હવામાન નિષ્ણાત પાસેથી જાણો ગુજરાતમાં ક્યારે થશે વરસાદની રિ-એન્ટ્રી, Ambalal Patel અને Paresh Goswamiએ કરી વરસાદને લઈ આ આગાહી


  • Published By :
  • Published Date : 2023-08-30 14:39:03

ઓગસ્ટની શરૂઆત થતાં જ વરસાદે વિરામ લીધો હતો. અનેક વખત અમે કહેતા હોઈએ છીએ એટલો સારો વરસાદ વરસ્યો કે અનેક વર્ષોનો રેકોર્ડ તૂટ્યો. આ વર્ષે પણ વરસાદે રેકોર્ડ તોડ્યો છે પરંતુ ન વરસવાનો. ઓગસ્ટ મહિનામાં એટલો ઓછો વરસાદે 10 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. સામાન્ય કરતા પણ ઘણો ઓછો વરસાદ આ ઓગસ્ટમાં વરસ્યો છે. જેને કારણે જગતનો તાત ચિંતિત બન્યો છે. ત્યારે સપ્ટેમ્બરમાં કેવો વરસાદ રહેશે તેની માહિતી હવામાન નિષ્ણાતોએ આપી છે.   

ઓગસ્ટ મહિનામાં વરસાદે લીધો હતો વિરામ 

ગુજરાતમાં થોડા સમયમાં એટલો બધો વરસાદ વરસી ગયો હતો કે માત્ર અમુક દિવસોની અંદર જ અનેક ટકા વરસાદ નોંધાઈ ગયો હતો. જળાશાયોમાં નવા નીરની આવક થઈ ગઈ હતી. પરંતુ જ્યારથી ઓગસ્ટ મહિનાની શરૂઆત થઈ છે ત્યારથી વરસાદે વિરામ લીધો છે. ઓગસ્ટ મહિનામાં ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસ્યો નથી. ગુજરાતના થોડા જ વિસ્તારો એવા હતા જ્યાં છુટોછવાયો વરસાદ વરસ્યો હતો. ત્યારે સપ્ટેમ્બર મહિનામાં હવામાન કેવું રહેશે તેની આગાહી અંબાલાલ પટેલે અને પરેશ ગોસ્વામીએ કરી છે. 



8-9 સપ્ટેમ્બર દરમિયાન વરસાદની વ્યક્ત કરાઈ સંભાવના 

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી મુજબ 3 સપ્ટેમ્બર બાદ બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થશે જેને કારણે ગુજરાતના અનેક ભાગોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. 1થી 5 તારીખ દરમિયાન ભારે વરસાદ વરસવાની સંભાવનાઓ હતી પરંતુ હજી થોડા દિવસો રાહ જોવી પડશે. 8 અને 9 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

વરસાદને લઈ અંબાલાલ પટેલે શું કરી આગાહી?

તે સિવાય અંબાલાલ પટેલે પણ વરસાદને લઈ આગાહી કરી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ કાકાની આગાહી મુજબ ખેતીને લાયક વરસાદ થશે તેવી કોઈ સંભાવના નથી. સપ્ટેમ્બર મહિનામાં વાતાવરણમાં ફેરફાર નોંધાઈ શકે છે. સપ્ટેમ્બર મહિનાના પ્રથમ અઠવાડિયામાં વાતાવરણમાં ફેરફાર જોવા મળશે. 4થી 7 સપ્ટેમ્બર દરમિયાન સિસ્ટમ બનવાની છે જેને કારણે ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદનું આગમન થઈ શકે છે. સપ્ટેમ્બરના બીજા સપ્તાહમાં સૌરાષ્ટ્ર-કચ્છ, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ પડવાની સંભાવના છે. આ બાદ 13 અને 14 સપ્ટેમ્બરે અરબ સાગરમાં હવાનું દબાણ ઊભું થવાની શક્યતા છે. જોકે આ બાદ સપ્ટેમ્બર મહિનામાં ગરમીનો પારો વધી શકે છે. 


વરસાદે ખેડૂતોના હાલ કર્યા બેહાલ 

મહત્વનું છે કે વરસાદ ન વરસવાને કારણે જગતનો તાત ચિંતિત થયો છે. આ વર્ષે સારો વરસાદ વરસશે તેવી આશા ખેડૂતોને હતી પરંતુ વરસાદ ખેડૂતો સાથે આંખમિચોલી રમી રહ્યું છે. જો વરસાદ નહીં વરસે તો ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવવાનો છે.    



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!