જાણો આગામી દિવસોમાં કેવું રહેશે Gujaratનું હવામાન? ઠંડીને લઈ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી આ આગાહી, જાણો


  • Published By :
  • Published Date : 2024-01-15 16:03:31

ગુજરાતમાં ફરી એક વખત ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં ફરી એક વખત તાપમાનનો પારો ગગડ્યો છે અને શિયાળાનો અહેસાસ થઈ રહ્યો છે.  ઉત્તર ભારતના વિસ્તારોમાં હિમવર્ષા થઈ રહી છે જેની અસર ગુજરાતના વાતાવરણમાં જોવા મળી રહી છે. રાજ્યમાં ઠંડો પવન વહી રહ્યો છે. ઉત્તરાયણના દિવસે સારો પવન રહેશે તેવી આગાહી કરવામાં આવી હતી અને સારો પવન પણ રહ્યો હતો ત્યારે આગામી દિવસોમાં પણ ઠંડીનો ચમકારો રહેશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ગાંધીનગરનું તાપમાન 10 ડિગ્રી નીચે નોંધાયું છે જ્યારે અમદાવાદનું તાપમાન 10.6 ડિગ્રી પર પહોંચ્યું છે. નલિયાનું તાપમાન 10.4 ડિગ્રી નોંધાયું છે. 


આવનાર દિવસોમાં તાપમાન યથાવત રહેશે!

શિયાળાની સિઝન ચાલી રહી છે પરંતુ અનેક વખત કમોસમી વરસાદની આગાહી કરવામાં આવતા ખેડૂતોની ચિંતા વધી હતી. અનેક જગ્યાઓ પર કમોસમી વરસાદ વરસ્યો પણ હતો જેને કારણે પાકને નુકસાન પહોંચ્યું હતું. ત્યારે આવનાર દિવસોમાં ઠંડીનો ચમકારો અનુભવાશે તેવી આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા. આવનાર દિવસોમાં વાતાવરણ સુકૂ રહેશે અને બેથી ત્રણ ડિગ્રીનો તાપમાનમાં ફરક આવશે તેવી આગાહી કરવામાં આવી છે.


રવિવારે ક્યાં કેટલું નોંધાયું તાપમાન? 

ઉત્તરાયણના દિવસે નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો અમદાવાદનું તાપમાન 10.6 ડિગ્રી પર પહોંચ્યું હતું. ડીસાનું તાપમાન 09.6 ડિગ્રી, ગાંધીનગરનું તાપમાન 09.0 ડિગ્રી નોંધાયું હતું. 19.0 ડિગ્રી તાપમાન સુરતનું નોંધાયું હતું જ્યારે વડોદરાનું તાપમાન 13.6 ડિગ્રી પહોંચ્યું હતું. દ્વારકાનું તાપમાન 17.4 ડિગ્રી, ઓખાનું તાપમાન 20.6, નલિયાનું તાપમાન 10.4 ડિગ્રી નોંધાયું હતું. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ આગામી 5 દિવસ દરમિયાન વાતાવરણ સૂકું રહેશે. 2થી 3 ડિગ્રી તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. આગામી 48 કલાક બાદ તાપમાનનો પારો ગગડી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 



ઠંડીને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ કાકાએ કરી આ આગાહી 

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા પણ ઠંડીને લઈ આગાહી કરવામાં આવી છે. ઠંડીને લઈ આગાહી કરતા અંબાલાલ કાકાએ જણાવ્યું કે 15 જાન્યુઆરી બાદ ઠંડી વધારે પડી શકે છે. ફરીથી ઠંડીનો ચમકારો અનુભવાશે તેવી વાત કરવામાં આવી છે. આગાહી કરતા તેમણે કહ્યું કે આહવા, ડાંગ, વલસાડ, સુરતમાં કાતિલ ઠંડીનો અહેસાસ થશે. મહેસાણા. સુરત આસપાસના ભાગોમાં તાપમાનના પારામાં બેથી ત્રણ ડિગ્રીનો ફરક આવી શકે છે તેવું અનુમાન લગાવવમાં આવ્યું છે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.