જાણો કયારે છે ગણેશ જયંતી, ભગવાન ગણપતિની પૂજા કરવાથી મળે છે વિશેષ કૃપા


  • Published By :
  • Published Date : 2023-01-24 18:25:59

ભગવાન ગણપતિજીને પ્રથમ પૂજ્ય ગણવામાં આવે છે. હિંદુ ધર્મમાં દરેક મહિનાની બંને પક્ષોની ચતુર્થી તિથી ભગવાન ગણપતિને સમર્પિત હોય છે. ત્યારે મહા મહિનાની શુક્લ પક્ષની ચતુર્થીના દિવસને ગણેશ જયંતિ મનાવામાં આવે છે. આ દિવસે ચતુર્થી બુધવારે હોવાને કારણે આનું મહત્વ વિશેષ થઈ જતા હોય છે. ચતુર્થી 25 જાન્યુઆરીના રોજ આવી રહી છે. 

Ganesh Chaturthi 2022: જાણો આખરે શા માટે કરાઇ છે ગણેશજીની સ્થાપના અને  વિસર્જન? | Ganesh Chaturthi 2022: જાણો આખરે શા માટે કરાઇ છે ગણેશજીની  સ્થાપના અને વિસર્જન?


આ દિવસે બની રહ્યા છે શુભ યોગ 

બુધવારનો દિવસ ગણપતિજીને સમર્પિત હોય છે.  એવી માન્યતા છે કે આ દિવસે ભગવાન ગણપતિ પ્રગટ થયા હતા. આજ કારણોસર આ દિવસને ગણેશ જયંતી કહેવામાં આવે છે. અલગ અલગ નામથી આ ચોથને સંબોધવમાં આવે છે. ગણેશ જયંતીના દિવસે રવિ, શિવ યોગ બની રહ્યા છે.     

 

આ દિવસે નથી કરવામાં આવતા ચંદ્ર દર્શન 

સામાન્ય રીતે ચોથના દિવસે ચંદ્ર દર્શનનો વિશેષ મહિમા હોય છે. પરંતુ ગણેશ જયંતીના દિવસે ચંદ્ર દર્શન નથી કરવામાં આવતા. પૌરાણીક કથાઓ અનુસાર આ દિવસે ગણપતિજીએ ચંદ્ર દેવને શ્રાપ આપ્યો હતો. જેને લઈ ગણેશ ચતુર્થીના દિવસે ચંદ્ર દર્શન કરવાનું અશુભ માનવામાં આવે છે. આ દિવસે ગણપતિજીની વિશેષ પૂજા કરવાથી તમામ મનોકામના પૂર્ણ થાય છે. આ દિવસે ગણેશજીને લાલ પુષ્પ, ચંદન અને લાલ રંગની મિઠાઈ અર્પણ કરવાથી ભગવાન ગણપતિના આશીર્વાદ મળે છે.     



હવે જો તમારો દિકરો પણ હૉસ્ટેલ કે છાત્રાલયમાં ભણતો હોય તો ચિંતા કરજો, સાવધાન રહેજો. એની સાથે રોજ વાતો કરજો અને મિત્ર બનીને રહેજો. કારણ કે હવે દિકરીઓ તો સલામત નથી પણ દિકરાઓ ય સલામત નથી. ધંધુકાના પચ્છમની ઘટના તમને યાદ હશે.. સગીર વયના વિદ્યાર્થી પર તેના જ છાત્રાલયના સગીરોએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું. ફરી પાછી એ જ ઘટના રાજકોટના જસદણના આંબરડીમાં દોહરાય છે.

મેરઠ મર્ડર કેસમાં જબરદસ્ત તપાસ ચાલી રહી છે પેહલી પોલીસ સ્તરે , બીજું સાયબર સેલ થકી અને ત્રીજું ફોરેન્સિક ટીમ દ્વારા . હવે ફોરેન્સિક ટીમે ખુબ ચોંકાવનારા ખુલાસા સામે રાખ્યા છે. જેમ કે , સાહિલ અને મુસ્કાન સૌરભના ટુકડાઓને સૂટકેસમાં ભરીને તેનો નિકાલ કરવા માંગતા હતા . પરંતુ સૂટકેસ નાની હતી . જેથી બીજા દિવસે મુસ્કાને એક ડ્રમ ખરીદ્યુ અને તેમાં શરીરના ટુકડાઓ રાખીને સિમેન્ટથી સીલ કરી દીધું . ફોરેન્સિક ટીમના જણાવ્યા અનુસાર, સૂટકેસમાં લોહીના ડાઘ મળ્યા છે.

૧ એપ્રિલ, ૨૦૨૫ થી, યુનાઇટેડ કિંગડમ, ઓસ્ટ્રેલિયા અને યુરોપિયન યુનિયન આંતરરાષ્ટ્રીય અરજદારો માટે વિઝા ચાર્જ અને ટ્યુશન ફીમાં વધારો કરશે. આ વધારો ટૂંકા ગાળાના વિઝિટર વિઝાથી લઈને વિદેશમાં મુલાકાત લેવા માટે જશો તો ચુકવા પડશે.વર્ક વિઝા હોય કે સ્ટુડન્ટ વિઝા દરેકને માટે તમામ ફી માં વધારો ઝીંકાયો છે

સુરતની 7 વર્ષીય વાકા લક્ષ્મી પ્રાગ્નિકાએ ફિડે વર્લ્ડ સ્કૂલ્સ ચેસ ચેમ્પિયનશિપ 2025ની અંડર 7 કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.વાકા લક્ષ્મીએ સર્બિયામાં યોજાયેલી આ ટૂર્નામેન્ટમાં 9 માંથી 9 પોઈન્ટ મેળવીને ગોલ્ડ પોતાને નામે કર્યો છે. વાકા ભારતનું પ્રતિનિધિત્વ કરતી તમામ વય શ્રેણીના ખેલાડીઓમાં ગોલ્ડ જીતનારી એકમાત્ર ખેલાડી બની છે.