જાણો કોણ હતા Marie Tharp, જેમને ગૂગલે કર્યા છે યાદ


  • Published By :
  • Published Date : 2022-11-21 12:08:24

ગૂગલ દિવસો પ્રમાણે પોતાના ડૂડલ બદલતું રહે છે. ત્યારે આજે ગૂગલે અમેરિકન ભૂસ્તશાસ્ત્રી અને સમુદ્રી નકશાકાર Marie Tharpને યાદ કરીને પોતાનું ડૂડલ બદલ્યું છે. ખંડીય પ્રવાહના સિદ્ધાંતને તેમણે સિદ્ધ કરી બતાવ્યો હતો. ઉપરાંત તેમણે થર્પને એટલાન્ટિક મહાસાગરના ફ્લોરનો પ્રથમ વૈજ્ઞાનિક નક્શો પણ તેમણે બનાવ્યો હતો. તેમના દ્વારા કરવામાં આવેલા યોગદાનને કારણે આજે પણ તેમને યાદ કરવામાં આવે છે.

 

ડૂડલ પર ક્લિક કરી મેળવી શકાશે જાણકારી

અમેરિકન ભૂસ્તશાસ્ત્રી અને સમુદ્રી નક્શાકારને યાદ કરવા ગૂગલે પોતાનું ડૂડલ બદલ્યું છે. ગૂગલ તેમના જીવનની અને તેમના દ્વારા અપાયેલ યોગદાનની ઉજવણી કરી રહ્યું છે. દર્શકોને તેમના જીવન વિશે અને તેમની સિદ્ધી વિશે જાણકારી મળે માટે ગૂગલે સારી વ્યવસ્થા કરી છે. તેમની જાણકારી મેળવવા યુઝર્સે ફક્ત ડૂડલ પર ક્લિક કરવાનું રહેશે. ક્લિક કર્યા બાદ એક વીડિયો જેવું ઓપન થશે જેમાં તેમના દ્વારા કરાયેલ સંશોધનનો વિશે માહિતી આપવામાં આવશે. 

Google Doodles

તેમના યોગદાનને ગૂગલે કર્યું યાદ

21 નવેમ્બરના રોજ તેમનું નામ વિશ્વના મહાન નકશાલેખકોમાં સામેલ કરવામાં આવ્યું હતું. આ જ દિવસે 20મી સદીના મહાન નકશાલેખકોની યાદીમાં લાઈબ્રેરી ઓફ કોંગ્રેસે તેમના નામનો સમાવેશ કર્યો હતો. જેને લઈ ગૂગલ આજે તેમની સિદ્ધીની ઉજવણી ડૂડલ રાખી કરી રહ્યું છે.          




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.