જાણો ક્યારે છે વસંત પંચમી, કેમ વસંત પંચમીના દિવસે કરવામાં આવે છે માતા સરસ્વતીની પૂજા?


  • Published By :
  • Published Date : 2023-01-23 17:35:17

હિંદુ ધર્મમાં દરેક તિથીનું વિશેષ મહત્વ હોય છે. વસંત પંચમીને આપણે ત્યાં ખુબ મહત્વની તિથી માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે દેવી સરસ્વતી વસંત પંચમીના દિવસે બ્રહ્માના માનસથી અવતરીત થયા હતા. જેને કારણે વસંત પંચમીના દિવસે દેવી સરસ્વતીની જયંતી હોવાનું પણ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે મૂહુર્ત જોયા વગર લગ્ન કરી શકાય છે. 

Vasant Panchami 2021: આ મંત્રથી દેવી સરસ્વતી થશે પ્રસન્ન, આજના દિવસે ભૂલથી  પણ ન કરો આ પાંચ કામ | India News in Gujarati

વસંત પંચમીએ સરસ્વતી જયંતી હોવાથી આ દિવસે માતા શારદાની પૂજા કરવામાં આવે છે. માતા સરસ્વતીને જ્ઞાન અને કળાના અધિષ્ઠાત્રી દેવી માનવામાં આવે છે. માતા સરસ્વતીની પૂજા કરવાથી મનુષ્યના જીવનમાં સુખ અને સમુદ્ધિ આવે છે. એવું માનવામાં આવે છે કે મહા મહિનાની સુદ પાંચમે ભગવાન શ્રીકૃષ્ણએ માતા સરસ્વતી પૂજન કર્યું હતું. ત્યારથી આ દિવસના રોજ સરસ્વતી પૂજનનું પ્રચલન શરૂ થયું. 

સિદ્ધિ અને રવિયોગમાં લગ્ન થશે, આ દિવસે ખરીદદારી અને નવા કામની શરૂઆત માટે  વણજોયું મુહૂર્ત | Vasant Panchami Will Be Held On February 5 In Siddhi And  Raviyoga; Abuja Muhurta On This

વસંતપંચમીને વસંતોત્સવનો પ્રથમ દિવસ ગણાય છે. એવું પણ માનવામાં આવે છે કે જો કોઈ શિક્ષણ કાર્યનો પ્રારંભ કરવો હોય તો વસંતપંચમીના દિવસથી કરી શકાય. વિદ્યા જેવી કે સંગીત શીખવું, ચિત્રકામ, અથવા તો કોઈ ખાસ કોર્સ પણ શરૂ કરી શકાય છે. એવું પણ માનવામાં આવે છે કે બ્રહ્યાજીએ સૃષ્ટિની રચના કરી હતી. જે બાદ આદ્યશક્તિએ પોતાને પાંચ રૂપમાં વિભાજીત કર્યા. દુર્ગા, સાવિત્રી, સરસ્વતી, પદ્મા અને રાધાના સ્વરૂપમાં આદ્યશક્તિએ પોતાની શક્તિ વિભાજીત કરી. સરસ્વતીજીને વિદ્યાની દેવી માનવામાં આવે છે. તેમને અલગ અલગ નામોથી પણ જેવા કે વાક, વાણી, વાક્દેવી જેવા નામોથી ઓળખવામાં આવે છે. આ વખતે વસંત પંચમી 26 જાન્યુઆરીના રોજ આવી રહી છે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે