જાણો રાજ્ય માટે હવામાન વિભાગે શું કરી આગાહી, કમોસમી વરસાદની શક્યતા નહીંવત


  • Published By :
  • Published Date : 2023-01-31 10:08:23

રાજ્યના અનેક શહેરોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. માવઠાને કારણે ખેડૂતોની ચિંતા વધી છે. કમોસમી વરસાદને કારણે ધુમ્મસભર્યુ વાતાવરણ રહ્યું હતું જેને કારણે વિઝિબિલિટિ પણ ઘટી હતી. જેને કારણે વાહનચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. કમોસમી વરસાદને કારણે ગુજરાતીઓને ઠંડી થી થોડી આંશિક રાહત મળશે. આગાહી પ્રમાણે આગામી પાંચ દિવસ સુધી માવઠાની શક્યતા નહીંવત છે. 


માવઠાને કારણે ખેડૂતોની વધી ચિંતા 

બે દિવસથી રાજ્યના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. અનેક શહેરોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. જેને કારણે ખેડૂતોના ઉભા પાકને નુકસાન થવાની ભીતી સેવાઈ રહી છે. સોમવારે અમદાવાદ, ઉત્તર ગુજરાત , મહેમદાવાદ, પાવી સહિતના વિસ્તારોમાં વરસાદ થયો હતો. થોડા સમય પહેલા જ હવામાન વિભાગે માવઠાની આગાહી કરી હતી.     


થોડા દિવસો સુધી જોવા મળશે ઠંડીનો ચમકારો 

કમોસમી વરસાદને કારણે આગામી બે ત્રણ દિવસ ફરી એક વખત ઠંડીનો અનુભવ થઈ શકે છે. ઠંડો પવન ફૂંકાઈ શકે છે. ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે બનાસકાંઠા અને ડિસામાં ઠંડીનું જોર યથાવત જોવા મળશે તેમજ સૌરાષ્ટ્રના તાપમાનમાં પણ ફેરફાર જોવા મળશે નહીં. અમદાવાદનું તાપમાન 16 ડિગ્રી, ગાંધીનગરનું તાપમાન 14 ડિગ્રી નોંધાયું હતું જ્યારે નલિયા સૌથી ઠંઠુગાર નોંધાયું છે. 




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.