જાણો દેવી લક્ષ્મીના આઠ સ્વરૂપ જેને અષ્ટલક્ષ્મી તરીકે ઓળખવામાં આવે છે


  • Published By :
  • Published Date : 2022-12-16 12:49:42

દેવી લક્ષ્મીને ધન તેમજ ઐશ્વર્યની દેવી માનવામાં આવે છે. શુક્રવારનો દિવસ માતા લક્ષ્મીને સમર્પિત હોય છે. શુક્રવારના દિવસે માતા લક્ષ્મીની પૂજા કરવાથી માતા જલ્દી પ્રસન્ન થાય છે. ત્યારે આજે જાણીએ અષ્ટલક્ષ્મી વિશે. અષ્ઠલક્ષ્મી એટલે મહાલક્ષ્મી, ઐશ્વર્ય લક્ષ્મી, ધનલક્ષ્મી, સંતાનલક્ષ્મી, ધાન્યલક્ષ્મી, ગજ લક્ષ્મી, વીર લક્ષ્મી, વિજય લક્ષ્મી છે. 

રોજ કરો લક્ષ્મી દ્વાદશનામ મંત્રના જાપ, કાયમ બની રહેશે લક્ષ્મીની કૃપા  દ્રષ્ટિ | Shri Lakshmi Dwadasha Naam Stotram: 12 Names of Goddess Lakshmi -  Divya Bhaskar

 

દેવી મહાલક્ષ્મીને આદિ લક્ષ્મી તરીકે પણ ઓળખવામાં આવે છે. દેવી લક્ષ્મીનું આ પ્રથમ સ્વરૂપ માનવામાં આવે છે. તેઓ ભૃગુઋષિના પુત્રી છે અને ભગવાન નારાયણના પત્ની છે. માતાજીનું બીજા સ્વરૂપ ઐશ્વર્ય લક્ષ્મી છે. આ સ્વરૂપની પૂજા કરવાથી સાધકની સમાજમાં પ્રતિષ્ઠતા વધે છે. સમાજમાં ખ્યાતિ અને પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થાય છે. ધન લક્ષ્મી સ્વરૂપની પૂજા કરવાથી સાધકના ઘરમાં ધનનો વાસ હમેશા રહે છે.

Ashta Lakshmi - Wikipedia

માતાજીના ચોથા સ્વરૂપની વાત કરીએ તો સંતાન લક્ષ્મી સ્વરૂપ છે. સંતાન પ્રાપ્તિ માટે પણ માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. આ દેવીની પૂજા કરવાથી વંશ આગળ વધે છે. માતાજીના પાંચમા સ્વરૂપની વાત કરીએ તો ધાન્યલક્ષ્મી છે. દેવીના સ્વરૂપની પૂજા કરવાથી ઘર હમેશાં ધન અને ધાન્યથી ભરેલું રહે છે. દેવી લક્ષ્મી ઘરમાં અન્ન સ્વરૂપે રહે છે. ગજ લક્ષ્મી પણ અષ્ઠલક્ષ્મી માંથી એક છે. આ સ્વરૂપની પૂજા કરવાથી સાધકને રાજસત્તા તેમજ તમામ પ્રકારની સુખની પ્રાપ્તિ થાય છે. વીર લક્ષ્મી સ્વરૂપની પૂજા કરવાથી માતા સાધકને અકાળ  મૃત્યુથી બચાવે છે. વિજયલક્ષ્મી સ્વરૂપની સાધના કરવાથી શત્રુઓ પર વિજયી મળે છે.




અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે

અમેરિકાનાં મિનીએપોલિસથી કેનેડા જતા ડેલ્ટા એરલાઈન્સનું વિમાન કેનેડાનાં પિઅર્સન એરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન ક્રેશ થયુ હતુ. અકસ્માત દરમિયાન વિમાનમાં સવાર પેસેન્જરોનાં જીવ તાળવે ચોંટી ગયા હતા. આ વિમાનમાં 76 પેસેન્જર અને 4 ક્રુ મેમ્બર સહિત 80 લોકો સવાર હતા.

બિયરની બોટલ પર ગાંધીજીનું નામ અને ફોટા. માર્કેટીંગની ઘીનૌની રીત કે સીધે સીધુ અપમાન?