જાણો કોણ હતા Marie Tharp, જેમને ગૂગલે કર્યા છે યાદ


  • Published By :
  • Published Date : 2022-11-21 12:08:24

ગૂગલ દિવસો પ્રમાણે પોતાના ડૂડલ બદલતું રહે છે. ત્યારે આજે ગૂગલે અમેરિકન ભૂસ્તશાસ્ત્રી અને સમુદ્રી નકશાકાર Marie Tharpને યાદ કરીને પોતાનું ડૂડલ બદલ્યું છે. ખંડીય પ્રવાહના સિદ્ધાંતને તેમણે સિદ્ધ કરી બતાવ્યો હતો. ઉપરાંત તેમણે થર્પને એટલાન્ટિક મહાસાગરના ફ્લોરનો પ્રથમ વૈજ્ઞાનિક નક્શો પણ તેમણે બનાવ્યો હતો. તેમના દ્વારા કરવામાં આવેલા યોગદાનને કારણે આજે પણ તેમને યાદ કરવામાં આવે છે.

 

ડૂડલ પર ક્લિક કરી મેળવી શકાશે જાણકારી

અમેરિકન ભૂસ્તશાસ્ત્રી અને સમુદ્રી નક્શાકારને યાદ કરવા ગૂગલે પોતાનું ડૂડલ બદલ્યું છે. ગૂગલ તેમના જીવનની અને તેમના દ્વારા અપાયેલ યોગદાનની ઉજવણી કરી રહ્યું છે. દર્શકોને તેમના જીવન વિશે અને તેમની સિદ્ધી વિશે જાણકારી મળે માટે ગૂગલે સારી વ્યવસ્થા કરી છે. તેમની જાણકારી મેળવવા યુઝર્સે ફક્ત ડૂડલ પર ક્લિક કરવાનું રહેશે. ક્લિક કર્યા બાદ એક વીડિયો જેવું ઓપન થશે જેમાં તેમના દ્વારા કરાયેલ સંશોધનનો વિશે માહિતી આપવામાં આવશે. 

Google Doodles

તેમના યોગદાનને ગૂગલે કર્યું યાદ

21 નવેમ્બરના રોજ તેમનું નામ વિશ્વના મહાન નકશાલેખકોમાં સામેલ કરવામાં આવ્યું હતું. આ જ દિવસે 20મી સદીના મહાન નકશાલેખકોની યાદીમાં લાઈબ્રેરી ઓફ કોંગ્રેસે તેમના નામનો સમાવેશ કર્યો હતો. જેને લઈ ગૂગલ આજે તેમની સિદ્ધીની ઉજવણી ડૂડલ રાખી કરી રહ્યું છે.          




આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.

જમાવટ પર અમદાવાદાના કુબેરનગર વિસ્તારના કોર્પોરેટર ઉર્મિલાબેનનો મેસેજ આવ્યો. એ વીડિયોમાં શું હતું તો આંગણવાડી છે બાળકો છે. બહેનો છે જે બાળકોને ભણાવે પણ જે સ્થળ છે એની સ્થિતિ અત્યંત દયનીય છે. ઉત્તર ઝોન મ્યુનિસિપલ કોપોરેટર જે 27 માર્ચે રામેશ્વર બ્રિજ નીચે આંગણવાડીની મુલાકાત લેવા માટે ગયા હતા.ત્યાં જઈને જોયું તો આશ્ચર્ય ચકિત થઈ ગયા. આંગણવાડીનું મકાન જર્જરિત હાલતમાં છે. પાણીની વ્યવસ્થા નથી. ટોયલેટ બાથરુમ જે બેઝિક જરુરિયાત છે એ નથી. બાળકો બહુ જ તકલીફોમાં ભણી રહ્યાં છે.