જાણો દેવી લક્ષ્મીના આઠ સ્વરૂપ જેને અષ્ટલક્ષ્મી તરીકે ઓળખવામાં આવે છે


  • Published By :
  • Published Date : 2022-12-16 12:49:42

દેવી લક્ષ્મીને ધન તેમજ ઐશ્વર્યની દેવી માનવામાં આવે છે. શુક્રવારનો દિવસ માતા લક્ષ્મીને સમર્પિત હોય છે. શુક્રવારના દિવસે માતા લક્ષ્મીની પૂજા કરવાથી માતા જલ્દી પ્રસન્ન થાય છે. ત્યારે આજે જાણીએ અષ્ટલક્ષ્મી વિશે. અષ્ઠલક્ષ્મી એટલે મહાલક્ષ્મી, ઐશ્વર્ય લક્ષ્મી, ધનલક્ષ્મી, સંતાનલક્ષ્મી, ધાન્યલક્ષ્મી, ગજ લક્ષ્મી, વીર લક્ષ્મી, વિજય લક્ષ્મી છે. 

રોજ કરો લક્ષ્મી દ્વાદશનામ મંત્રના જાપ, કાયમ બની રહેશે લક્ષ્મીની કૃપા  દ્રષ્ટિ | Shri Lakshmi Dwadasha Naam Stotram: 12 Names of Goddess Lakshmi -  Divya Bhaskar

 

દેવી મહાલક્ષ્મીને આદિ લક્ષ્મી તરીકે પણ ઓળખવામાં આવે છે. દેવી લક્ષ્મીનું આ પ્રથમ સ્વરૂપ માનવામાં આવે છે. તેઓ ભૃગુઋષિના પુત્રી છે અને ભગવાન નારાયણના પત્ની છે. માતાજીનું બીજા સ્વરૂપ ઐશ્વર્ય લક્ષ્મી છે. આ સ્વરૂપની પૂજા કરવાથી સાધકની સમાજમાં પ્રતિષ્ઠતા વધે છે. સમાજમાં ખ્યાતિ અને પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થાય છે. ધન લક્ષ્મી સ્વરૂપની પૂજા કરવાથી સાધકના ઘરમાં ધનનો વાસ હમેશા રહે છે.

Ashta Lakshmi - Wikipedia

માતાજીના ચોથા સ્વરૂપની વાત કરીએ તો સંતાન લક્ષ્મી સ્વરૂપ છે. સંતાન પ્રાપ્તિ માટે પણ માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. આ દેવીની પૂજા કરવાથી વંશ આગળ વધે છે. માતાજીના પાંચમા સ્વરૂપની વાત કરીએ તો ધાન્યલક્ષ્મી છે. દેવીના સ્વરૂપની પૂજા કરવાથી ઘર હમેશાં ધન અને ધાન્યથી ભરેલું રહે છે. દેવી લક્ષ્મી ઘરમાં અન્ન સ્વરૂપે રહે છે. ગજ લક્ષ્મી પણ અષ્ઠલક્ષ્મી માંથી એક છે. આ સ્વરૂપની પૂજા કરવાથી સાધકને રાજસત્તા તેમજ તમામ પ્રકારની સુખની પ્રાપ્તિ થાય છે. વીર લક્ષ્મી સ્વરૂપની પૂજા કરવાથી માતા સાધકને અકાળ  મૃત્યુથી બચાવે છે. વિજયલક્ષ્મી સ્વરૂપની સાધના કરવાથી શત્રુઓ પર વિજયી મળે છે.




હવે જો તમારો દિકરો પણ હૉસ્ટેલ કે છાત્રાલયમાં ભણતો હોય તો ચિંતા કરજો, સાવધાન રહેજો. એની સાથે રોજ વાતો કરજો અને મિત્ર બનીને રહેજો. કારણ કે હવે દિકરીઓ તો સલામત નથી પણ દિકરાઓ ય સલામત નથી. ધંધુકાના પચ્છમની ઘટના તમને યાદ હશે.. સગીર વયના વિદ્યાર્થી પર તેના જ છાત્રાલયના સગીરોએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું. ફરી પાછી એ જ ઘટના રાજકોટના જસદણના આંબરડીમાં દોહરાય છે.

મેરઠ મર્ડર કેસમાં જબરદસ્ત તપાસ ચાલી રહી છે પેહલી પોલીસ સ્તરે , બીજું સાયબર સેલ થકી અને ત્રીજું ફોરેન્સિક ટીમ દ્વારા . હવે ફોરેન્સિક ટીમે ખુબ ચોંકાવનારા ખુલાસા સામે રાખ્યા છે. જેમ કે , સાહિલ અને મુસ્કાન સૌરભના ટુકડાઓને સૂટકેસમાં ભરીને તેનો નિકાલ કરવા માંગતા હતા . પરંતુ સૂટકેસ નાની હતી . જેથી બીજા દિવસે મુસ્કાને એક ડ્રમ ખરીદ્યુ અને તેમાં શરીરના ટુકડાઓ રાખીને સિમેન્ટથી સીલ કરી દીધું . ફોરેન્સિક ટીમના જણાવ્યા અનુસાર, સૂટકેસમાં લોહીના ડાઘ મળ્યા છે.

૧ એપ્રિલ, ૨૦૨૫ થી, યુનાઇટેડ કિંગડમ, ઓસ્ટ્રેલિયા અને યુરોપિયન યુનિયન આંતરરાષ્ટ્રીય અરજદારો માટે વિઝા ચાર્જ અને ટ્યુશન ફીમાં વધારો કરશે. આ વધારો ટૂંકા ગાળાના વિઝિટર વિઝાથી લઈને વિદેશમાં મુલાકાત લેવા માટે જશો તો ચુકવા પડશે.વર્ક વિઝા હોય કે સ્ટુડન્ટ વિઝા દરેકને માટે તમામ ફી માં વધારો ઝીંકાયો છે

સુરતની 7 વર્ષીય વાકા લક્ષ્મી પ્રાગ્નિકાએ ફિડે વર્લ્ડ સ્કૂલ્સ ચેસ ચેમ્પિયનશિપ 2025ની અંડર 7 કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.વાકા લક્ષ્મીએ સર્બિયામાં યોજાયેલી આ ટૂર્નામેન્ટમાં 9 માંથી 9 પોઈન્ટ મેળવીને ગોલ્ડ પોતાને નામે કર્યો છે. વાકા ભારતનું પ્રતિનિધિત્વ કરતી તમામ વય શ્રેણીના ખેલાડીઓમાં ગોલ્ડ જીતનારી એકમાત્ર ખેલાડી બની છે.