જાણો વિશ્વ જળ દિવસ ઉજવવા પાછળ શું છે ઈતિહાસ, પ્રથમ વખત ક્યારે કરાઈ હતી આ દિવસની ઉજવણી


  • Published By :
  • Published Date : 2023-03-22 15:56:03

કહેવાય છે કે જળ છે તો જીવન છે.. આપણા જીવનમાં પાણીની મહત્તા સમજાવવા વિશ્વ જળ દિવસની ઉજવણી 22 માર્ચના રોજ કરવામાં આવે છે. પાણીનું મહત્વ લોકો સમજે તે માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. વિશ્વના એવા અનેક દેશો છે જ્યાં પાણી માટે લોકો આજે પણ વલખા મારે છે. પાણીની સમસ્યાનો સામનો વિશ્વના અનેક દેશો કરી રહ્યા છે. આ સમસ્યા દિવસેને દિવસે ગંભીર બની રહી છે. પાણીનું મહત્વ સમજાવવા ઉપરાંત પાણી કેવી રીતે બચાવી શકાય તે માટે લોકોને જાગૃત કરવા આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. 

 

1993માં પ્રથમ વખત ઉજવાયો હતો વિશ્વ જળ દિવસ 

જો વિશ્વ જળ દિવસના ઈતિહાસની વાત કરીએ તો વર્ષ 1992માં રિયો ડી જાનેરોમાં પર્યાવરણ અને વિકાસ પર સંયુક્ત રાષ્ટ્રની પરિષદ યોજાઈ હતી. યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બ્લીએ એક ઠરાવ પાસ કર્યો હતો. દર વર્ષે સમગ્ર વિશ્વમાં 22 માર્ચે વિશ્વ જળ દિવસ તરીકે ઉજવાશે તેવો નિર્ણય કરવામાં આવ્યો હતો. જે બાદ દર વર્ષે 22 માર્ચના રોજ વિશ્વ જળ દિવસ મનાવાય છે. 1993થી આ દિવસ ઉજવવામાં આવે છે. લોકો પાણી સંરક્ષણનું મહત્વ સમજે તે માટે આ દિવસને મનાવવાની ફરજ પડી હતી. પ્રથમ વિશ્વ જળ દિવસની ઉજવણી 22 માર્ચ 1993ના રોજ કરવામાં આવી હતી.


ચોખ્ખું પાણી ન મળતા થાય છે અનેક ગંભીર બિમારી 

એવું માનવામાં આવે છે કે વિશ્વની ઉત્પત્તિ થઈ તે પહેલા દરેક જગ્યા પર પાણી જ હતું. પૃથ્વીની સપાટીનો લગભગ ત્રણ- ચતુર્થાંશ ભાગ પાણીથી ઢંકાયેલો હતો. પરંતુ પીવા માટે ઉપયોગી પાણી માત્ર દોઢ ટકા જેટલું જ હતું. બાકી બધું પાણી ખારાશ વાળું હતું. મળતી માહિતી મુજબ વિશ્વમાં લગભગ બે અબજ લોકો એવા છે જેમને પીવા માટે શુદ્ધ જળ નથી મળતું. જેને કારણે લોકોને ગંભીર બિમારીઓથી પીડાવું પડે છે. 


 

અલગ અલગ થીમ પર મનાવાય છે દિવસ

દર વર્ષે અલગ અલગ થીમ પર આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષની થીમ છે પાણી અને સ્વચ્છતાની કટોકટીના ઉકેલ માટે પરિવર્તનને વેગ આપવો. વર્ષ 2022ના થીમની વાત કરીએ તો ભૂગર્ભજળ અદ્રશ્યને દ્રશ્યમાન બનાવું એવી હતી. અનેક જગ્યાઓ પર આ દિવસને લઈ વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. નાટકો, કવિતાઓ, પોસ્ટરો, સ્લોગનોના માધ્યમથી લોકોને પાણી માટે જાગૃત કરવા પ્રયાસ કરવામાં આવે છે. ત્યારે વિશ્વ જળ દિવસે આપણે પણ પાણીને બચાવવાનો સંકલ્પ લઈએ.                




હવે જો તમારો દિકરો પણ હૉસ્ટેલ કે છાત્રાલયમાં ભણતો હોય તો ચિંતા કરજો, સાવધાન રહેજો. એની સાથે રોજ વાતો કરજો અને મિત્ર બનીને રહેજો. કારણ કે હવે દિકરીઓ તો સલામત નથી પણ દિકરાઓ ય સલામત નથી. ધંધુકાના પચ્છમની ઘટના તમને યાદ હશે.. સગીર વયના વિદ્યાર્થી પર તેના જ છાત્રાલયના સગીરોએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું. ફરી પાછી એ જ ઘટના રાજકોટના જસદણના આંબરડીમાં દોહરાય છે.

મેરઠ મર્ડર કેસમાં જબરદસ્ત તપાસ ચાલી રહી છે પેહલી પોલીસ સ્તરે , બીજું સાયબર સેલ થકી અને ત્રીજું ફોરેન્સિક ટીમ દ્વારા . હવે ફોરેન્સિક ટીમે ખુબ ચોંકાવનારા ખુલાસા સામે રાખ્યા છે. જેમ કે , સાહિલ અને મુસ્કાન સૌરભના ટુકડાઓને સૂટકેસમાં ભરીને તેનો નિકાલ કરવા માંગતા હતા . પરંતુ સૂટકેસ નાની હતી . જેથી બીજા દિવસે મુસ્કાને એક ડ્રમ ખરીદ્યુ અને તેમાં શરીરના ટુકડાઓ રાખીને સિમેન્ટથી સીલ કરી દીધું . ફોરેન્સિક ટીમના જણાવ્યા અનુસાર, સૂટકેસમાં લોહીના ડાઘ મળ્યા છે.

૧ એપ્રિલ, ૨૦૨૫ થી, યુનાઇટેડ કિંગડમ, ઓસ્ટ્રેલિયા અને યુરોપિયન યુનિયન આંતરરાષ્ટ્રીય અરજદારો માટે વિઝા ચાર્જ અને ટ્યુશન ફીમાં વધારો કરશે. આ વધારો ટૂંકા ગાળાના વિઝિટર વિઝાથી લઈને વિદેશમાં મુલાકાત લેવા માટે જશો તો ચુકવા પડશે.વર્ક વિઝા હોય કે સ્ટુડન્ટ વિઝા દરેકને માટે તમામ ફી માં વધારો ઝીંકાયો છે

સુરતની 7 વર્ષીય વાકા લક્ષ્મી પ્રાગ્નિકાએ ફિડે વર્લ્ડ સ્કૂલ્સ ચેસ ચેમ્પિયનશિપ 2025ની અંડર 7 કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.વાકા લક્ષ્મીએ સર્બિયામાં યોજાયેલી આ ટૂર્નામેન્ટમાં 9 માંથી 9 પોઈન્ટ મેળવીને ગોલ્ડ પોતાને નામે કર્યો છે. વાકા ભારતનું પ્રતિનિધિત્વ કરતી તમામ વય શ્રેણીના ખેલાડીઓમાં ગોલ્ડ જીતનારી એકમાત્ર ખેલાડી બની છે.