જાણો ક્યારે થશે હોલીકાદહન? ક્યારે ભરવી પૂનમ? શા માટે છાણાનો કરાય છે ઉપયોગ?


  • Published By :
  • Published Date : 2023-03-06 09:05:14

ફાગણ સુદ પૂનમના દિવસે આપણે ત્યાં હોળી પ્રગટાવવામાં આવે છે. પરંતુ આ વખતે હોળી ક્યારે પ્રગટાવવી તે અંગે અસમંજસ છે કારણ કે પૂનમ 6 માર્ચ અને 7 માર્ચના રોજ છે. પરંતુ હોળીકા દહન સાંજના સમયે કરવામાં આવે છે જેને કારણે 6 માર્ચ સાંજે હોળીકા દહન કરવામાં આવશે. પરંતુ પૂનમની ઉદિત તિથી મંગળવારે છે.  જેને કારણે ભરવા વાળી પૂનમ મંગળવારે થશે. 

Holi 2023: When Is Holi 7 Or 8 March? Note The Correct Date And Auspicious  Time Of Holika Dahan | Holi 2023: હોળી 7 કે 8 માર્ચ ક્યારે છે? હોલિકા દહનની  સાચી તારીખ અને શુભ સમય નોંધો

ક્યારે કરવું હોળીકાદહન?

હિંદુ ધર્મમાં તિથીને ઘણું મહત્વ આપવામાં આવ્યું છે. સૂર્યોદય બાદ આપણે તિથી માન્ય રાખીએ છીએ.તિથીની વાત કરીએ તો સામાન્ય સંજોગોમાં સવારથી જો પૂનમ હોય તો તે જ દિવસે હોળીકા દહન કરવું જોઈએ. ઉપરાંત સૂર્યાસ્તના સમયે જ્યારે ભદ્રા ન હોય ત્યારે હોળીકાદહન કરી લેવું જોઈએ. ભદ્રા એક કરણનું નામ છે અને તિથીના અડધા ભાગને કરણ કહેવાય છે. જો બે દિવસે પ્રદોષ સમયે પૂનમ હોય તો બીજા દિવસે હોળીકા દહન કરવું જોઈએ. જો પહેલા દિવસે જ્યારે પૂનમ થતી હોય અને બીજા દિવસે સાંજ સુધી પૂનમ ન હોય તો બીજા દિવસે સાડા ત્રણ પ્રહર એટલે કે સાંજ સુધી પૂનમ હોય અને સૂર્યાસ્ત પછી એકમ થતી હોય તો બીજા દિવસે હોળી પ્રગટાવવી જોઈએ. જો બીજી દિવસે સૂર્યાસ્ત પછી પૂનમ ના હો. અને પહેલા દિવસે મધ્યરાત્રી પહેલા ભદ્રા સમાપ્ત થાય પછી હોળી પ્રગટાવવી જોઈએ. 



શા માટે હોળીકા દહનમાં કરાય છે ગાયના છાણાનો ઉપયોગ  

હોળી પ્રગટાવવા માટે છાણાનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. ગાયના છાણાના અનેક ફાયદા છે. ગાયનું છાણ ઓષધી તરીકે કામ કરે છે. તેમાં ઘણા તત્વો હોય છે જે હાનિકારક જંતુઓને સમાપ્ત કરવામાં મદદ કરે છે. ધુમાડાની વાત કરવામાં આવે તો હોળીમાંથી નીકળતો ધુમાડો વાતાવરણને શુદ્ધ કરે છે. વાતાવરણમાં રહેલા હાનિકારક બેક્ટેરિયાનો નાશ થાય છે. જો ધાર્મિક મહત્વની વાત કરીએ તો છાણામાંથી નીકળતા ધૂમાડાથી નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે. ગાયના છાણાને ખુબ પવિત્ર માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે છાણાનો હોળીકા દહનમાં ઉપયોગ  કરવાથી કુંડળીમાં અકાળ મૃત્યુ જેવા અથવા કોઈ પણ બીમારી સાથે જોડાયેલાં દોષ દૂર થાય છે. એવી પણ માન્યતા છે કે ગાયના છાણાને સળગાવવાથી ઘરમાં લક્ષ્મીજીનો વાસ થાય છે. ગાયના છાણ સાથે કપુરનો પણ ઉપયોગ કરવામાં આવે છે. કપુરને સળગાવાથી પણ વાતાવરણ શુદ્ધ થાય છે.     




થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!