીખોમાં ફેરફાર કરાવ્યા હતા. 


ટીએન શેષને કરી દીધી હતી લાલુ યાદવની હવા ટાઈટ!

બિહારમાં વર્ષ 1995માં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. ચૂંટણી દરમિયાન ટીએન શેષનની કડક કામગીરીથી લાલુ યાદવને ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. તે સમયની અંદર તો લાલુ યાદવ ટીએન શેષન નામ સાંભળતાની સાથે જ લાલઘૂમ થઈ જતા હતા. લાલુ યાદવે એક બેઠકની અંદર તો કહી દીધું હતું કે શેષન પાગલ સાંઢ જેવું કરી રહ્યા છે. ટીએન શેષને જ્યારે બિહારમાં ચોથીવાર ચૂંટણી સ્થગિત કરી હતી ત્યારે તો લાલુ યાદવે આખું બિહાર માથે લઈ લીધું હતું. 

 



અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!

આપણો પાડોશી દેશ ચાઈના , અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના બીજા કાર્યકાળમાં ટેરિફ મુદ્દે બિલકુલ નમતું જોખવા તૈયાર નથી . હવે ચાઈનાએ નિર્ણય લીધો છે કે , તે અમેરિકાને જે ક્રિટિકલ મિનરલ્સની નિકાસ કરે છે તેને બંધ કરવાનો નિર્ણય લીધો છે. આજે આપણે જાણીશું કે કેમ આ ૨૧મી સદીમાં આ ક્રિટિકલ મિનરલ્સ કોઈ પણ મહાસત્તા માટે બઉજ મહત્વના છે. વાત કરીએ ઇટાલીની તો ઈરાન અને અમેરિકા વચ્ચે બીજા રાઉન્ડની વાર્તલાપ કરવા માટે તે મધ્યસ્થા કરી શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પના ટેરીફના આકરા વલણને લઇને યુરોપ હવે રશિયાનું ગેસ ખરીદવા તૈયાર થયું છે. વૈશ્વિક અર્થતંત્રમાં આટલીબધી ઉથલપાથલ થવા છતાં ડોનાલ્ડ ટ્રમ્પ તેમના ટેરીફના વલણને લઇને ટસ થી મસ થવા તૈયાર નથી .

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ રશિયા અને યુક્રેન વચ્ચે કાયમી શાંતિ કરાવવા માંગે છે . તે માટે ટ્રમ્પનું પ્રતિનિધિ મંડળ થોડાક સમય પેહલા રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનને મળ્યું હતું . પરંતુ હવે જે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તેનાથી આ શાંતિવાર્તામાં ખુબ મોટો ભંગ પડી શકે છે. થયું એવું કે , યુક્રેનના સુમી શહેરમાં રશિયાનો મિસાઈલ હુમલો થતા ૩૪ લોકો માર્યા ગયા છે. આ પછી યુક્રેનના કિવ શહેરમાં રશિયાના હુમલામાં એક ભારતીય કંપનીનું વેરહાઉસ બરબાદ થઈ ગયું છે. વાત કરીએ ભારત અને અમેરિકા વચ્ચેના વ્યાપારી સંબંધોમાં આવનારા ૯૦ દિવસમાં વ્યાપારી કરારોને લઇને મોટા સમાચાર સામે આવી શકે છે. હવે અમેરિકામાં એક નવો નિયમ આવ્યો છે કે , ૨૪ કલાક તમામ પ્રવાસીઓએ પોતાના દસ્તાવેજ પોતાની પાસે રાખવા પડશે. અંતમાં વાત કરીશું કે પાકિસ્તાન કઈ રીતે અમેરિકા તરફ સરકી રહ્યું છે. આ માટે તેણે પોતાના પ્રાંત બલુચિસ્તાનમાં અમેરિકાને માઇનિંગ લીઝ પર આપવાનું આયોજન કર્યું છે.