જાણો Chhotaudepur Loksabhaના ઉમેદવાર Jashubhai Rathva જેમણે ગીતાબેન રાઠવાનું પત્તુ કાપ્યું,


  • Published By :
  • Published Date : 2024-03-14 12:23:38

ભાજપ દ્વારા ગઈકાલે ઉમેદવારોના નામની યાદી જાહેર કરવામાં આવી. ગુજરાતની 7 બેઠકો માટે ભાજપે ઉમેદવારના નામ જાહેર કર્યા જેમાંથી અનેક નવા ચહેરાઓ હતા. અનેક વર્તમાન સાંસદોની ટિકીટ આ વખતે બીજેપીએ કાપી છે. છોટા ઉદેપુરમાં નવા ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા છે. છોટા ઉદેપુરમાં ભાજપના સાંસદ હતા ગીતા બેન રાઠવા પરંતુ ભાજપે તેમનું પત્તું કાપ્યું છે અને જસુભાઈ રાઠવાને ઉમેદવાર તરીકે ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. ત્યારે જાણીએ છોટા ઉદેપુરના ભાજપના ઉમેદવાર વિશે... 

ભાજપે છોટા ઉદેપુર માટે જસુભાઈ રાઠવાને આપી ટિકીટ

છોટા ઉદેપુરમાં ભાજપે ઉમેદવાર તરીકે જશુભાઈ રાઠવાની પસંદગી કરી છે. 10મી એપ્રિલ 2023એ જશુભાઈ રાઠવા સી.આર.પાટીલને પદ અને જવાબદારીમાંથી મુક્ત થવા માટે રાજીનામું આપી દે છે અને 2024ની લોકસભા ચૂંટણી માટે ભાજપ તેમને ઉમેદવાર તરીકે પસંદ કરે છે. એવી વ્યક્તિ જે પક્ષને છોડી જતા રહ્યા છે તેમને ભારતીય જનતા પાર્ટી લોકસભા ચૂંટણી માટે ઉમેદવાર બનાવે છે! તેમના રાજીનામાનો ફોટો પણ સામે આવ્યા છે. કોંગ્રેસ છોડી ભાજપમાં આવેલા નારણ રાઠવાએ પણ ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે જો પાર્ટી મને મોકો આપશે તો હું લોકસભા ચૂંટણી લડીશ.


કોંગ્રેસ કોને આપશે ટિકીટ તે એક પ્રશ્ન!      

જસુભાઈ રાઠવાનો બીજો એક પરિચય એ પણ છે કે 2017માં જસુભાઈ છોટાઉદેપુર વિધાનસભા બેઠક ઉપરથી કોંગ્રેસના ઉમેદવાર મોહનસિંહ રાઠવા સામે ચૂંટણી લડ્યા હતા. જોકે, રસાકસી વચ્ચે તેમની હાર થઈ હતી. 2019માં લોકસભાની ટિકિટ માંગી હતી પરંતુ ગીતાબેન રાઠવાને 2019માં ટિકિટ મળી હતી. પરંતુ આ વખતે 2024માં ભારતીય જનતા પાર્ટી દ્વારા તેમને લોકસભા ચૂંટણી માટે ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. છોટા ઉદેપુરમાં ભાજપે એવા ઉમેદવારને ટિકીટ આપી છે જે થોડા મહિના પહેલા પોતાની જવાબદારીમાંથી રાજીનામું આપી ચૂક્યા હતા. હવે જોવું રહ્યું કે કોંગ્રેસ તરફથી કોણ ઉમેદવાર હશે. અનેક નામોની ચર્ચા થઈ રહી છે. 




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.