જાણો હિંદુ ધર્મમાં સ્વસ્તિકનું મહત્વ


  • Published By :
  • Published Date : 2022-12-22 16:55:52

હિંદુ ધર્મમાં અનેક ચિન્હો પ્રતિકોને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. અનેક ચિન્હોને પવિત્ર માનવામાં આવે છે. જેમાં સ્વસ્તિકને પણ સ્થાન આપવામાં આવ્યું છે. સ્વસ્તિકને અનેક લોકો પોતાના ઘરના દરવાજા બહાર કરતા હોય છે. કોઈ પણ શુભ પ્રસંગ અથવા તો કોઈ પણ ધાર્મિક કાર્યક્રમ હોય તે દરમિયાન સ્વસ્તિકનું ચિહ્ન બનાવામાં આવે છે. સ્વસ્તિકનો અર્થ થાય છે શુભ. સ્વસ્તિકને ઉર્જાનું કેન્દ્ર પણ માનવામાં આવે છે. સ્વસ્તિક શબ્દ ત્રણ શબ્દથી બનેલો શબ્દ છે. સુ નો અર્થ થાય છે શુભ, અસનો અર્થ અસ્તિત્વ થાય છે અને ક નો અર્થ  કર્તા થાય છે. સ્વસ્તિકનો અર્થ થાય છે મંગલ કરનાર હોય છે. સ્વસ્તિકને ભગવાન ગણપતિનું પ્રતિક માનવામાં આવે છે. 

Swastika Sign Related To Lord Ganesha Know Importance Of Swastika In Hindu  Religious | Swastik Sign: શું આપના ઘર કે ઓફિસમાં વાસ્તુદોષ છે? સ્વસ્તિકના આ  ઉપાયથી કરો દૂર

સ્વસ્તિકમાં કરવામાં આવેલી રેખાઓ ચાર વેદોનું પ્રતિક માનવામાં આવે છે. રેખાઓ પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ દિશા દર્શાવે છે. એવું પણ માનવામાં આવે છે કે ઘરમાં કોઈ પણ વાસ્તુદોષ ઠીક થઈ જાય છે. અનેક લોકો વાસ્તુદોષને દૂર કરવા ઘરના મુખ્ય દ્વાર પર સ્વસ્તિક કરવામાં આવે છે. એવું પણ માનવામાં આવે છે કે સ્વસ્તિકના મધ્યભાગમાં ભગવાન વિષ્ણુની કમલ નાભી, રેખાઓને બ્રહ્માજીના ચારમુખ, ચાર હાથ અને ચાર વેદોનું રૂપ માનવામાં આવે છે. સ્વસ્તિકને બનાવામાં કંકુ અથવા કેસરી રંગનો કરવો જોઈએ. ઉપરાંત ચાર રેખાઓને ધર્મ, અર્થ, કામ અને મોક્ષ માનવામાં આવે છે. 

Ashadeep News Paper


પૂજા દરમિયાન આરતીની થાળીમાં પણ સ્વસ્તિક કરવામાં આવે છે. ઉપરાંત કળશમાં પણ સ્વસ્તિક અંકિત કરવામાં આવે છે. કપાળ પર તિલક કરવામાં આવે છે તે દરમિયાન આ મંત્ર બોલવામાં આવે છે.     

ॐ स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः।स्वस्ति नः पूषा विश्ववेदाः।

स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः।स्वस्ति नो ब्रिहस्पतिर्दधातु ॥ 



હવે જો તમારો દિકરો પણ હૉસ્ટેલ કે છાત્રાલયમાં ભણતો હોય તો ચિંતા કરજો, સાવધાન રહેજો. એની સાથે રોજ વાતો કરજો અને મિત્ર બનીને રહેજો. કારણ કે હવે દિકરીઓ તો સલામત નથી પણ દિકરાઓ ય સલામત નથી. ધંધુકાના પચ્છમની ઘટના તમને યાદ હશે.. સગીર વયના વિદ્યાર્થી પર તેના જ છાત્રાલયના સગીરોએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું. ફરી પાછી એ જ ઘટના રાજકોટના જસદણના આંબરડીમાં દોહરાય છે.

મેરઠ મર્ડર કેસમાં જબરદસ્ત તપાસ ચાલી રહી છે પેહલી પોલીસ સ્તરે , બીજું સાયબર સેલ થકી અને ત્રીજું ફોરેન્સિક ટીમ દ્વારા . હવે ફોરેન્સિક ટીમે ખુબ ચોંકાવનારા ખુલાસા સામે રાખ્યા છે. જેમ કે , સાહિલ અને મુસ્કાન સૌરભના ટુકડાઓને સૂટકેસમાં ભરીને તેનો નિકાલ કરવા માંગતા હતા . પરંતુ સૂટકેસ નાની હતી . જેથી બીજા દિવસે મુસ્કાને એક ડ્રમ ખરીદ્યુ અને તેમાં શરીરના ટુકડાઓ રાખીને સિમેન્ટથી સીલ કરી દીધું . ફોરેન્સિક ટીમના જણાવ્યા અનુસાર, સૂટકેસમાં લોહીના ડાઘ મળ્યા છે.

૧ એપ્રિલ, ૨૦૨૫ થી, યુનાઇટેડ કિંગડમ, ઓસ્ટ્રેલિયા અને યુરોપિયન યુનિયન આંતરરાષ્ટ્રીય અરજદારો માટે વિઝા ચાર્જ અને ટ્યુશન ફીમાં વધારો કરશે. આ વધારો ટૂંકા ગાળાના વિઝિટર વિઝાથી લઈને વિદેશમાં મુલાકાત લેવા માટે જશો તો ચુકવા પડશે.વર્ક વિઝા હોય કે સ્ટુડન્ટ વિઝા દરેકને માટે તમામ ફી માં વધારો ઝીંકાયો છે

સુરતની 7 વર્ષીય વાકા લક્ષ્મી પ્રાગ્નિકાએ ફિડે વર્લ્ડ સ્કૂલ્સ ચેસ ચેમ્પિયનશિપ 2025ની અંડર 7 કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.વાકા લક્ષ્મીએ સર્બિયામાં યોજાયેલી આ ટૂર્નામેન્ટમાં 9 માંથી 9 પોઈન્ટ મેળવીને ગોલ્ડ પોતાને નામે કર્યો છે. વાકા ભારતનું પ્રતિનિધિત્વ કરતી તમામ વય શ્રેણીના ખેલાડીઓમાં ગોલ્ડ જીતનારી એકમાત્ર ખેલાડી બની છે.